SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પ્રભાવક સ્થવિરો વિહાર કર્યો ત્યારે કેટલાયે ભક્તોની આંખમાં આંસુ આવ્યાં હતાં. ત્યારપછી મહારાજશ્રીએ ઉત્તર ગુજરાત તરફ વિહાર કર્યો. એ વખતે ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠામાં પેથાપુરમાં એક વિદ્ધ પરિષદ યોજાઈ હતી. એ પરિષદમાં પધારવા માટે મહારાજશ્રીને વિનંતી કરવામાં આવી. મહારાજશ્રી ત્યાં પધાર્યા અને સભામાં જૈન શાસનની સુરક્ષા અને ઓજસ્વિતા કેવી રીતે સધાય એ માટે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. વિ. સં. ૧૯૬૧નું ચાતુર્માસ મહારાજશ્રીએ કપડવંજમાં તથા ૧૯૬૨નું ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યારપછી ત્યાંથી વિહાર કરતા તેંઓ અમદાવાદ પધાર્યા. પંન્યાસની પદવી પછી અને અમદાવાદનાં ચારેક ચાતુર્માસ પછી મહારાજશ્રીની ખ્યાતિ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પ્રસરી ગઈ હતી. તેમણે હજુ સુરતમાં એક પણ ચાતુર્માસ કર્યું નહોતું. આથી સુરતની જનતા તેમના ચાતુર્માસ માટે આતુરતાપૂર્વક રાહ જોતી હતી. સુરતના સંઘના આગેવાનો મહારાજશ્રી પાસે પહોંચ્યા અને બહુ આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો. ઓગણીસમા શતકમાં ગુજરાતની દક્ષિણે સુરત એક મોટું ધર્મક્ષેત્ર ગણાતું હતું. આત્મારામજી મહારાજ, મોહનલાલજી મહારાજ વગેરે મોટા મોટા મહાત્માઓ સુરતમાં ચાતુર્માસ કરી ગયા હતા. સુરતની શ્રીમંતાઈ અને સાથે ઉદારતા શાસનનાં મહાન કાર્યો કરાવે એવી હતી. મહારાજશ્રીનાં સ્વપ્નો પણ સુરતમાં સાકાર થયાં હતાં. મહારાજશ્રીનું ૧૯૬૩નું ચાતુર્માસ સુરતમાં એટલું જોરદાર થયું કે બીજા ચાતુર્માસ માટે માગણી થઈ. વ્યાખ્યાનમાં રોજરોજ હજારો માણસો આવતા. સેંકડો માણસો દૂરદૂરથી આવવા લાગ્યા હતા. મહારાજશ્રીનો બુલંદ, સ્પષ્ટ અવાજ સમગ્ર સભામાં સંભળાતો. તેમને સો એકાગ્ર ચિત્તે સાંભળતા. વિષયની વિવિધતા, શાસ્ત્રીય તત્ત્વની ઊંડી સમજ, ઘરગથ્થુ દૃષ્ટાંતો અને તરત ગળે ઊતરે એવી તર્કસંગત શૈલી-એ બધાંને કારણે એમનાં રોચક વ્યાખ્યાનો સાંભળતાં કેટલાંયનાં હૃદયપરિવર્તન થયાં અને લોકોની ધર્માભિમુખતા વધતી. સં. ૧૯૬૪નું ચાતુર્માસ પણ મહારાજશ્રીને ફરી સુરતમાં જ કરવું પડ્યું. સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા જૈન સંઘોની માગણી એટલી બધી હતી કે મહારાજશ્રીએ એક નવો જ માર્ગ અપનાવવો પડ્યો. રોજ વહેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy