SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીરતીમાં ધન્ય સાÖવાહ કથાનક ઃ સૂત્ર ૬૧૬ wwwmm mmmm સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવીને તે પાંચસો ચારોને ભાજન માટે આમંત્રણ આપ્યુ. ત્યાર પછી સ્નાન કરીને, બિલકમ કરીને ભાજન મંડપમાં તે પાંચસો ચોરો સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા સુરા, મદ્ય, માંસ, સીધુ (મદ્યવિશેષ) અને પ્રસન્ના (મદ્યવિશેષ)ના આસ્વાદ કરતા, ચાખતા, પીરસતા અને સાથે ભાજન કરતા વિચરવા લાગ્યા. ભાજન કર્યા પછી તે પાંચસા ચારાનુ વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા અને અલકારોથી તેણે સન્માન–બહુમાન કર્યું, સન્માનબહુમાન કરીને આ પ્રમાણે કહ્યું— ‘હે દેવાનુપ્રિયા ! રાજગૃહ નગરમાં ધન્ય નામે એક ધનાઢય સાથ વાહ છે. તેની ભાર્યા ભદ્રાની કુક્ષિએ પાંચ પુત્રો પછી જન્મેલી સુ'સુમા નામની પુત્રી છે—જે સર્વાંગસ’પૂર્ણ શરીરવાળી યાવત્–સુરૂપ છે. તે હે દેવાનુપ્રિયા I આપણે જઈએ અને ધન્ય સાવાહના ઘરને લૂ'ટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ ધન, કનક, રત્ન, મણિ, માતી, શ'ખ, પ્રવાળ આદિ બધું તમારું અને સુ'સુમા યુવતી મારી થશે.’ ત્યારે તે પાંચસ ચારાએ ચિલાતની તે વાત સ્વીકારી. www wwww wwˇˇˇˇˇˇmum ૬૧૭. ત્યાર પછી તે ચિલાત ચારસેનાપતિ તે પાંચસા ચારા સાથે આન્દ્રેચ પર બેઠા, બેસીને દિવસના અંતિમ પ્રહરમાં પાંચસા ચારા સાથે કવચ ધારણ કરી તૈયાર થયા, ધનુષબાણના પટ્ટો તેણે કસીને બાંધ્યા, ગળાના રક્ષણ માટે ગ્રેવેયક (ગળાનું કવચ) બાંધ્યું, પાતાની ઓળખાણ માટેના શ્રેષ્ઠ વિમલ પ્રતીકપટ્ટ ધારણ કર્યાં, આયુધા અને પ્રહરણા લીધાં, ગામુખાકૃતિ ફલક (ઢાલ) લીધી, મ્યાનમાંથી તરવારો કાઢી, ખભા પર તીરનાં ભાથી બાંધ્યાં, જાંધ ઉપર ધંટડીએ લટકાવી, ધનુષની દોરી તાણીને બાંધી, બાણા તૈયાર કર્યા. બરછી– ભાલા ઉછળવા લાગ્યા, ગૂચનાં વાજા' વાગવા લાગ્યાં, ચારો વડે જોરજોરથી કરાતા સિંહનાદા ૩૦ Jain Education International ૨૩૩ www અને કોલાહલથી સમુદ્રના ખળભળાટ જેવા અવાજ થઈ રહ્યો. આવી રીતે તે સિ ́હ ગુફા ચારપલ્લીમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા, આવીને રાજગૃહથી અતિ દૂર નહીં' તેમ અતિ નિકટ નહીં તેવી એક સઘન ઝાડીમાં છુપાઈ ગયા અને છુપાઈને સૂર્યાસ્ત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી તે ચાર સેનાપતિ ચિલાત અડધી રાત સમયે જ્યારે ચારે તરફ શાંતિ અને સુમસામ વાતાવરણ થઈ ગયુ` ત્યારે પાંચસો ચારો સાથે ગોમુખાકાર ઢાલ બાંધીને—માવત્ જાંધ પર ઘંટડીએ બાંધી અને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતુ ત્યાં પહોંચ્યા, પહોંચીને પાણીની મશક કાઢીને તેમાંથી ખેાબામાં પાણી લઈ આચમન કરી ચાખ્ખા, શુદ્ધ, પવિત્ર બન્યા, પછી તાલાદ્ઘાટિની (તાળા ખોલવાની) વિદ્યાનું આહ્વાન કર્યું, આહ્વાન કરી રાજગૃહના દરવાજાના બારણા પર પાણી છાંટયું, છાંટીને બારણાં ખોલી નાંખ્યાં, બારણાં ખોલીને રાજગૃહમાં પેઠા, પેસીને મોટા મોટા અવાજે બાષણા કરતા આમ બાલ્મા–‘હે દેવાનુપ્રિયા ! હું ચિલાત નામે ચાર સેનાપતિ પાંચસો ચારો સાથે સિ’હગુફા પલ્લીમાંથી ધન્ય સા་વાહનું ઘર લૂંટવા અહી` આવ્યા છું. એટલે જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતા હોય તે મારી સામે આવે.’—આમ બોલી જ્યાં ધન્ય સાવાહનુ ઘર હતું ત્યાં આવ્યા, આવીને ધન્ય સાર્થવાહના ઘરનું દ્વાર ખાલી નાખ્યું, ૯૧૮. ત્યાર પછી ધન્યે પાંચસો ચાર સાથે આવેલા ચિલાત ચાર સેનાપતિને પેાતાનું ઘર લૂંટા જોયા, જોઈને તે ભયભીત, ત્રસ્ત, સંત્રસ્ત, ઉદ્ગિગ્ન થયા અને ભયના માર્યાં પાંચે પુત્રો સાથે એકાંત સ્થાનમાં જઈને છુપાઈ ગા. ત્યાર પછી ચિલાત ચેારસેનાપતિએ ધન્ય સાવાહનું ઘર લૂંટીને કેટલુંય ધન તથા સાનું, રત્ન, મણિ, મેાતી, શંખ, શિલાપ્રવાળ, માણેક આદિ સારભૂત સંપત્તિ અને સાથ`વાહ પુત્રી For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy