SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માં કથાનુયાગ—પાનાથ-તીમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૩૦ wwwwwwˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇˇm લઈને પણ તેમનું સારી રીતે પાલન અને રક્ષણ કરતા ન હતા. તે પ્રદેશી રાજાની સૂર્યકાન્તા નામની રાણી હતી. તે રાણી હાથ-પગ આદિ અંગોપાંગાથી સુકુમાર હતી−ઈત્યાદિ ધારિણી રાણી સમાન વર્ણન –યાવત્ તે પ્રદેશી રાજા પ્રતિ અનુરક્ત, અતિ સ્નેહશીલ હતી; કયારેય તે એનાથી વિરક્તરૂષ્ટ ન થતી હતી અને ઇષ્ટ-પ્રિય શબ્દ રૂપ આદિ યાવત્ અનેક પ્રકારના મનુષ્ય-સંબંધી કામભાગા ભાગવતી વિચરતી હતી. ૧૭ તે પ્રદેશી રાજાના જ્યેષ્ઠ પુત્ર, સૂર્યકાન્તા રાણીના આત્મજ, સૂર્યકાન્ત નામના રાજકુમાર હતા, જે સુકોમળ હાથ-પગવાળા યાવત્ પ્રતિરૂપઅતીવ મનેાહર હતા. તે સૂર્યકાન્ત કુમાર યુવરાજ પણ હતેા. તે પ્રદેશી રાજાનું રાજ્ય, રાષ્ટ્ર, બળ–સેના, વાહન— રથાદિ, કોશ, કોઠાર ( અન્નભંડાર ), પુર, અંત:પુર અને જનપદની સ્વય' દેખભાળ કરતા વિચરણ કરતા હતા. તે પ્રદેશી રાજાને ઉંમરમાં માટો, મેટા ભાઈની જેવેશ, ચિત્ત નામના સારથી હતા. તે સમૃદ્ધિશાળી યાવત્ કોઈથી ય ગાંજમા ન જાય તેવા હતા. તે સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિ તેમ જ વિચારપ્રધાન વિષયેામાં વિશારદ હતા. ઔપાતિકી યાવત્ પરિણામિકી એવી ચારે પ્રકારની બુદ્ધિથી યુક્ત હતા અને પ્રદેશી રાજાનાં પાતાનાં ઘણાં કાર્યોમાં યાવત્ લેાકવ્યવહારમાં પૂછવા માગ્ય હતા. તે બધા માટે મેઢો ( ખળાના વચલા સ્તંભ જેવાજેની ચારે બાજુ બળદ ફરીને અનાજનાં કણસલાં પીલે છે) સમાન હતા-પ્રમાણરૂપ હતા-યાવત્ રાજ્યની ધુરાના સંચાલક તેમ જ શુભચિંતક હતા. પ્રદેશી રાજા દ્વારા જિતશત્રુ રાજા પાસે ચિત્તસારથીત મેાકલવા— ΟΥ ૩૦. તે કાળે તે સમયે કુણાલ નામનું જનપદ હતું. તે જનપદ વૈભવ સંપન્ન, સ્વ-પરચક્ર (શત્રુઓ). ના ભયથી મુક્ત અને ધનધાન્યથી સમૃદ્ધ હતું યાવત્ પ્રતિરૂપ હતું. Jain Education International For Private ૪૭ wwwwwmm તે કુણાલ જનપદમાં શ્રાવસ્તી નામની નગરી હતી, જે ઋદ્ધિવાળો, સ્લિમિત, સમુ યાવત્ પ્રતિરૂપ હતી. તે શ્રાવસ્તી નગરી બહાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઇશાનખૂણામાં) કષ્ટક નામે ચૈત્ય હતું. તે ચૈત્ય અત્યંત પ્રાચઔન યાવત્ પ્રતિરૂપ હતું. તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાના અંતેવાસી જેવો અર્થાત્ આશાપાલક, આધીન જિતશત્રુ નામે રાજા હતેા, જે મહાહિમવંત આદિ પવા સમાન પ્રખ્યાત હતા યાવત્ (સુખપૂર્વક ) ચિરતા હતા. ત્યાર પછો કોઈ એક સમયે પ્રદેશી રાજાએ મહા ક —વિશિષ્ટ પ્રયાજનવાળે, મહ-બહુમૂલ્ય, મહાપુરુષને આપવા માગ્ય, રાજાઓને આપવા મેગ્ય, વિપુલ ઉપહાર તૈયાર કર્યાં, તૈયાર કરીને ચિત્ત સારથીને બાલાવ્યા, બાલાવીને તેને આ પ્રમાણે કહ્યું — ‘ હે ચિત્ત ! તું શ્રાવસ્તી નગરીમાં જા અને જિતશત્રુ રાજાને આ મહાર્થક યાત્ ઉપહાર ભેટ આપી આવ, તેમ જ જિતશત્રુરાજાની સાથે રહીને ત્યાંની રાજ્યવ્યવસ્થા, રાયચર્ચા, રાજનીતિ અને રાજવ્યવહારને જાતે જોતા, અનુભવતા ત્યાં સમય વિતાવજે.’ આમ કહીને તેને વિદાય ક તદનન્તર તે ચિત્તસારથી રાજાનો આ આશા સાંભળીને હર્ષ પામ્પા-યાવત્-સ્વીકાર કર્યું ને તે મહાર્થક-યાવત્ ભેટ લીધી અને ભેટ લઈને પ્રદેશો રાજા પાસેથી નીકળ્યા, નીકળીને શ્વેતામ્બી નગરીની વચ્ચેથી પસાર થતા તે જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં ગયા, ત્યાં જઈને તે મહાથ ક યાવત્ ભેટને એક બાજુ પર મૂકો, મૂકીને સેવકજનાને બાલાવ્યા અને બાલાોને આ પ્રમાણે કહ્યું : ‘ દેવાનુપ્રિયા ! તમે લેાકો તરત જ સછત્ર અર્થાત્ જેમાં છત્ર હોય તેવો યાવર્તી ચાર ધંટાવાળા અશ્વરથ જોતરી ઉપસ્થિત કરો-યાવત્ આશાપાલન કર્યાની જાણ કરો. ’ Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy