SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક ઃ સૂત્ર ર૨૯ શ્રમણ પર્યાય પાળી માસિક સંલેખન દ્રારા સાઠ ભક્તને ત્યાગ કરી મણિભદ્ર વિમાનમાં ઉત્પત્તિ. બે સાગરોપમની સ્થિતિ. મદાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ થશે યાવતુ–સર્વ દુઃખોનો અંત કરશે. દત્ત આદિ અન્ય અના ૨૨૬. આવી જ રીતે ૭. દત્ત, ૮. શિવ, ૯, બલ અને ૧૦. અનાધૃત– આ બધા દેવેનું વર્ણન પણ પૂર્ણભદ્રની જેમ જ સમજવું. બધાની બે બે સાગરોપમની સ્થિતિ. આ દેવનાં નામ પ્રમાણે જ એમનાં વિમાનોનાં નામ છે. પોતાના પૂર્વભવમાં દત્તની ચંદના નામે નગરી હતી, શિવની મિથિલા, બલની હસ્તિનાપુર અને અનાધૃત કાંકદી નગરીને નિવાસી હતો. ચૈત્યોના નામ સંગ્રહણી ગાથા અનુસાર જાણવા. જનાવરો દ્વારા ખવાયેલા કોઈ મૃત કલેવરની જેવું દુગંધમય હતું, કીડાઓના સમૂહથી પરિપૂર્ણ હતું, સૂક્ષ્મ જીવોથી ભરેલું હતું, અશુચિ, વિકૃત અને બીભત્સ દેખાવનું હતું. શું તે એવા સ્વરૂપનું હતું ? એટલું વર્ણન પણ પર્યાપ્ત નથી – તે જળ એનાથીય અધિક અનિષ્ટ, અસુંદર, અમનેશ, અમનહર, અપ્રિય ગંધવાળું હતું, અર્થાતુ ખાઈનું તે પાણી અધિકાધિકાર અનિષ્ટ રૂપ-ગંધ-રસ-વર્ણવાળું હતું. જિતશત્રુ દ્વારા પાન-ભજન પ્રશંસા ૨૨૯. ત્યાર પછી તે જિનશત્રુ રાજા કોઈ એક વખત સ્નાન કરી, બલિકમ કરીને યાવત અ૫ પરંતુ બહુમૂલ્ય આભરણાથી શરીરને અલંકૃત કરી અનેક રાજાઓ, સામંત, યાવત્ સાથેવાહો આદિની સાથે ભોજનમંડપમાં ભોજન સમયે સુખદ આસન પર બેસી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનની આસ્વાદ લેત, વિશેષ આસ્વાદ લેતો, બીજાઓને આગ્રહ કરતો અને બીજાઓના આગ્રહથી ખાતો આનંદ લઈ રહ્યો હતો. ભોજન કર્યા પછી હાથ–મે ધોઈ, કોગળા કરી, ચોખાઈ કરી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં વિસ્મિત બનીને તે અનેક રાજા સામંત યાવતુ સાર્થવાહ આદિને આમ કહેવા લાગ્યા ૧૪. જિતશત્રુ-સુબુદ્ધિ કથાનક ચંપા નગરીમાં જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય૨૨૭, તે કાળે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની ધારિણી નામની રાણી હતી, અદીનશત્રુ નામે યુવરાજ કુમાર હતા અને સુબુદ્ધિ નામે અમાત્ય હતો, જે યાવતું રાજયપુરાનું વહન કરતા હતા અને શ્રમણોપાસક હતો. પરિચ્છેદક (ખાઈના પાણીનું વર્ણન ૨૨૮, તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાન) દિશામાં એક ખાઈ હતી જેનું પાણી, ચરબી, રુધિર, માંસ, ચામડાં, પરૂથી યુક્ત હતું, મડદાંઓથી યુક્ત હતું. તે વર્ણથી અમનોશ (મનને અણગમતું), ગંધથી અમનેશ, રૂપથી અમનોશ, સ્પર્શથી અમનોશ હતું, તે એવા પ્રકારનું હતું જેવું કે-કોઈ મૃતસર્પનું શરીર હોય, અથવા મૃતગાયનું શરીર હોય,વાવતુ મરેલા, સડેલા, ગળેલા, કીડાઓથી વ્યાપ્ત અને અહો દેવાનુપ્રિયા ! આ મનોશ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે અર્થાત એનું રૂપ વગેરે શ્રેષ્ઠ, ઉત્તમ છે, જેથી તે આસ્વાદન કરવા યોગ્ય છે, વિશેષ રૂપે આસ્વાદન કરવા યોગ્ય છે, પુષ્ટિકારક છે, દીપન છે, મદજનક છે, બળવર્ધક છે તથા શરીરને વિશિષ્ટ આહલાદ આપનાર છે.” ત્યારે તે અનેક રાજા, સામંત યાવત સાર્થવાહો વગેરેએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy