SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં થાવાપુત્ર અને બીજા : સૂત્ર ૧૮૮ મારા આ જ અર્થો, હેતુઓ વટ દ્વારા તેમને નિરુત્તર કરીશ.” શુકન થાવસ્ત્રાપુત્ર સાથે વાર્તાલાપ૧૮૭. ત્યારબાદ તે શુક પરિવ્રાજક એક હજાર પરિ ત્રાજકો અને સુદર્શન શેઠ સાથે જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, જ્યાં થાવાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા, આવીને થાવાપુત્રને આમ કહેવા લાગ્યા હે ભદત ! શું તમારા ધર્મમાં યાત્રા છે ? થાપનીય છે? અવ્યાબાધ છે? પ્રાસુક વિહાર છે ?” ત્યારે શુક પરિવ્રાજકે આમ કહેતાં થાવરચાપુત્ર અનગારે તેને કહ્યું- હે શુક! અમારા ધર્મમાં યાત્રા પણ છે, યાપનીય પણ છે. અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે.” ત્યારબાદ શુકે થાવસ્થાપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું ભદત! તમારી યાત્રા શું છે?” [થાવગ્નાપુત્ર બોલ્યા-]–“હે શુક ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, આદિ ગો વડે જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે.” શુક–હે ભગવંત! યાપનીય શું છે?” થાવરચાપુત્ર–શુક ! યાપનીય બે પ્રકારનું છે, જેમ કે ઇન્દ્રિય-યાપનીય અને નોઈન્દ્રિય થાપનીય.” શુંક – ‘ઇન્દ્રિય પાપનીય કોને કહે છે?” થાવસ્ત્રાપુત્ર- ‘શુક! અમારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વિના વશીભૂત રહે છે, તે જ અમારું ઇન્દ્રિય યાપનીય છે.’ શુક – “ન-ઇન્દ્રિય યાપનીય કોને કહે છે? થાવાપુત્ર- હે શુક ! ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો ક્ષીણ, ઉપશાંત થઈ જાય છે, ઉદયમાં આવતા નથી – એ જ અમારું ન-ઇન્દ્રિય યાપનીય છે.' શુક – 'ભગવન્! અવ્યાબાધ તમે કોને કહો છો ?” થાવસ્થાપુત્ર- “હે શુક ! જે વાત-પિત્ત-કફ અને સન્નિપાત વગેરે વિવિધ રોગ (ઉપચારસાધ્ય વ્યાધિ) અને આતંક (પ્રાણઘાતક વ્યાધિ) ઉદયમાં નથી આવ્યા તે જ અમારું અવ્યાબાધ છે.' શુક – “ભગવદ્ ! આપનો પ્રાસુક વિહાર શું છે ?” થાવસ્થાપુત્ર- “શુક! અમે જે આરામ, ઉદ્યાન, દેવળોમાં, સભાઓમાં, પરબોમાં તથા સ્ત્રી, પશુ, નપુંસક રહિત આશ્રયસ્થાનોમાં પ્રાતિહારિક (પાછાં આપવા યોગ્ય ઉપકરણો) પીઠિકાઓ, ફલકો, શૈયા, સંસ્કારક આદિ ગ્રહણ કરીને વિચરણ કરીએ છીએ તે જ અમારો પ્રાણુક વિહાર છે.” સરિસવના ભક્યાભફ્ટવની વિચારણા૧૮૮. શુક- “હે ભગવન્! આપના ધર્મમાં સરસવય ભક્ય છે કે અભક્ષ્ય? થાવસ્થાપુત્ર – ‘શુક! સરિસવઅમારે માટે ભય પણ છે અને અભક્ષ્ય પણ છે. શુક– “હે ભગવન્! કઈ રીતે એમ કહે છે રિસવ ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે?” થાવાપુત્ર- શુક ! સરસવય દ્વિવિધ છે એક છે મિગ સિવચ (સમાન વયના મિત્રો અને બીજા છે ધન્ય સરિસવ (સરસવ). આમાં જે fમકા સરિસવી છે તે ત્રણ પ્રકારના છે—જેમકે, સાથે જન્મેલા, સાથે ઊછરેલા અને સાથે રમેલા. આ ત્રણે પ્રકારના મિત્ર સરસવ શ્રમણ નિથો માટે અભક્ષ્ય છે. અને એમાં જે વાર સરસવય (સરસવ) છે તે બે પ્રકારના છે-શસ્ત્ર-પરિણત અને અશસ્ત્રપરિણત. એમાં જે અશસ્ત્ર-પરિણા છે તે શ્રમણ નિJથાને અભક્ષ્ય છે. અને જે શસ્ત્રપરિણત છે તે બે પ્રકારના છે–પ્રાસુક અને અપ્રાસુક. *પ્રાકૃત શબ્દ સરસવ ના અહી બે અર્થ થાય છેસરિસ = સમાન, વય = વય, ઉંમર અર્થાત સમવયસ્ક, મિત્ર અને ૨. સરસવ – (સંસ્કૃત સf૫) = સરસવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy