SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ www.mmmmmmmm તરત જ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, ઊભા થઈ તુરત જ સ્કન્દકની સામે ગયા અને જ્યાં કાત્યાયનગેાત્રીય સ્કન્દક પરિવ્રાજક હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને કાત્યાયનગાત્રીય સ્કન્દકને સંબોધી આ પ્રમાણે બાલ્યા— “ હે સ્કન્દક ! તમારું સ્વાગત છે, હું સ્કન્દક ! તમારું સુસ્વાગત છે. હે સ્કન્દક! તમારુ' અન્વાગત છે. હે સ્કન્દક! તમારુ સ્વાગત અને અન્વાગત છે. હે સ્કન્દક ! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિગ્રન્થે તમને આ રીતે આક્ષેપપૂર્ણાંક પૂછ્યું હતુ’– ‘હે માગધ ! શું લાક અંતવાળેા છે અથવા અનંત છે ?” આ પ્રમાણે પૂર્વે કરેલા વન અનુસાર કહેવું જોઈએયાવત્ ‘તેનાથી શંકિત થઇને (મૂઝાઈને) તમે શીઘ્ર અહીં આવ્યા છે, હું સ્કન્દક ! શું આ વાત સાચી છે?' ધર્મ સ્થાનુયાગ—મહાવીર તીર્થમાં સ્કન્દક પરિવ્રાજકઃ સત્ર ૫૦૬ wwww w~~~~~~~ˇumm ધમ્મપદેશક, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરીએ, નમન કરીએ, તેઓના સત્કાર કરીએ, સન્માન કરીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, અને ચૈત્યરૂપ એવા તેમની પપ્પુ પાસના– સેવા કરીએ,’ સ્કન્દકે કહ્યુ ં ~ ‘ હા, એ વાત સાચી છે.’ મહાવીરના જ્ઞાન વિષયમાં સ્કન્દકને આશ્ચર્યું૫૦૪, ત્યાર બાદ કાત્યાયનગાત્રીય સ્કન્દકે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું * હે ગૌતમ ! તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરુષ કોણ છે, કે જેઓએ આ મારી ગુપ્ત વાત તમને શોઘ્ર કહી દીધી ? જેથી તમે મારી વાતને જાણા છે ત્યારે ભગવાન ગૌતમે કાત્યાયનગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું- હે સ્કન્દક! મારા ધર્માંચા, ધર્મપદેશક, શ્રમણ ભગવાન મહાવીર ઉત્પન્ન શાન અને દર્શનના ધરનાર છે, અ`ત છે, જિન છે, કેવળી છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જાણકાર છે, સશ, સદશી છે, જેણે મને તમારી ગુપ્ત વાત તત્કાળ કહી દૌધી છે અને હે સ્કન્દક ! જેથી હું તે વાતને જાણું છું.’ ત્યાર બાદ કાત્યાયનાત્રીય કદક પરિવ્રાજકે ગૌતમ ભગવાનને આ પ્રમાણે કહ્યું‘ હે ગૌતમ ! ચાલા અને તમારા ધર્માચાય, Jain Education International ‘ હે દેવાનુપ્રિય ! જેમ તમને માગ્ય લાગે તેમ કરો, પરંતુ વિલંબ ન કરો.' ગૌતમે ઉત્તર દીધા. ત્યાર બાદ ભગવાન ગૌતમ કાત્યાયનગાત્રીય સ્કન્દકની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજ્યા હતા તે તરફ જવા ઉદ્યત થયા. સ્કન્દકની મહાવીર `પાસના— ૫૦૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃતભાજી (હંમેશાં જમનાર) હતા. તે વ્યાવૃતભોજી શ્રમણ ભગવંત મહાવીરનું ઉદાર, શણગારેલા જેવુ, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારો વિના પણ શાભતું, ઉત્તમ લક્ષણા, વ્યંજના અને ગુણોથી યુક્ત એવું શરીર કાંતિ વડે અત્યંત શાભતું હતું. ત્યાર બાદ તે કાત્યાયનગાત્રીય સ્કન્દકે વ્યાવૃતભાજી શ્રમણ ભગવાન મહાવીરનું ઉદાર શરીર યાવત્–શાભા દ્વારા અત્યન્ત શાભાયમાન શરીરને જોયું, જોઈને હષિત, સંતુષ્ટ, અને આનંદિત ચિત્તવાળા થયા અને આનંદના અતિરેકથી વિકસિત હૃદયવાળો થઈ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં નજીક આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી–યાવ–તેમની પર્યું`પાસના કરવા લાગ્યા. મહાવીર દ્વારા સ્કન્દકના મનાગતનું કથન— ૫૦૬, ‘સ્કન્દક ” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે કાત્યાયનગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું— ‘હું સ્કન્દક! શ્રાવસ્તી નગરીમાં રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રન્થે તમને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું— For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy