SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથમિક [] ધર્મકથાનુયોગના પંચમ સ્કંધમાં ભગવાન મહાવીરના શાસનમાં થઈ ગયેલા રતન પ્રવચન નિહ્નવોનાં કથાનકોનું સંકલન છે. ] “નિહ્મવ” જેન પરંપરાના એક પારિભાષિક શબ્દ છે. “ ને ' ઉપસર્ગ પૂર્વક “ ટ્રમ્ ' ધાતુનો અર્થ છે-અપલાપ કરવો. જે વ્યક્તિ કોઈ આપ્ત પુરુષના રિદ્ધાન્તને માનવા છતાં, કઈ વિશેષ બાબતમાં આગ્રહ કે અભિનિવેશપૂર્વક વિરોધ કરે છે અને પછી પોતાના દુરાગ્રહને કારણે પોતે એક અલગ મતનો પ્રવર્તક બની બેસે છે–તેને નિહ્નવ કહેવામાં આવે છે. [] ભગવાન મહાવીરના શાસનમાં આવી જાતના રસાત પ્રવચન-નિહ્નો નીચેના ક્રમે થઈ ગયા ૧. જમાલિ–ભગવાન મહાવીરના સર્વશકાળમાં ૧૬ મા વર્ષે. ૨. તિષ્યગુપ્ત–ભગવાન મહાવીરના સર્વશકાળમાં ૧૬ વર્ષ પછી. ૩. આષાઢ-ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ પછી. ૪. અષમિત્ર-ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૦ વર્ષ પછી. ૫. ગંગ આચાર્યભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૨૮ વર્ષ પછી. ૬. ડુલુક (હગુપ્ત)–ભગવાન મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષ પછી. ૭. ગોષ્ઠામાહિલ-ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ પછી. D સાત નિકૂવામાં ગોશાલકની ગણના નથી કરાતી, પરંતુ તેને પણ નિકૂવવનું માનવામાં આવે છે. આથી આ સ્કંધમાં ગે શાલકનું કથાનક પણ મૂકવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy