SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થમાં ઋષભદત્ત-દેવાનંદાનું ચરિત્ર : સૂત્ર ૨૫૦ પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરણોમાં વંદન કરીને દોલાયમાન લલિત કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઇન્દ્ર આકાશમાર્ગે પાછો ફર્યો. (૬૦) સાક્ષાત્ શક્ર વડે પ્રેરાયેલા નમિએ પોતાની જાતને વધુ નમાવી. વિદેહીએ (વિદેહના રાજાએ ઘરનો ત્યાગ કરીને શ્રમણપણું સ્વીકાર્યું. (૬૧). જ્ઞાની, પંડિત અને વિચક્ષણ પુરુષે આ પ્રમાણે કરે છે–એ નમિ રાજર્ષિની જેમ તેઓ કામભાગેથી નિવૃત્ત થાય છે. (૬૨) –એ પ્રમાણે હું કહું છું. ૧૬. મહાવીર તીર્થમાં ઋષભદત્ત-દેવાનંદાનું ચરિત્ર બ્રાહ્મણકુંડ ગ્રામમાં ઋષભદત્ત બ્રાહ્મણ ૨૫૦. તે કાળે, તે સમયે બ્રાહ્મણકંડગ્રામ નામે નગર હતું–વર્ણન. બહુશાલક નામે ચૈત્ય હતું–વર્ણન. તે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે આઢય-ધનિક, તેજસ્વી, પ્રસિદ્ધ અને વાવત્ અપરિભૂતકોઈથી પરાભવ ન પામે તે હતો. વળી તે ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ અને સ્કંદ નાપસની પેઠે યાવત્ બ્રાહ્મણોના બીજા ઘણા નયામાં કુશળ હતો. તે શ્રમણોને ઉપાસક, જીવજીવ તત્ત્વને જાણનાર, પુણ્ય-પાપને ઓળખનાર અને થાવતુ-તપકર્મ દ્વારા આત્માને ભાવિત કરતો વિહરતો હતો. ઋષભદત્તની ભાર્યા દેવાનન્દા તે ઋષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામે બ્રાહ્મણી ભાર્યા હતી. તેના હાથપગ સુકુમાર હતા, યાવનું તેનું દશન પ્રિય હતું અને તેનું રૂપ સુન્દર હતું. વળી શ્રમણની ઉપાસિકા તે [દેવાનંદા] જીવાજીવ અને પુણ્ય પાપને જાણતી હતી. તથા યથાયોગ્ય તપકર્મને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતી વિહરતી હતી. ઋષભદત્ત-દેવાનન્દાને મહાવીર-દર્શનની અભિલાષા તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમોસય. સભા એકત્ર થઈ–વાવનું પણુંપાસના કરવા લાગી. ત્યાર પછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવાન મહાવીરના આગમનની આ વાત જાણીને ખુશ થયો-પાવતુ હષ્ટ તુષ્ટ, ઉલ્લસિત હૃદયવાળા થયા, અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેણે દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે અહીં તીર્થની આદિ કરનાર યાવતુ સર્વાસ અને સર્વદશો શ્રમણ ભગવાન મહાવીર આકાશમાં રહેલા ચક્રવડે યાવત્ સુખપૂર્વક વિહાર કરતા બહુશાલક નામે ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને યાવતુ વિહરે છે–પધાર્યા છે. હે દેવાનુપ્રિયે! યાવત્ તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ-ગોત્રના પણ શ્રવણથી મોટું ફળ પ્રાપ્ત થાય છે. તે વળી તેઓના અભિગમન (સામાં જવું), વંદન, નમન, પ્રતિપૂચ્છા (કુશળપૃચ્છા) અને પમ્પાસના કરવાથી ફળ મળે તેમાં શું કહેવું? તથા એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મોટું ફળ થાય છે, તે વળી વિપુલ અર્થને ગ્રહણ કરવા વડે મહાફળ થાય તેમાં શું કહેવું? માટે હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વન્દન-નમન કરીએ, યાવત તેમની પયુંપાસના કરીએ. તે આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ, ક્ષમા, નિ:શ્રેયસ અને શુભ અનુબંધ આપનાર થશે.” ૨૫૧. જ્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદ બ્રાહ્મણીને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થઈ, અને યાવનું ઉલ્લસિત હૃદયવાળી થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy