SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ધમકથાનગ–મહાવીર-તીર્થમાં શ્રેણિક-ચેલણાના અવલોકનથી... કથાનક : સૂત્ર ૧૩ સાધુ-સાધ્વીઓએ ઉત્તર આપ્યો-“ભદન્ત ! હા, તમારું કથન રસત્ય છે.' ત્યારે ભગવાન મહાવીરે તેમને સમજાવતાં કહ્યું-“આયુષ્પન્ શ્રમણો ! મારા ધર્મમાં મેં કહ્યું છે અથવા મેં ધર્મોપદેશ આપ્યો છે યથા થાવત્ આ પ્રમાણે તે આયુમનું શમણો ! આ અનિદાનનો આ પ્રમાણે કલ્યાણપ્રદ ફળવિપાક હોય છે કે જે તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુ:ખોને અંત કરે છે.' ૧૩. ત્યારે તે બધા નિગ્રંથ અને નિર્ગન્થિની ઓએ શ્રમણ ભગવાન મહાવીરની આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને તે સ્થાન (અયોગ્ય કાર્ય)ની આલોચના-પ્રતિક્રમણ કરી યાવત્ પ્રાયશ્ચિત્ત તેમ જ તપકર્મનો સ્વીકાર કર્યો. ૨. રથમુસલ-સંગ્રામ રથમુસલમાં વજઇ (રાજાઓ)ના જયનું નિરૂપણ-- ૧૪. “હે ભગવનું ! અહંતે જાણ્યું છે, અહંતે પ્રત્યક્ષ કર્યું છે, અહંતે વિશેષ પ્રકારે જાણ્યું છે કે રથમુસલ નામે સંગ્રામ થયો હતો. તે ભગવદ્ ! જ્યારે રથમુસલ નામે સંગ્રામ થયો હતો ત્યારે કેનો વિજય થયો, અને કોનો પરાજય થયો ?” ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું. ભગવાને ઉત્તર આપ્યો-“હે ગતમ! વજજી વિદેહપુત્ર (કેણિક) અને અસુરેન્દ્ર, અસુરકુમાર રાજા ચમાર જીત્યાં અને નવ મલ્લકિ અને નવ લેછકિ રાજાઓ પરાજય પામ્યા હતા. કહ્યું-“હે દેવાનુપ્રિયો ! શીધ્ર ભૂતાનંદ નામના હસ્તીને તૈયાર કરો, અને ઘોડા, હાથી, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગ સેનાને તૈયાર કરે, તૈયારી કરી મારી આશા જલદી પાછી આપો-હાથી વગેરેને સુસજ્જિત કર્યાની મને સૂચના આપો.” ત્યારબાદ તે કોણિક રાજાના આ આદેશને સાંભળીને તે કૌટુંબિક પુરુષે હૃષ્ટ-તુષ્ટ, આનંદિત ચિત્તવાળા થઈ–ચાવતુ-મસ્તક પર અંજલિ કરીને “હે સ્વામિનુ જેવી આશા.” એમ કહીને આજ્ઞા અને વિનય વડે વચનનો સ્વીકાર કર્યો. વચનનો સ્વીકાર કરીને કુશળ આચાર્યોના ઉપદેશ વડે તીક્ષ્ણ મતિકલ્પનાના વિકલ્પોથી વિચાર કરીને પોતાની ચતુરાઈથી યુદ્ધમાં કામ આવે તેવા તૈયાર કરેલ-થાવત્ -ભયંકર અને જેની સાથે કઈ યુદ્ધ ન કરી શકે એવા ભૂમાનંદ નામના શ્રેષ્ઠ હાથીને ઉજવળ વસ્ત્રાભૂષણો વગેરેથી સુસજ કર્યો, ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને યુદ્ધ માટે તૈયાર કરી, તૈયાર કરીને જ્યાં કેણિક રાજા હતા, ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી નખ સહિત દસે આંગળીઓ જોડી મસ્તક પર અંજલિ રચી કેણિક રાજાને તેમની આજ્ઞા પાછી આપી અર્થાતુ તૈયારી કર્યાની જાણ કરી. ત્યારબાદ તે કેણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સ્નાન ક્રિયા, બલિકર્મ કરી પ્રાયશ્ચિત્તતપ (વિનોનો નાશ કરનાર) કૌતુક અને મંગલ કરી, સર્વ અલંકારોથી વિભૂષિત થઈ, સન્નદ્ધ બદ્ધ થઈ–બખતરને ધારણ કરી, વાળેલા ધનુદંડને ગ્રહણ કરી, ડોકમાં આભૂષણ પહેરી, ઉત્તમોત્તમ ચિહ્નપટ્ટ બાંધી, આયુધ અને પ્રહરણોને ધારણ કરી, માથે ધારણ કરાતા કેરંટક પુષ્પની માળાવાળા છત્ર સહિત જેનું અંગ ચાર ચામરના વાયુ વડે વીંજાતું હતું, જેના દર્શનથી લોકો દ્વારા મંગલ રૂપ કેણિકનું યુદ્ધસ્થાન૧૫. ત્યારબાદ તે કેણિક રાજા રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણી પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, અને બોલાવીને આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy