SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ તીર્થમાં નિષધઃ સૂત્ર ૭૭ ૫. અરિષ્ટનેમિ-તીર્થોમાં નિષધ નિષધાદ્રિ ખાર શ્રમણા ૭૭ ૧. નિષધ, ૨. માયનિ, ૩. વહુ, ૪. વેહ, પ. પગતા, ૬. જ્ગ્યાતિ, ૭. દશરથ, ૮. દૃઢરથ, ૯. મહાધનુ, ૧૦. સપ્તધનુ, ૧૧, દશધનુ, અને ૧૨. શતધનુ–આ બાર નામના બાર શ્રમણા થઈ ગયા. દ્વારાવીમાં કૃષ્ણ વાસુદેવ ૭૮ તે કાળે તે સમયે દ્રારાવતી નામે નગરી હતી, જે બાર મેાજન લાંબી-પાવ-સાક્ષાત્ દેવલાક સમાન અને મનને પ્રસન્ન કરનાર યાવત્ સુંદર હતી. તે દ્રારાવતી નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશા(ઈશાનકોણ)માં ગગનને સ્પર્શ કરતા, અનેક શિખરોવાળા, અનેકવિધ વૃક્ષ, વેલી, ગુ, વાડીએથી શાભતા, ઊંચા એવા રૈવતક નામે પત હતા. જેના પર અનેક હંસ, મયૂર, ક્રૌંચ, સારસ, કાક, મેના, કોયલ પક્ષીઓનાં વૃંદા વિહરતાં હતાં, વળી જે તટ, કટક, ગુફા, ઝરણાં, પ્રપાત, શિખર આદિની અધિકતાથી શાભતા હતા, જ્યાં પ્રતિક્ષણ ઉત્સવ સમારોહ ચાલતા હતા, તથા ત્રણે લેાકમાં શ્રેષ્ઠ એવા બળવાન શૂરવીર દશારોને આહ્લાદ ઉત્પન્ન કરનાર, શુભ, પ્રિયદર્શીન, સુરૂપ એવા તે પત આનંદ આપનાર યાવત્ પ્રતિરૂપ હતા. તે રૈવતક પર્વતની બાજુમાં નંદનવન નામે ઉદ્યાન હતા, જે બધી ઋતુઓના પુષ્પાથી યુક્ત –માવત્—દનીય હતા. તે નંદનવન ઉદ્યાનમાં સુરપ્રિય યક્ષનુ યક્ષાયતન હતું, જે અતિ પ્રાચીન હતુ–યાવત્ અનેક લાક આવીને તે સુરપ્રિય યક્ષની પૂજા-અર્ચના કરતા હતા. તે સુરપ્રિય યક્ષાયતન બધી દિશાઓ–ચારે બાજુએથી એક માટા વનખંડથી ઘેરાયેલ હતું, જેવી રીતે પૂર્ણ ભદ્ર યક્ષાયતન-યાવત્ એક શિલાપટ્ટ હતા. તે દ્રારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા—યાવત્ ઉત્તમ શાસન કરતા હતા, Jain Education International ૨૩ તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશારાનું, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરોનું, ઉગ્રસેન પ્રધાન સાળ હજાર રાજાઓનુ’, પ્રદ્યુમ્ન પ્રધાન સાડા ત્રણ કરોડ કુમારોનુ, શાંબ પ્રમુખ સાઠ હજાર દુર્દાન્ત શૂરવીરોનુ, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરોનુ, મહાર્સન પ્રમુખ છપ્પન હજાર બળવંતાનું, રુકિમણી આદિ સાળ હજાર રાણીઓનુ, અન`ગર્સના આદિ અનેક હજાર ગણિકાઓનું, તથા બીજા પણ અનેક રાજાઓ, સામંતાયાવત્ સા વાહો સુધીનાઓનુ` અને વૈતાઢયગિરિ તથા સમુદ્રની મર્યાદામાં આવતા દક્ષિણ અધ ભરતનું અધિપતિપણુ' કરતા વિચરતા હતા. દ્વારાવતીમાં ખલદેવ રાજા– ૭૯ તે દ્વારાવતી નગરીમાં બલદેવ નામે રાજા હતા, જે મહાન-માવત્ રાજ્યનું શાસન કરતા વિચરતા હતા. ખલદેવની રાણી રેવતીના પુત્ર નિષધકુમાર૮૦. તે બલદેવ રાજાની રૂંવતી નામે દેવી (રાણી) હતી, જે સુકોમળ યાવત્ વિચરતી હતી. તે રેવતી દેવી કોઈ એક વખત યથાયાગ્ય શય્યા · પર-યાવતું સ્વપ્નમાં સિંહને જોઈને જાગી– યાવત્ પાતાના સ્વપ્નનું રાજાને નિવેદન, મહાબલની જેમ જ કુમારનુ` કળાગ્રહણ, એક જ દિવસે પચાસ રાજકન્યાઓનુ` પાણિગ્રહણ, પ્રીતિદાન આદિ પૂણિત કથન—વિશેષમાં એટલુ જ અહીં કુમારનુ નામ નિષધ– યાવત્ ઉપરના પ્રાસાદમાં રહી ભાગા ભોગવવા લાગ્યા. અરિષ્ટનેમિ તીર્થંકરનું આગમન અને કૃષ્ણ દ્વારા પર્યુ પાસના— ૮૧. તે કાળે તે સમયે ધમ પ્રારંભ કરનારા અત્ અરિષ્ટનેમિ, દશ ધનુષ ઊંચા...વ ન યાવત્ સમવસર્યાં, પરિષદ થઈ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy