SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–પાર્શ્વનાથતીર્થમાં પ્રદેશ કથાનક : સૂત્ર ૨૮ ૪૫ ત્યારે તે આભિયોગિક દેવેએ સુભદેવની આવી આશા સાંભળી યાવતું સ્વીકારી સૂર્ગભવિમાનના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરે, ચટા, મહામાર્ગ, પ્રાકારે, અટ્ટાલિકાઓ, ચરિકા, દ્વારો, ગેપુરા, તોરણ, આરામ, ઉદ્યાને, વન, વનરાજિઓ, કાનનો, વનખંડમાં જઈ અર્ચના કરી અને પછી જયાં સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા, આવોને આશા પૂર્ણ કર્યાની જાણ કરી. ત્યાર પછી તે સૂર્યાભદેવ જ્યાં નંદા પુષ્કરિણી હતી ત્યાં આવ્યો, આવોને પૂર્વદિશાવની ત્રિોપાનો દ્વારા નંદા પુષ્કરિણીમાં ઊતર્યો, ઊતરીને હાથ-પગ ધોયાં, હાથ-પગ ધોઈને નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યો, નીકળીને સુધર્મા સભા પ્રતિ જવા માટે ઉદ્યત થયો. ત્યાર બાદ તે સુર્યાભદેવ ચાર હજાર સામાનિક દેવ યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા પણ અનેક સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીએથી ઘેરાઈને સર્વ ઋદ્ધિ યાવત્ તુમુલ વાજિંત્રઘોષ સાથે જ્યાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યો, આવીને સુધર્મા સભામાં પૂર્વદિશાવતી દ્વારમાંથી પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો, ત્યાં આવી પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેઠો. ત્યાર બાદ તે સુભદેવની પશ્ચિમોત્તર દિશામાં (વાયવ્ય કોણમાં) અને ઉત્તરપૂર્વ દિશામાં (ઇશાન કોણમાં) રથાપિત ચાર હજાર ભદ્રાસન પર ચાર હજાર સામાનિક દેવે બેઠા. ત્યાર બાદ તે સૂર્યામદેવની પૂર્વદિશામાં ચાર ભદ્રાસને પર ચાર અગમહિલી-પટ્ટરાણીઓ ત્યાર બાદ તે સૂર્યાભદેવના દક્ષિણ-પશ્ચિમદિશા (નૈયણ)માં બાહ્ય પરિષદના બાર હજાર દેવો બાર હજાર ભદ્રાસન પર બેઠા. ત્યાર બાદ તે સૂર્યાભદેવની પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓ સાત ભદ્રાસન પર બેઠા. ત્યાર બાદ તે સુભદેવની ચારે દિશાઓમાં સોળ હજાર આત્મરક્ષક દેવ સોળ હજાર ભદ્રાસને પર બેઠા. તે બધા દરેક દિશામાં ચાર ચાર હજાર બેઠા. તે બધા આત્મરક્ષક દેવે અંગરક્ષણ માટે શરીર પર દઢ કવચ બાંધેલા હતા, દરેકે બાણના ભાથા બાંધેલા હતા, ગળામાં પ્રવેયકો પહેરેલા હતા, પોતપોતાના નિર્મળ શ્રેષ્ઠ સંકેત ચિહનોના ટ્ર ધારણ કરેલા હતા, આયુધ અને પ્રહરણથી તેઓ સજજ હતા, ત્રણ સ્થાન પર નમેલા અને વજુના છેડા (અણી)- વાળાં બાણો અને ધનુષ્ય ધારણ કરેલા હતા, કોઈ નીલરંગના, કઈ પીતરંગનાં ધનુષ્પો હાથમાં ધારણ કરેલા હતા, કોઈના હાથમાં દંડ, કોઈના હાથમાં ચારુ (શસ્ત્રવિશેષ), કેઈના હાથમાં ચામડાનો ગોફણો, કોઈના હાથમાં ખગ, કોઈના હાથમાં પાશ– આવી રીતે નીલ, પીત્ત, રક્ત રંગનાં બાણ–ચારુગોફણ-દડ-ખડ્રગ-પાશ ધારણ કરેલા હતા, બધા એકાગ્ર મનપૂર્વક રક્ષા કરવા પર, સ્વામીની આજ્ઞાનું પાલન કરવામાં સાવધાન, ગુપ્ત . આદેશનું પાલન કરનારા, સેવકોને યોગ્ય ગુણેવાળા, પોતપોતાના કર્તવ્યપાલનમાં ઉદ્યત એવા, વિનયપૂર્વક કિંકરદાસ બનીને રહેતા હતા. સૂર્યાભદેવ અને તેમના સામાનિક દેવાની સ્થિતિનું પ્રરૂપણ૨૮. પ્ર–હે ભગવન્! સૂર્યદેવની ભવસ્થિતિ કેટલા કાળની બતાવવામાં આવી છે? ઉ– હે ગૌતમ! સૂર્યાભદેવની ચાપલ્યો પમની સ્થિતિ બતાવવામાં આવી છે.' 9 – “હે ભગવાન! સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવાની સ્થિતિ કેટલા સમયની બતાવી છે?' ઉ– હે ગૌતમ ! તેમની પણ ચાર પત્યે બેઠી. ત્યાર બાદ તે સૂયભદેવની દક્ષિણપૂર્વમાં (અગ્નિ ખૂણામાં) આવ્યંતર પરિષદ (અંગત સેવક વગ)ના આઠ હજાર દેવે આઠ હજાર ભદ્રાસને પર બેઠા. ત્યાર બાદ તે સૂયભદેવની દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદાના દશ હજાર દેવ દશ હજાર ભદ્રાસન પર બેઠા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy