SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં ઉબરદત્ત કથાનક : સૂત્ર ૨૯૯ ખાવાનો ઉપદેશ આપતો અને આ પ્રમાણે ઘેટાં, રોઝ, સુવર, મૃગ, શિયાળ, ગાય, ભેંસનું માંસ ભક્ષણ કરવાનો ઉપદેશ આપતો, કોઈને તેતરનું માંસ ખાવાનો આદેશ આપતો, કોઈને બટર, લાવક, કબૂતર, મરધી, મોર, પક્ષીનું માંસ ખાવાનો ઉપદેશ આપતો તથા અનેક બીજા પણ જળચર, સ્થળચર, ખેચર જીવોનું માંસ ખાવાનો ઉપદેશ આપતે. સ્વયં પોતે પણ ધન્વન્તરિ વૈદ્ય તે અનેકવિધ મસ્ય માંસ યાવત્ મોરનું માંસ તથા બીજા અનેક જળચર, સ્થળચર, નભચર જીવોનું માંસ તથા મત્સ્ય રસ યાવત્ મયૂર રસમાં પકવેલા, તળેલા, બાફેલા માંસ સાથે સુરા, મધુ, મેરક, જાતિ, સીધું અને પ્ર -ન્ના આદિ મદિરાઓનો આસ્વાદન, વિસ્વાદન, વિતરણ કરતો અને ભાગવતો જીવન વ્યતીત કરો. હતો. નરકોષપાત૨૯૮. ત્યાર બાદ તે ધન્વન્તરિ વૈદ્ય આ પ્રમાણે પાપમય કર્મોની પ્રધાનતા, આ પ્રમાણેની વિદ્યા અને આ પ્રમાણેની પ્રવૃત્તિથી અત્યન્ત સઘન પાપકર્મોનું ઉપાર્જન કરીને બત્રીસ સા વર્ષનું ઉત્કટ આયુષ્ય ભોગવીને કાળ સમયે કાળ પામીને છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ઉમ્બરદત્તની વર્તમાનભવ કથા૨૯૯. ત્યાર બાદ તે ગંગદત્તા ભાર્યા જાતવંધ્યા હતી કે જેનાં બાળક ઉત્પન્ન થતાં જ વિનારા પામતાં મરી જતાં.. ત્યાર બાદ તે ગંગદત્તા સાર્થવાહીને કોઈ એક સમયે મધ્યરાત્રિએ કુટુંબ સંબંધી ચિંતાને કારણે જાગતાં આ પ્રમાણે આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાતિ મનોગત સંક૯૫ ઉત્પન્ન થયા કે “હું ઘણા સમયથી સાગરદન સાર્થવાહ સાથે મનુષ્ય સંબંધી પ્રધાન કામ ભોગો ભોગવતી વિચરણ કરી રહી છું, પરંતુ મેં એક પણ બાળક અથવા બાલિકાને જન્મ નથી આપ્યો. તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુણ્યશાળી છે, તે માતાઓ કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૂતલક્ષણા છે, પૈભવશાળી છે, તે માતાઓએ મનુષ્ય જન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કર્યું છે, હું માનું છું કે જેમને સ્તનપાનમાં લુબ્ધ, મધુર ભાષણથી યુક્ત, મમ-મમ-રૂપ અવ્યક્ત ધ્વનિ કરનાર, સ્તનમૂળથી કક્ષા ભાગ સુધી અભિસરણ કરનાર, સરળ, કમલ સમાન કેમળ, હાથમાં ઉપાડીને ગોદમાં બેસાડી શકાય અને પુન:પુન: સુમધુર કાલી કાલી ભાષામાં માતા સાથે સંભાષણ કરનાર પોતાની કુખમાં ઉત્પન્ન થયેલ સંતાન છે. તો અધન્ય, પુણ્યહીન, અકૃતપુ છું જે આ પૂર્વોક્ત બાલાચિત ચેષ્ટાઓમાંથી એક પણ પ્રાપ્ત ન કરી શકી. આથી મારા માટે શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતમાં પરિવર્તન થયા પછી યાવતુ સૂર્યોદય થયા પછી, જાજવલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી સાગરદત્ત સાથેવાહને પૂછીને ઘણા બધા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર લઈને ઘણી બધી સખીઓ, જ્ઞાતિની સ્ત્રીઓ, સ્વજન, સંબંધી સ્ત્રીઓ અને પરિજનોની મહિલાઓ સાથે પાટલિખંડ નગરમાંથી નીકળી, બહાર જ્યાં ઉમ્બરદત્ત યક્ષનું યક્ષાયતન છે, ત્યાં જઈને ઉમ્બરદત્ત યક્ષની મહામૂલ્યવાન પુષ્પાર્ચના કરીને અને તેના ચરણોમાં મસ્તક નમાવીને આ પ્રમાણે માનતા રાખીશ- હે દેવાનુપ્રિય! જો હું જીવિત બાળક અથવા બાળાને જન્મ આપું તો હું તમારા યાંગ, પૂજા, દાન, ભાગ અને અક્ષયનિધિભંડારમાં વૃદ્ધિ કરીશ.” આ પ્રમાણે ઈપ્સિન વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવાનો તેણે નિશ્ચય કર્યો. નિશ્ચય કરીને બીજા દિવસે રાત્રિનું પ્રભાગરૂપે પરિવર્તન થયા પછી યાવતુ સહસ્રરશ્મિ દિનકર જાજવલ્યમાન નેજ સહિત પ્રકાશિત થયા પછી જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતો, ત્યાં તે ગઈ, ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy