SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–પાશ્વનાથ–તીર્થ માં પાર્શ્વસ્થા શ્રમણી સુભદ્રાનું કથાનક: સૂત્ર ૨૩૮ ઈશાન કોણમાં ગઈ અને પોતાની જાતે જ આભરણ-અલંકારો ઉતાર્યા, જેવી રીતે દેવાનંદા તેવી જ રીતે તે પણ પુષ્પચૂલા આર્યા સમીપે પાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ભૂતા નિગ્રંથિનીનું શરીરપ્રાષિક– બાકશત્વ૨૩૮. ત્યાર પછી કોઈક સમયે તે ભૂત આય શરીર બાકુશિકા બની ગઈ–ઘડીએ ઘડીએ પોતાના હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, મુખ ધોતી, સ્તનાંતર ધોતી, કાંખ ધોતી, ગુહ્યાંતર ધોતી, જે જે સ્થાને બેસતી, સૂતી કે સ્વાધ્યાય કરતી તે તે સ્થાન પર પહેલાં જ પાણી છાંટતી અને પછી તે સ્થાને બેસતી, સૂતી કે સ્વાધ્યાય કરતી. ત્યારે તે પુષ્યચૂલા આદિ આર્યાએ ભૂતા આર્યાને આમ કહ્યું- હે દેવાનુપ્રિયે! આપણે ઇર્યાસમિતિ આદિ સમિતિધારી યાવત્ ગુપ્તિયુક્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણીએ છીએ, આપણને શરીર-બાકુશ બનવું શરીરની આળપંપાળ કરનાર થવું) કલ્પે નહીં. પરંતુ હે દેવાનું પ્રિયે ! તું શરીર-બાકુશિકા થઈને વારંવાર હાથ ધુ છે–પાવતુ–સ્વાધ્યાય કરે છે. તો હે દેવાનુપ્રિયે! નું એ પાપસ્થાનની આલોચના કર.” શેષવણન અહીં સુભદ્રા આર્યાની કથા મુજબ જાણવુંથાવત્ અલગ ઉપાશ્રયમાં તે વિચારવા લાગી. આમ તે ભૂતા આર્યા નિરંકુશ, નિયમ મુક્ત અને સ્વચ્છેદાચારી થઈને વારંવાર હાથ ધોતીથાવત્-સ્વાધ્યાય કરવા લાગી. ભૂતાનું રવીપણું૨૩૯. ત્યાર પછી તે ભૂતા ૨ અનેક ચતુર્થ, પૃષ્ઠ. અષ્ટમ, આદિ તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતી, અનેક વર્ષોને શ્રામય-પર્યાય પાળીને, પોતાના તે પાપસ્થાનની આલોચના કે પ્રતિક્રમણ કર્યા વિના, કાળસમયે કાળ કરીને, સૌધર્મકલપના શ્રી અવતંસ નામક વિમાનમાં ૩પપાત સભામાં દેવશય્યામાં યાવત્ અવગાહના દ્વારા શ્રીદેવી રૂપે ઉત્પન્ન થઈ અને પાંચ પર્યાપ્તિ થાવત્ ભાષા-મન-પર્યાપ્તથી પર્યાપ્ત થઈ. એ પ્રકારે હે ગૌતમ! શ્રીદેવીએ આ દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી છે, ઉપલબ્ધ કરી છે. તેની આ દેવલોકમાં એક પલ્યોપમનો સ્થિતિ કહેવાઈ છે. * “હે ભગવન્આ શ્રીદેવી ત્યાંથી ચ્યવન કરી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે?” –ગણધર ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો | ‘મહાવિદેહ ક્ષેત્રમાં ઉપન થઈ સિદ્ધ થશેપાવતુ-સર્વ દુ:ખોનો ક્ષય કરશે.' [ભગવંત મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યો.] પાર્થ ભગવંતની લ્હી આદિ શ્રમણીઓના કથાનકે૨૪૦. એવી જ રીતે અર્થાત્ ઉપરોક્ત કથાનક અનુ સાર જ બાકીના નવે અધ્યયનની કથાઓ સમજવી, આ નરેના વિમાનના નામ સમાન છે. બધી સૌધર્મ ક૯૫માં ઉત્પન્ન થયેલ છે. તેમનાં પૂર્વભવનાં નગર, ચૈત્ય. પિતા-માતા તથા પોતાનાં નામ આદિ સંગ્રહણી ગાથામાં આપેલ નામ સમાન સમજવાં. આ બધી જ ભગવાન પાર્શ્વનાથ પાસે પ્રવૃજિત થઈ, પુષ્પચૂલા આયોની શિષ્યાઓ બની, શરીર–બાકુશિકા બની અને બધી જ દેવલોકથી રવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે-યાવત્ સર્વ દુ:ોનો અંત કરશે. ૭. પાર્થસ્થા શ્રમણ સુભદ્રાનું કથાનક મહાવીર-સમવસરણમાં બહુપુત્રિકા રવીની નાવિધિ ૨૪૧. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણ શિલક ત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવાન મહાવીર સ્વામી સમોસય. દશનાર્થ પરિષદા નીકળી. તે કાળે તે સમયે બહપુત્રિકા દેવી સધર્મ. કલ્પમાં બહુપુત્રિક વિમાનમાં સુધમાં સભામાં બહુપુત્રિક નામે સિંહાસન પર, ચાર હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy