SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો જોઈએ. આ રીતે આચાર્ય એ શિષ્યની શંકાઓનું કેવી રીતે સમાધાન કરવું જોઈએ તેની પણ વિસ્તારથી ચર્ચા કરાઈ છે. બીજા શબ્દોમાં શિષ્યની સાથે-સાથે ગુરુની જવાબદારીનો બોધ પણ સ્પષ્ટ કરાયો છે. સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ જાળવી રાખવાનું છે. આ પાઠ શુધ્ધિની સાધના છે. આગમગ્રંથોમાં આવેલા સ્વર અને વ્યંજનનો ખોટો ઉચ્ચાર ન કરવો તે જ વ્યંજનાચાર છે. કારણ કે ઉચ્ચારણભેદથી પાઠભેદ અને પાઠભેદથી અર્થભેદ થવાની શક્યતા રહે છે. માટે તે યુગમાં જ્યારે સંપૂર્ણ જ્ઞાન શ્રુતપરંપરાથી વંચિત રહેતું હતું ત્યારે વ્યંજનાચારનું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. વસ્તુતઃ આ ગ્રંથના મૂલપાઠને યથાવત્ સુરક્ષિત રાખવાની એક શૈક્ષણિક પ્રણાલી હતી. જે આગમપાઠોને યથાવત્ તથા પ્રમાણિક બનાવી રાખવા માટે આવશ્યક હતી. આ બાબતમાં ઉત્તરાધ્યયન ૧૧માં અધ્યયનના આધારે કોણ વ્યક્તિ શ્રદ્ધા યોગ્ય બહુશ્રુત બની શકે છે તેની વિવેચના કરાઈ છે. ઉત્તરાધ્યયનના પ્રથમ અને ૧૧મા અધ્યયનમાં તથા દશવૈકાલિકના નવમા અધ્યયનમાં વિનીત - અવિનીતના લક્ષણોની વિસ્તૃત ચર્ચા છે. એવી રીતે સુયોગ્ય શિષ્યએ કેવો વ્યવહાર ન કરવો જોઈએ, તે બાબતમાં દશાશ્રુતસ્કંધમાં તેત્રીસ આશાતનાનો ઉલ્લેખ છે. અનુયોગકર્તાએ આ બધા તથ્યોનો પ્રસ્તુતકૃતિમાં સંકલન કરી દીધું છે. ઉપધાનાચાર : જૈન પરંપરામાં જ્ઞાનસાધનાને તપસાધના સાથે જોડી છે. તેને તેની પારંપરિક ભાષામાં ઉપધાન કહેવાય છે. પ્રાચિનકાલથી જ તેના આ તથ્યના સંકેત ઉપલબ્ધ થાય છે કે કયા આગમનું અધ્યયન કરતી વખતે શિષ્યને કયું તપ કરવું જોઈએ, આ રીતે એક બાજુ જૈનાચાર્યોએ જ્ઞાનસાધના અને તપ સાધનાને પરસ્પર જોડેલી છે. તો આગમ સાહિત્યમાં એવા પ્રસંગ છે જેમાં નવદીક્ષિત અને અધ્યયનશીલ શિષ્ય માટે દીર્ઘકાલિન તપનો નિષેધ કરાયો છે. અનિન્હવાચાર : અનિન્હવાચારનો સામાન્ય અર્થ છે કે સત્ય સિદ્ધાંત અને પોતાના વિદ્યાગુરુના નામને છૂપાવવું ન જોઈએ. સામાન્યતઃ વ્યક્તિ પોતાને બહુશ્રુત કે વિદ્વાન સિદ્ધ કરવાને માટે પોતાના જ્ઞાનદાતા ગુરૂની ઉપેક્ષા કરે છે. તેનાં નામાદિ નથી બતાવતા. આ પ્રસંગ વિશેષરૂપથી જ્યારે શિષ્ય અને ગુરુમાં મતભેદ ઉપસ્થિત થાય છે. અને તે પોતાના ગુરૂથી પૃથક થઈને સ્વયં સ્વાધ્યાય : પોતાના નામથી સિદ્ધાંતનો પ્રચાર કરે છે. નિન્દ્વવ શબ્દનો અર્થ સત્યને છૂપાવવું એ છે. અનેક વખત વ્યક્તિ સત્યને જાણતો હોવા છતાં પણ પોતાની ચારિત્રિક નિર્બળતાને કારણે કે પોતાની સુવિધા માટે તેને તોડી-મોડીને વ્યાખ્યાયિત કરે છે. આ રીતની પ્રવૃત્તિ સામાન્યતઃ સુવિધાવાદ, શિથિલાચારી વ્યક્તિઓમાં હોય છે. વસ્તુતઃ નિન્તવાચારનું તાત્પર્ય એ છે કે વ્યક્તિને પોતાના અહંકારનું પોષણ માટે અથવા પોતાની નબળાઈને છૂપાવવા માટે સત્યને વિકૃત ન કરવું જોઈએ. વસ્તુતઃ આ એક પ્રકારે જ્ઞાનમાં પ્રમાણિક બની રહેવાની શિક્ષા છે. જૈનધર્મમાં આગમપાઠોને પોતાની સુવિધા માટે તોડ-મોડ કરવાનું ઠીક નથી મનાયું. વ્યંજનનાચાર, અર્થાચાર અને ઉભયાચાર : જૈન પરંપરામાં સ્વાધ્યાયને જ્ઞાન સાધનાનું અનિવાર્ય અંગ મનાયું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મુનિની દૈનિકચર્યાનું વિવેચન કરતાં દિવસ અને રાત્રિના આઠ પ્રહરમાં ચાર પ્રહર સ્વાધ્યાય માટે, બે પ્રહર ધ્યાન માટે, એક પ્રહર શારીરિક આવશ્યકતા પૂર્તિ માટે અને એક પ્રહર નિદ્રા માટે નિશ્ચિત કરાયેલ છે. તેનાથી જૈન સાધનાના ક્ષેત્રમાં જ્ઞાનની ઉપાસનાનું વ્યંજનાચારનું તાત્પર્ય શબ્દોના ઉચ્ચારણની શુદ્ધતાને કેટલું મહત્ત્વ છે તે સ્પષ્ટ થઈ જાય છે. જૈનાગમોમાં અને ૫૨વ 55 Jain Education International For Private Personal Use Only આવી રીતે આગમમાં આવેલા પ્રત્યેક શબ્દનો તેના સંદર્ભને અનુકૂલ સાચો અર્થ કરવો અર્થાચાર છે. સામાન્યતઃ પ્રત્યેક ભાષામાં અને વિશેષરૂપથી પ્રાકૃતભાષામાં એક જ શબ્દ વિભિન્ન અર્થમાં પ્રયુક્ત થતા હોય છે. જેવી રીતે "સુહ” શબ્દ "સુખ" અને "શુભ” બંનેનો વાચક છે. તથા સત્ય શબ્દ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનો વાચક છે. માટે આમિક પાઠોના અર્થ નિર્ધારણ કરવામાં પ્રમાણિકતા જાળવી રાખવા એ આવશ્યક મનાયું છે કે અધ્યયનમાં શુદ્ધ ઉચ્ચારણ અને સમ્યક્ અર્થનું પ્રતિપાદન આવશ્યક છે. શબ્દના ઉચ્ચારણ અને અર્થ નિર્ધારણની સંયુક્ત પ્રક્રિયા તદુભયાચાર કહેવાય છે. જ્ઞાનાર્જનના ક્ષેત્રમાં અને તેના પ્રતિપાદનના ક્ષેત્રમાં કઈ પ્રકારની સાવધાની અપેક્ષિત છે તેની ચર્ચા સૂત્રકૃતાંગમાં ઉપલબ્ધ થાય છે. તેમાં કહ્યું છે કે શાસ્તા પ્રત્યે શ્રદ્ધા રાખતા શ્રમણે આગમનું અન્યથા ઉચ્ચારણ ન કરવું જોઈએ અને આગમના અર્થ છૂપાવવો ન જોઈએ કે દૂષિત ન ક૨વો જોઈએ. ગુરૂ પાસેથી જેવી રીતે સૂત્રાર્થની વ્યાખ્યા સાંભળી હોય તેને ગુરુના નિર્દેશપૂર્વક ઉચ્ચારણથી અર્થભેદ થાય છે. અર્થભેદથી ક્રિયાભેદ થાય છે. યથાવત્ પ્રતિપાદિત કરવી જોઈએ. કારણ કે સૂત્રના અશુદ્ધ પ્રક્રિયાભેદથી સમ્યક્ આચારના અભાવમાં નિર્જરા નથી થતી અને નિર્જરાના અભાવમાં મોક્ષ નથી થતો. આ રીતે આગમપાઠની ઉચ્ચારણ શુદ્ધતા અને તેના પ્રસંગાનુસાર સમ્યક્ અર્થનું પ્રતિપાદન જ્ઞાનાર્જન પ્રક્રિયાની એક આવશ્યક શરત છે. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy