SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ “ધર્મકથાનગ–મહાવીર-તીર્થમાં રથમુસલ સંગ્રામમાં કાલાદિ મરણ કથાનક : સૂત્ર કર તે શ્રેણિક રાજા તાલપુટ વિષ મોંમાં મૂકતાં જ એક ક્ષણ બાદ વિષની અસર થવાથી નિપ્રાણ, નિચેત, જીવનરહિત થઈને જમીન પર ઢળી પડયો. કણિકને શેક,શેકા૫ગમ અને નિજભ્રાતાઓમાં રાજયવિભાજન– ૪૨. તત્પશ્ચાત્ તે કેણિકકુમાર જ્યાં કારાગૃહ હતું, ત્યાં ગયા, જઈને પોતાના પિતા કોણિક રાજાને નિષ્માણ, નિશ્ચત, જીવનરહિત અને જમીન પર પડેલો જોયે, જોઈને મહાન પિતૃશોકમાં ડૂબીને કુહાડીથી કાપવામાં આવેલ ચંપકવૃક્ષની જેમ પછડાટ ખાઈને જમીન પર પડ્યો. હત્યા ઇચ્છતો હતો, હે માતા ! આ પ્રમાણે મને મારી નાખવા ઈચ્છતો હતો, બાંધવા ઇચ્છતો હતો, નિષ્કાસિત કરવા ઇચ્છતો હતો. તો હે માતા, શ્રેણિક રાજા મારા પ્રતિ અત્યંત સ્નેહ અને અનુરાગયુક્ત કેવી રીતે કહેવાય?” ત્યારે ચલણાદેવીએ કેણિક રાજાને આ પ્રમાણે કહ્યું—“હે પુત્ર! વાત એમ છે કે તું જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે લગભગ ત્રણ માસ પૂર્ણ થયા પછી મને આ અને આ પ્રમાણેને દોહદ ઉત્પન્ન થયો-[તે માતાએ ધન્ય છે–આદિથી શરૂ કરીને અંગપરિચારિકાઓ દ્વારા ફેંકાવ્યો આદિ–તેમજ જ્યારે તું વેદનાથી પીડિત થઈને મોટે-મોટેથી રોતો આદિ શાંત થઈ જતા પયન સમસ્ત વણ ન પૂર્વવત્ અહીં જાણવું જોઈએ. આ પ્રમાણે હે પુત્ર ! શ્રેણિક રાજા અત્યંત સ્નેહ અને અનુરાગયુક્ત હતો.” કેણિકનું શ્રેણિકના બંધન છોડવા જવું– ૪૦. તપ્તશ્ચાત્ કેણિક રાજાએ ચેલણાદેવીની આ વાત સાંભળીને અને સમજીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું—“હે માતા ! મેં દેવરૂપ, ગુરુજન, પૂજ્ય, અત્યંત સ્નેહ અને અનુરાગ યુક્ત શ્રેણિક રાજાને કેદમાં નાખીને બહુ ખરાબ કામ કર્યું છે. તો હું જઉં અને મારા હાથે જ શ્રેણિક રાજાની બેડીઓ તોડું” એમ કહીને હાથમાં તલવાર લઈને જ્યાં કારાગૃહ હતું તે તરફ જવા તે ઉતાવળો થયો. શ્રેણિકે કરવું તાલપુટ વિષભક્ષણ અને તેનું મરણ ૪૧. ત્યાર બાદ શ્રેણિક રાજાએ હાથમાં તલવાર લઈને આવતા કેણિકકુમારને જોયો અને આ પ્રમાણે વિચાર્યું-“આ અપ્રાર્થિત યાવત્ શ્રી-હી થી રહિત કોણિકકુમાર હાથમાં તલવાર સાથે ઝડપથી ચાલતો આ તરફ આવી રહ્યો છે, કેણ જાણે એ મને ક્યા કમોતે મારશે !” આમ વિચારીને ભયભીત યાવનું ભયગ્રસ્ત થઈને તાલપુટ વિષ માંમાં મૂકી દીધું. ત્યારે તદનન્તર થોડી ક્ષણો બાદ કળ વળતાં તે કેણિકકુમારે રુદન, આક્રન્દ, શોક અને વિલાપ કરતાં આ પ્રમાણે કહ્યું -“અહો ! મેં અભાગિયાએ, પાપીએ પ્રિય, દેવરૂપ, અત્યંત સ્નેહ અને અનુરાગ યુક્ત શ્રેણિક રાજાને કેદમાં નાખીને બહુ ખરાબ કર્યું છે. મારે કારણે જ શ્રેણિક રાજા કાળ પામ્યા. આ પ્રમાણે વિચાર કરીને ઈશ્વર તલવર યાવતુ સંધિપાલો સાથે રુદન, આક્રદ અને વિલાપ કરતા મહાન ઋદ્ધિ સત્કાર અને અભ્યદય સાથે શ્રેણિકરાજાની અંતિમ ક્રિયા કરી. તપશ્ચાતુ તે કેણિકકુમાર આ મહાન મનોગત માનસિક દુ:ખથી પીડિત થઈને કોઈ એક દિવસ અંત:પુર પરિવારથી ઘેરાઈને ધન, ધાન્યાદિ ઉપકરણો લઈને રાજગૃહમાંથી નીકળ્યો અને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો, ત્યાં સમ્યફ વિપુલ ભૌગોથી સમન્વિત થઈને સમય જતાં શોકરહિત થઈ ગયો. તદનન્તર તે કેણિક રાજાએ કઈ એક દિવસ કાલ આદિ દસ કુમારોને બોલાવ્યા, બોલાવીને રાજ્ય યાવતુ જનપદને અગિયાર ભાગમાં વિભાજિત કર્યું, વિભાજિત કરીને સ્વયં રાજ્યશાસન અને પ્રજા પાલન કરતો સમય વ્યતીત કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy