SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સત્ર ૨૬ ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રાસાદો આવી રહેલા છે. તેના ભૂમિભાગ, ઉલ્લેક, સિંહાસન, અષ્ટમંગલ, વ્રજ, છત્રાત્રિછત્રો વગેરેનું વર્ણન પૂર્વ વર્ણન મુજબ. વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઊંચાઈમાં અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર મહાલયો સોહામણા આવેલા છે. તેમના પણ ભૂમિભાગ, ઉલેક, સિંહાસન ઇત્યાદિનું પૂર્વવત્ વર્ણન સમજવું. વળી, સોહામણા એ ચાર મહાલયોને ઘેરીને ઊભેલા પણ માપમાં તેમના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયો ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ સાડી-બાસઠ ભોજન અને પહોળાઈ એકત્રીશ પોજન ઉપર એક કોશ છે. આ પ્રાસાદોના ભૂમિભાગ, ઉલ્લક, સપરિવાર સિંહાસન, પ્રાસાદો ઉપર આઠ આઠ મંગલ, દવાઓ, છત્રાતિછત્રો વગેરેનું વર્ણન પણ પૂર્વવત્ સમજવું. તે મૂળ પ્રાસાદથી ઉત્તર પૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં એક મોટી સુધમાં સભા આવેલો છે. એની લંબાઈ સે યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઊંચાઈ બહેતર યોજન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણો પૂતળીઓ અને અપ્સરાઓનાં ઝુડે કોતરેલાં છે એવા અનેક મનહર સ્તંભો ઉપર એ સભા રચાયેલી છે. એ સભાને પૂર્વમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દિશામાં ત્રણ મૂકેલાં છે. તે એક એક દ્વાર સેળ થાજન ઊચું અને આઠ યોજન પહેલું છે, તેમ તે દરેકને પ્રવેશમાર્ગ પણ તેટલા જ માપને છે. એ ત્રણે દ્વારા ધોળાં દૂધ જેવાં સુવર્ણમય સૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળાથી અને છત્રાતિછથો વિરાજિત છે. વધારે છે. આનું વર્ણન સુધમાં સભાની જેમ જ સમજવું. [એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે. તે પ્રત્યેક દ્વાર ઊંચાઈમાં સોળ યોજન, પહોળાઈમાં આઠ પોજન છે અને તે દરેકનો પ્રવેશમાગ પણ તેટલા જ માપનો છે. તે બધાં દ્વારે ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ છત્રાત્રિછત્રો અને આઠ આઠ મંગલ શોભી રહ્યાં છે. આદિ પૂર્વવત્ વર્ણન.] વળી, તે પત્યેક મુખમંડપની સામે તેમની જેવા જ સુંદર પ્રેક્ષ ગૃહમંડપે આવેલા છે. આ પ્રેક્ષાગૃહમંડપનું વર્ણન પણ મુખમંડપોની સમાન જાણવું-પાવતુ-ભૂમિભાગ, ચંદરવા વગેરેનું વર્ણન તે એક એક પ્રેક્ષાગૃહમંડપના અતિ રમણીય અને સમતળ ભૂભાગની વચ્ચે એક એક મોટો વામય અખાડે શોભી રહ્યો છે. તે એક એક અખાડાની વચ્ચોવચ્ચ આઠ યોજન લાંબી પહેળી, ચાર યોજન જડી અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સેહી રહી છે. એ મણિપીઠિકા ઉપર એક એક સિંહાસન વગેરે આરામની સામગ્રી ગઠવી રાખેલી છે. તેનું વર્ણન યાવનું ધ્વજા, અષ્ટ મંગળો, છત્રાતિછત્રો, વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપે વણલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ મોજન લાંબી પહોળી અને આઠ યોજન જાડી એવી સુંદર સર્વરત્નમય સ્વચ્છ, નિર્મળ મણિપીઠિકાએ ઢાળેલી છે. તે દરેક મણિપીઠિકાનો ઉપર સોળ ભોજન લાંબા પહોળા અને તે કરતાં ઊંચાઈમાં કાંઈક વધારે ઊંચા તથા સર્વ પ્રકારનાં રત્નોથી ચણેલા, શ્વેત શંખ અને અંક રત્ન જેવા ઊજળા એવા અનેક અપ બાંધેલા છે. એ દરેક સ્તૂપ ઉપર ધજાઓ તોરણો અને આઠ આઠ મંગલો શોભી રહ્યાં છે. તે પ્રત્યેક કારની સામે એક એક મુખ-મંડપ છે. એ મંડપની લંબાઈ સો જન, પહોળાઈ પચાસ યોજના અને ચાઈ સોળ પોજન કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy