SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્થાનુયોગ–મહાવીર તીર્થમાં શિવ રાજર્ષિ ઃ સૂત્ર ૫૩૬ હે ગૌતમ ! અનેક માણસે જે પરસ્પરને આ પ્રમાણે કહે છે તેનું કારણ એ છે કે નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરવાથી, દિશાચક્રવાલ તપકર્મથી, ઊંચે હાથ રાખીને સૂર્યની તરફ મુખ રાખી આસાપનાભૂમિ પર આતાપના લેતા તે શિવ રાજર્ષિ પ્રકૃતિથી ભદ્ર, શાંત અને અત્યંત અલ્પમાત્રામાં ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી, માર્દવ-સંપન્ન હોવાથી, આજ્ઞા અનુસાર વૃત્તિવાળા હોવાથી અને વિનીત હોવાથી, કોઈ એક દિવસે નાવરણ કર્મોનો ક્ષયો પક્ષપ થવાથી અને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતાં તેને વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું છે” પૂર્વવત્ અહીં બધું વર્ણન કરવું જોઈએ-પાવતુ-ઉપકરણોને નીચે રાખે છે, નીચે રાખીને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને માર્ગમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે–ચાવતુ-આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે-હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે, તેની પછી દ્વીપ અને સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે અર્થાત્ આગળ દ્વીપ કે સમુદ્ર કંઈ નથી. ૫૩૫. ત્યાર બાદ શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળી હસ્તિનાપુર નગરના શુંગાટક, ત્રિક, ચતુષ્ક, ચતુર્મુખ, ચવર, રાજમાર્ગ અને માર્ગમાં અનેક લોકો જે આ પ્રમાણે કહે છે-વાવપ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયા ! શિવ રાજર્ષિ આ પ્રમાણે કહે છે-પાવત્ પ્રરૂપે છે કે હે દેવાનુપ્રિમો ! મને અતિશયવાળું જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે અને આ લોક સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યાજ છે અને ત્યાર બાદ દ્વીપ અને સમુદ્ર કંઈ નથી–તે મિથ્યા (અસત્ય) છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું—પાવતુંપ્રરૂપણા કરું છું કે આ પ્રમાણે જંબુદ્રી પાદિ દ્વીપ અને લવણાદિ સમુદ્ર બધા [વૃત્તાકારે હોવાથી] આકારે એકસરખા છે. પણ વિશાળ- નામાં દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા હોવાથી અનેક પ્રકારના છે ઇત્યાદિ સર્વ “જીવાભિગમ સુત્રોમાં કહ્યા પ્રમાણે જાણવ-યાવત-હે આયુબ્રન્ શ્રમણ ! આ તિર્યગૂ લોકમાં સ્વયંભૂ રમણ સમુદ્રપર્યન્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો કહ્યા છે હે ભગવન ! જંબુદ્વીપ નામે દ્રીપમાં વર્ણવાળાં, વર્ણરહિત, ગંધવાળાં, ગંધરહિત. રસવાળાં, રસરહિત, સ્પર્શવાળાં અને સ્પર્શ રહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ થાવત્ અન્યોન્ય સંબદ્ધ છે?” [ગૌતમે પૂછયું] હે ગૌતમ!તેમ છે [ભગવાને ઉત્તર આપ્યો] હે ભગવન! લવણ સમુદ્રમાં વર્ણવાળાં, વર્ણવિનાનાં, ગંધવાળાં, ગંધ વિનાનાં, રસવાળાં, રસવિનાનાં, સ્પર્શવાળાં ને સ્પર્શરહિત, દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતું અન્યોન્ય સંબદ્ધ છે? [ગૌતમે પૂછ્યું.] હા ગૌતમ! છે. “હે ભગવન ! ધાતકિખંડ નામના દ્રીપમાં વર્ણવાળા, વર્ણવિનાનાં, ગંધવાળાં, ગંધ વિનાનાં, રસવાળા, રસવિનાનાં, સ્પર્શવાળા ને સ્પર્શ રહિત દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે ?” હે ગૌતમ ! તેમ છે. એ જ પ્રમાણે – કાવત્ - “હે ભગવન! સ્વંયભૂરમણ સમુદ્રમાં સવર્ણ અને અવર્ણ, સગંધ અને અગંધ, સરસ અને અરસ, સસ્પશે અને અસ્પર્શ દ્રવ્ય અન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ યાવતુ અન્યોન્ય સંબદ્ધ છે?” હા ગૌતમ ! છે. ત્યાર બાદ તે અત્યંત મોટી અને મહત્ત્વયુક્ત પરિષદે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી એ અર્થ સાંભળી અને અવધારી હૃષ્ટ-તુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ફરી. ૫૩૬. ત્યાર બાદ હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજપથ અને સામાન્ય માર્ગમાં અનેક વ્યક્તિઓ પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy