SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજરામરસવામી લીંબડીમાં સ્થિરવાસ કરવો પડ્યો હતો. લીંબડીમાં તેમને મળવા માટે ચારે બાજુથી અનેક સંત-સતીઓ પધારતાં. એક વખત અમદાવાદથી શત્રુંજયની યાત્રાનો મોટો સંઘ નીકળ્યો હતો. તે લીંબડી થઈને પસાર થતો હતો. તે સંઘમાં આવેલા કેટલાક યતિઓ અજરામરજી સ્વામીને મળવા આવેલા અને તેમની સાથે સંસ્કૃત ભાષામાં શાસ્ત્રચર્ચા કરતી વખતે તેઓ બહુ જ પ્રભાવિત થયા હતા. વિ. સં. ૧૮૬૮ના ચાતુર્માસમાં અજરામરસ્વામીની તબિયત વધુ બગડતી ગઈ. દીક્ષા પર્યાયનાં પચાસ વર્ષ અને આચાર્ય પદવીનાં પચીસ વર્ષ તેમણે પૂરાં કર્યો. પોતાનો અંતકાળ નજીક આવતો જાણીને તેમણે સંથારો લઈ લીધો. ક્ષમાપના કરી લીધી. નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં શ્રાવણ વદ-૧ની રાત્રે એક વાગે તેમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ઝડપથી ચારે બાજુ પ્રસરી ગયા અને શ્રાવણ વદ ૨ ના દિવસે એમના દેહના અગ્નિસંસ્કાર વખતે ચારે બાજુથી હજારો માણસો આવી પહોંચ્યા હતા. લગભગ બાસઠ વર્ષના આટલા અલ્પ આયુષ્યકાળમાં સ્વ. પૂ. અમરામરજી સ્વામીએ ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી. જેનશાસન ઉપર તેમનો ઘણો બધો ઉપકાર રહ્યો છે. પોતાની હૃદયની વિશાળતા અને ઉદારતાને કારણે જેનોના તમામ સંપ્રદાયના લોકોનાં તેમ જ જૈનેતર લોકોનાં હૃદયમાં તેમણે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એથી જ એમના નામથી ઠેર ઠેર જુદી જુદી સંસ્થાઓની સ્થાપના થઈ છે અને બે સૈકા પછી પણ અનેક લોકો એમનું ભાવપૂર્વક સ્મરણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy