SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલજી મહારાજ ૧૫૯ ખરતરગચ્છના સાધુ હતા. પરંતુ પાટણમાં તે લગભગ બધા જ તપગચ્છના શ્રાવકો હતા. એટલે સંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતી કરી કે, સાહેબ, આપ અમને તપગચ્છની ક્રિયા કરાવશો ?' સાધુમહારાજ પોતાની સામાચારી સામાન્ય રીતે બદલે નહિ, પણ મહારાજશ્રીએ કહ્યું, “હા, જરૂર ! મહાનુભાવો ! મુક્તિ તો ન ખરતર મેં હૈ ન તપગચ્છ મેં. મુક્તિ તો આત્મા મેં હૈ, જિસકો ક્રિયા કરની હો વો બેઠ જાઓ.’ આમ પોતાની ખરતરગચ્છની સામાચારી છોડીને મહારાજશ્રીએ સંઘના લાભાર્થે પોતાના માટે તપગચ્છની સામાચારી સ્વીકારી લીધી હતી, જે એમણે જીવનના અંત સુધી ચાલુ રાખી હતી. સં. ૧૯૫૭માં મહારાજશ્રી સુરતમાં ચાતુર્માસ માટે બિરાજમાન હતા તે વખતે જયમલ નામના એક જૈન ભાઈ, જૈન દીક્ષા છોડીને ખ્રિસ્તી થઈ ગયા હતા. તે વખતે બુદ્ધિસાગરજી મહારાજે, “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો નામનું પુસ્તક પ્રગટ કરીને જયમલના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. મહારાજશ્રી તે વખતે યુવાન સાધુ બુદ્ધિસાગરજીના સંપર્કમાં આવ્યા હતા અને એમનાં પાંડિત્ય અને બુદ્ધિમત્તાથી પ્રભાવિત થયા હતા. બુદ્ધિસાગરજીને માટે પંડિતો રોકી એમને અભ્યાસમાં સગવડ કરી આપવા માટે મહારાજશ્રીએ સુરતના સંઘને ભલામણ કરી હતી. સુરતમાં મોહનલાલજી મહારાજ બિરાજમાન હતા ત્યારે એમણે ગોપીપુરામાં એક શ્રેષ્ઠી શ્રી મંછુભાઈના ઘરે રાખેલા ઘર-દેરાસરમાં સ્ફટિકનાં ચાર સુંદર પ્રતિમાજી જોયાં. તે વિશે મહારાજશ્રીએ પૂછ્યું તો મંછુભાઈએ કહ્યું કે, “આ પ્રતિમાજી મૂળ ક્યાંથી આવ્યાં છે તેની કોઈ માહિતી મળતી નથી; પરંતુ અમારા એક વડવા શેઠ મૂળચંદ વર્ધમાને વિ. સં. ૧૮૬૩ના જેઠ સુદ-૩ના દિવસે અમદાવાદમાં જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજીના પટ્ટધર શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજીના હાથે આ ચારેય પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી હતી. ત્યાર પછી તેને સુરત લાવી અમારા ઘર-દેરાસરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ અઢીસો વર્ષથી વંશપરંપરાથી આ જિનબિંબોની પૂજા-ભક્તિ અમારા ઘરમાં નિયમિત થતી આવી છે. હવે અમારું આ ઘર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy