SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–વિમલ તીર્થમાં મહાબલઃ સૂત્ર ૨૮ ૧૧ વડે તે ગર્ભને હિતકર, મિત, પબ અને પોષણરૂપ તેવા આહારને યોગ્ય દેશ અને યોગ્ય કાળે ગ્રહણ કરતી, તથા પવિત્ર અને કોમળ શયન અને આસન વડે એકાનમાં સુખરૂપ અને મનને અનુકૂળ એવી વિહાર ભૂમિ વડે પ્રશસ્ત દોહદવાળી, સંપૂર્ણ દોહદવાળી, સન્માનિત દોહદવાળી, જેનો દોહદ નિરરકાર પામ્યો નથી એવી, દોહદરહિતપૂર્ણ થયેલા દોહદવાળી, તથા રોગ, મોહ, ભય અને પરિવાર રહિત તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરે છે. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ હાથ-પગવાળા અને દોષરહિત, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળા તથા લક્ષણ, વ્યંજન અને ગુણથી યુક્ત, યાવત્ ચંદ્રસમાન સૌમ્ય આકારવાળા, કાંત, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપો. વિદાય આપી. ત્યાર પછી પોતાના સિંહાસનથી ઊો, ઊઠીને જયાં પ્રભાવતી દેવી છે ત્યાં આવી. પ્રભાવતી દેવીને તેણે તે પ્રકારના ઇષ્ટ, મનોહર -પાવતુ-મધુર વાણી વડે સંલાપ કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! એ પ્રમાણે ખરેખર સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સાધારણ સ્વપ્નો અને ત્રીશ મહાસ્વનો તથા બધાં મળીને બોંતેર સ્વનો દર્શાવ્યાં છે. તેમાં હે દેવાનુપ્રિયે ! તીર્થકરની માતાઓ કે ચક્રવતીની માતા ઇત્યાદિ પૂર્વવત્ કહેવું વાવત્ કોઈ એક યાવતુ તે રાજયનો પતિ રાજા થશે કે ભાવિતામાં અનગાર થશે. હે દેવિ ! તમે ઉદાર સ્વાન જોયું છે યાવનું મંગલકર સ્વપન જોયું છે.' એમ કહી પ્રભાવતી દેવોની તે પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય એવી યાવત્ મધુર વાણી વડે બે વાર અને ત્રણ વાર પણ પ્રશંસા કરી. બલને મહાબલના જન્મની વધામણું– ૨૯, ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની પાસેથી એ વાતને સાંભળીને, અવધારીને હર્ષવાળી અને સંતુષ્ટ થઈ યાવત્ હાથ જોડી આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય ! એ એ પ્રમાણે જ છે થાવત્ એમ કહી–પાવતુ તે સ્વનને સારી રીતે ગ્રહણ કર્યા. ત્યાર પછી બલરાજાની અનુમતિથી અનેક પ્રકારના મણિ અને રત્નની કારીગરીથી યુક્ત તથા વિચિત્ર એવા તે ભદ્રાસનથી ઊઠી વરારહિત, અચપલપણે યથાવત્ હંસ સમાનગતિ વડે જયાં પોતાનું ભવન છે ત્યાં આવી તેણે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ૩૦. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી સ્નાન કરી બલિકર્મ–દેવપૂજા કરીયાવત્ સર્વ અલંકારથી વિભૂષિત થઈ તે ગર્ભને અતિ શીત નહિ, અતિ ઉણ નહિ, અતિ તિક્ત નહિ, અતિ કટુ નહિ, અતિ તુરા નહિ, અતિ મધુર નહિ એવાં તથા દરેક ઋતુમાં ભોગવવામાં સુખકારક એવા ભોજન આચ્છાદન, ગંધ અને માલા ૩૧. ત્યાર બાદ તે પ્રભાવતી દેવીની સેવા કરનાર દાસીઓએ તેને પ્રસવ થયેલો જાણી જ્યાં બલ રાજા છે ત્યાં આવી હાથ જોડી યાવતુ બલ રાજાને જય અને વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરે. ખર પ્રભાવતી દેવીની પ્રીતિ માટે આ (પુત્ર જમ રૂપ) પ્રિય નિવેદન કરીએ છીએ, અને તે આપને પ્રિય થાઓ.” ૩૨. ત્યાર બાદ તે બલ રાજા શરીરની શુશ્રુષા કરનાર દાસીઓ પાસેથી એ વાત સાંભળી, અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવતું મેઘની ધારાથી સિંચાયેલા કદંબકના પુષ્પની પેઠે યાવત્ રોમાંચિત થઈ તે અંગરક્ષિકા દાસીઓને મુકુટ સિવાય પહેરેલ સર્વ અલંકાર આપે છે. આપીને તે રાજા વેત, રજતમય અને નિર્મલ પાણીથી ભરેલા કલશને લઈ તે દાસીઓનાં મક ધુએ છે, મસ્તકને ધોઈને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપી સત્કાર અને સન્માન કરી વિસર્જિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy