SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુયોગ–પાશ્વનાથ–તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૪૮ પ્રદેશી રાજાની આ વાત સાંભળ્યા પછી કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું – હે પ્રદેશી! જેવી રીતે કોઈ શિખરના ઘાટની ઘુમ્મટ આકારની એક મોટી રડી હોય અને તે અંદર-બહાર ચારે બાજુથી લીંપેલી હોય, સારી રીતે આચ્છાદિત કરેલી હોય, તેનું દ્વાર પણ ગુપ્ત હોય અને હવા પણ તેમાં ન જઈ શકે તેવી ઊંડી હોય. હવે જો આ શિખર આકારની ઘુમ્મટવાળી ઓરડીમાં કોઈ પુરુષ નગારું અને તેને વગાડવાનો ઠંડો લઈને પેસી જાય અને પેસીને તે ધુમ્મટાકાર ઓરડીને એવી રીતે ચારેબાજુથી બંધ કરી દે કે જેથી તેના બારણા વચ્ચે જરા પણ જગ્યા રહે નહીં અને પછી તે ઘુમ્મટાકાર ઓરડીમાં વચ્ચોવચ્ચ ઊભો રહીને તે નગારું અને ઠંડે લઈને જોર જોરથી વગાડે. તો હે પ્રદેશી ! શુ અંદરથી અવાજ બહાર આવે કે ન આવે? અથાત્ બહાર સંભળાય કે નહીં ?” - “હે ભદનત ! તમારા દ્વારા પ્રયુક્ત ઉપમા તે બુદ્ધિવિશેષરૂપ છે, તેનાથી મારા મનમાં જીવ અને શરીરની ભિન્નતાની વાત યુક્તિ પુરસ્સરની લાગતી નથી. કેમકે, વાત એમ છે કે હે ભદન! કેઇ એક વખત હું મારી બાહ્ય ઉપસ્થાનશાળામાં ગણનાયક આદિની સાથે બેઠો હતો, ત્યારે મારા નગરરક્ષકોએ સાક્ષી સહિત કાવત્ એક ચારને હાજર કર્યો. તે પુરુષને જીવરહિત કરી દીધો – મારી નાખ્યા અને મારીને એક લોઢાની કોઠીમાં નખાવી દઈ અને લોઢાના ઢાંકણાથી ઢાંકી દીધો. યાવતુ-વિશ્વાસપાત્ર પુરુષોને ચોકો માટે નિયુક્ત કરી દીધા. ત્યાર પછી કોઈ એક દિવસ જ્યાં ને હતી, ત્યાં હું આવ્યો અને તે કેઠીને ઉઘાડી તો તે લેઢાની કઠીને કૃમિથી ઉભરાયેલી જોઈ. પરંતુ તે લોઢાની કુંભમાં ન તો કોઈ છિદ્ર હતું યાવત્ તિરાડ હતી, કે જેમાંથી તે જીવે બહારથી તેમાં પ્રવેશી શકે. જો તે લોઢાની કેઠીમાં કઈ છેદ હોત યાવત્ તિરાડ હોત તો માની શકાય કે તેમાંથી થઈને જીવ કોઠીમાં પ્રવેશ્યા હશે અને તો હું માની લેત કે જીવ અન્ય છે અને શરી૨ અન્ય છે, પરંતુ તે લોઢાની કઠોમાં કોઈ કાણું ન હતું યાવત્ આથી તે જ સુયોગ્ય છે કે જીવ અને શરીર એક જ છે – જીવ શરીરરૂપ છે અને શરીર જીવરૂપ છે.' તત્પશ્ચાત કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે પૂછ્યું - હે પ્રદેશી ! શું તે પહેલાં કયારેય આગથી તપાવેલું લેટું જોયું છે અને જાતે પણ લોઢાને તપાવરાવ્યું છે? પ્રદેશી – “હા ભદન્ત! જોયું છે.' કેશી કુમારશ્રમણ – ‘તો હે પ્રદેશી ! તપાવ્યા પછી તે લોઢુ પૂરેપૂરું અગ્નિમય બની જાય છે કે નહિ ? પ્રદેશી – “હા ભદન ! બની જાય છે.' કેશી કુમારશ્રમણ – “હે પ્રદેશ! તે લેઢામાં પ્રદેશી – “હા, સંભળાય.” કેશી કુમારશ્રમણ – “પ્રદેશી ! તે ઘુમ્મટાકાર વાળી ઓરડીમાં કોઈ છિદ્ર યાવતુ તિરાડ છે? જેમાંથી અવાજ અંદરથી બહાર નીકળે?” પ્રદેશ – “હે ભગવન! આ વાત શક્ય નથી, અર્થાતું ત્યાં કોઈ છિદ્રાદિ નથી, જેમાંથી અવાજ બહાર આવી શકે.” કેશી કુમારશ્રમણ – “તે તે જ પ્રમાણે છે પ્રદેશી ! જીવ પણ અપ્રતિહત ગતિવાળો છે. તેથી તે પૃથ્વીન ભેદન કરી, શિલાનું ભેદન કરીને, પર્વતનું ભેદન કરીને, અંદરથી બહાર નીકળી જાય છે. તેથી તે પ્રદેશી ! તું એ શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે, જીવ શરીર નથી અને શરીર જીવ નથી.” ૪૮. આ જવાબ સાંભળ્યા પછી પ્રદેશો રાજાએ આ પ્રમાણે કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy