SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ——મહાવીર-તીર્થમાં મહાશતક ગાથાપતિ થિાનક : સૂત્ર ૨૩૧ સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી અંતિમ મરણાન્તિક સંલેખના અંગીકાર કરીને અન્ન-જળનો ત્યાગ કરીને જીવન-મરણની ઇચ્છા ન રાખતાં વિચરવા લાગ્યા. સદ્દાપુત્રનું' સમાધિમરણ, દેવલેાકાત્પત્તિ અને તદ્દનન્તર સિદ્ધગમન નિરૂપણ—— ૨૩૧. તદનન્તર તે સદ્દાલપુત્ર શ્રમણાપાસક અનેક પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પાષધાપાસા દ્વારા આત્માને સંસ્કારિત કરી, વીસ વર્ષ સુધી શ્રાવકપર્યાયનું પાલન કરી સમ્યક્ પ્રકારે અગિયાર ઉપાસક પ્રતિમાએ ગ્રહણ કરી, એક માસની સંલેખના દ્રારા આત્માને શુદ્ધ કરી, સાડ ટકના ભાજનોનો અનશન દ્વારા ત્યાગ કરીને, આલાચના, પ્રતિક્રમણ કરી, સમાધિમાં લીન રહી મરણ સમયે મરણ પામીને સૌંધ કલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની સ્થિતિ ચાર પલ્યાપમની બની. પશ્ચાત્ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, રામસ્ત દુ:ખાનો અંત કરશે. ।। સહાલપુત્ર કુંભકાર કથાનક સમાપ્ત | ૧૨. મહાશતક ગાથાપતિ કથાનક રાજગૃહમાં મહાશતક ગાથાપતિ— ૨૩૨. તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશિલક નામનું ચૈત્ય હતુ. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે રાજગૃહ નગરમાં મહાશતક નામના ગૃહસ્થ રહેતા હતા, જે ધન-ધાન્યથી સંપન્ન હતા યાવત્ અનેક માણસા વડે પણ પરાભવ પામે તેવા ન હતેા. તે મહાશતક ગાથાપતિના કોષમાં આઠે કરોડ કાંસ્ય પરિમિત સુવર્ણ મુદ્રા સચિત ધન સ્વરૂપે રાખેલી હતી, આઠ કરોડ કાંસ્ય પરિમિત સુવર્ણ મુદ્રા વ્યાપારમાં પ્રયાતિ હતી અને આઠ કરોડ કાંસ્ય પરિમિત સુવ Jain Education International ૧૫૫ મુદ્રાઓ ઘર-ભવન આદિના વૈભવ પાછળ ખર્ચવામાં આવી હતી. તેના આઠ વ્રજ-ગાકુળ હતા અને પ્રત્યેક વ્રજમાં દસ-દસ હજાર ગાયા હતી. તે મહાશતક ગાથાપતિ ઘણા રાજા યાવત્ કુટુંબીજના વડે સલાહ લેવા યાગ્ય, વિચારવિમર્શ કરવામાં સમર્થ હતા યાવત્ પેાતાના કુટુંબમાં મુખ્ય યાવત્ સર્વ કાર્યમાં નિર્દેશક હતા. તે મહાશતક ગાથાપતિને તેર પત્નીએ હતી, જેમાં રેવતી મુખ્ય હતી. તે બધી શુભ લક્ષણાયુક્ત, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયા અને શરીરવાળી હતી યાવત્ મનુષ્ય સબંધી કામભાગેા ભાગવતી સમય વ્યતીત કરતી હતી. તે મહાશતક ગાથાપતિની પત્ની રેવતી પાસે પિયરથી મળેલી આઠ કરોડ સુવર્ણમુદ્રાઓ તથા દસ-દસ હજાર ગાયાવાળા આવ્રજગાકુળ વ્યક્તિગત સંપત્તિ રૂપે હતા અને શેષ બાર પત્નીએ પાસે પાત-પાતાના પિયરથી મળેલી એક-એક કરોડ સુવર્ણ મુદ્રાએ અને દસ-દસ હજાર ગાયાવાળા એક-એક ગાકુળ વ્યક્તિગત સંપત્તિ રૂપે હતા. ભગવાન મહાવીરનું સમવસરણ— ૨૩૩. તે કાળે, તે સમયે સ્વામી-શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા. દર્શનાર્થે માનવમેદની ઉમટી. કેણિક રાજા વિશે કરેલા વર્ણન પ્રમાણે પાતાના રાજવૈભવનું પ્રદર્શન કરતા શ્રેણિક રાજા પણ દર્શન કરવા ગયા યાવત્ પ પાસના કરી. મહાશતકનું સમવસરણમાં ગમન અને ધર્મ શ્રવણ ૨૩૪, તદનન્તર મહાશતક ગાથાપતિ આ સમાચાર સાંભળીને કે ‘શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા, ગામે-ગામ ફરતા ફરતા અહીંયાં આવ્યા છે, પધાર્યા છે અને આ જ રાજગૃહ નગરની બહાર ગુણશિલક ચૈત્યમાં યથાચિત સાધ્વાચારને અનુરૂપ અવગ્રહ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy