SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગશાલક કથાનક : સૂત્ર ૯૨ ૪૧ કરે છે તે આ પ્રમાણે–ચરમપાન ચાવતુ....અંત કરશે અને વળી અયંપુલ ! તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર જે શીતળ માટીથી..યાવતુ...વિહરી રહ્યા છે, તેમાં તે ભગવાન આ ચાર પાનક અને ચાર અપાનકનું નિરૂપણ કરી રહ્યા છે. તે પાનક ક્યા પ્રકારનું છે ?...ચાવતુ...ત્યાર પછી સિદ્ધ થાય છે...યાવતુ અંત કરે છે. તો હે અયંપુલ ! તું જા. આ જ તારા ધર્માચાર્ય ધર્મોપદેશક ગોશાલ મખલિપુત્ર પાસે તારા આવે આ પ્રકારને પ્રશ્ન કરજે.” ૯૨. ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા આ પ્રમાણે કહેવાતાંની સાથે તે અયંપુલ આજીવિક ઉપાસક હૃ-તુષ્ટ થઈને ઊઠીને ઊભે થયે, ઊભા થઈને જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો ત્યાં જવા માટે નિર્ધાર કર્યો, ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલ સંખલિપુત્રને આંબાની ગોટલી દૂર કરવા માટે છૂપી રીતે સંકેત . ત્યારે તે ગોશાલક મંખલિપુત્રો આજીવિક સ્થવિરોનો સંકેત સમજી લીધો, રામજીને આંબાની ગોટલી એકબાજુ ફેંકી દીધી. ત્યાર પછી તે અયંપુલ આજીવિક ઉપાસક જ્યાં ગોશાલ સંખલિપુત્ર હતો ત્યાં ગયો, જઈને ગોશાલક મંખલિપુત્રની ત્રણ વાર પ્રદક્ષિણા યાવત્ પય્પાસના કરી. “અચંપુલ !” એમ ગોશાલ સંખલિપુત્રો અયંપુલ આજીવિકને આમ કહ્યું—“હે અયંપુલ ! તેં મધ્યરાત્રી કાલે..યાવતું જ્યાં મારું સ્થાન છે, ત્યાં શીધ્ર આવી પહોંચ્યો. હે અચંપુલ ! એ વાત સાચી ? “હાસાચી” “તો આ આંબાની ગોટલી નથી, કેરીની છાલ છે. હલા કેવા આકારની છે ? હલ્લા વાંસના મૂળ જેવા આકારની કહેવાય છે. વીણા વગાડો હે વીરે ! વીણા વગાડો.” ત્યારે તે અપંપૂલ આજીવિક ઉપાસકે ગોશાલક દ્વારા આ આવા પ્રકારના પ્રશ્નની વ્યાખ્યા થતાં હૃષ્ટ-તુષ્ટ થઈને યાવતું..આનંદિન હદયે ગોશાલ મંખલિપુત્રને વંદન નમન કર્યું, કરીને પ્રશ્નો પૂછ્યા, પૂછીને અર્થો જાણ્યા, અર્થે જાણીને ઊઠીને ઊભો થયો, ઊભો થઈને ગશાલ મંખલિપુત્રને વંદનનમન કર્યા, કરીને થાવત્ પાછો ફર્યો. . ગશાલક દ્વારા પિતાના મરણોત્તર નીહરણ અંગે નિર્દેશ– ૪. ત્યાર પછી તે ગોશાલક મંખલિપુત્રને પોતાનું મૃત્યુ નજીક દેખાયું, તે જોઈને તેણે આજીવિક વિરેને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા ! તમે મને કાળ પામેલ જાણીને સુગંધી ગંદકથી સ્નાન કરાવજો, સ્નાન કરાવીને સૂક્ષ્મ રૂંછાવાળા અને સુકોમળ ગંધ કષાય વસ્ત્રથી ગાત્રો લૂછજો, લૂછીને સરસ ગોશીષ ચંદનથી ગાત્રોને લેપ કરજો, લેપ કરીને મહામૂલ્ય હંસ લક્ષણવાળા (દ્વૈત) ઉપરિ વસ્ત્ર પહેરાવજો, પહેરાવીને સર્વ અલંકારથી વિભૂષિત કરજો, કરીને હજાર પુરુષ વડે વહન કરાતી પાલખીમાં બેસાડજો, બેસાડીને શ્રાવસ્તી નગરીમાં ત્રિભેટે યાવત્ માર્ગોમાં મોટા મોટા અવાજથી ઘોષણા કરતાં આ પ્રમાણે બોલજો-“અરે ઓ દેવાનુપ્રિયો ! ગોશાલ મંખલિપુત્ર, જિન શબ્દનો ઉચ્ચાર કરનારા યાવતુ જિન શબ્દને શોભાવતા વિહરી ને આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરમાં અંતિમ તીર્થકરરૂપે સિદ્ધ થયા છે....યાવત્ સર્વ દુ:ખોથી મુક્ત થયા છે.” આમ બહુવિધ રુદ્ધિ - સત્કારથી મારા શરીરને કાઢી જજો.' ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલક મંખલિપુત્રની આ વાત વિનયપૂર્વક સ્વીકારી. સમ્યકત્વ-પરિણામ પૂર્વક ગોશાલકનો કાળવામ૫. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સાત રાત્રી પૂરી થતાં સમ્યકત્વ ઉત્પન્ન થતાં આ પ્રકારનો વિચાર યાવતુ વિક૯૫ થયો-“હું ખરેખર જિન ન હોવા છતાં જિન કહેવડાવતો-જાવત્ જિન શબ્દનો પ્રકાશ કરતો ફરતો હતો. હું તો ગોશાલક મંખલિપુત્ર, શ્રમણ-ઘાતક, શ્રમણમારક અને શ્રમણ-વિરોધી છે. આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy