SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬ ધર્મકથાનુગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સૂત્ર ૫૩૯ અષ્ટમ ભક્ત પધારી આવાડ કિરાતોએ પોતાના કુળદેવતા તરીકે આપણને મેઘમુખ નાગકુમાર દેવને યાદ કર્યા છે, તેઓ આપણું સ્મરણ કરી રહ્યા છે, તો હે દેવાનુપ્રિમો ! આપણા માટે એ યોગ્ય છે કે આપણે તે આવાડ કિરાતોની પાસે જઈએ.’ એમ કરીને તેમણે એકબીજાની આ વાત સ્વીકારી, સ્વીકારીને ઉત્કૃષ્ટ દેવગતિથી તરત જ-થાવત્ ગમન કરીને બૂડીપ નામક દ્વીપના ઉત્તરાર્ધ ભરત નામક ક્ષેત્રમાં જયાં સિંધુ મહાનદી હતી અને જયાં આવાડ કિરાતો હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહી ઘુઘરીવાળાં પચરંગી વસ્ત્રો પરિધાન કરેલા તે દેવ આવાડ કિરાતોને આ પ્રમાણે કહેવા લાગ્ય કરી તે જયાં આવાડ કિરાતો (ભીલો) હતા ત્યાં આવ્યો, આવીને આવાડ કિરાતો સાથે તેણે લડાઈ આદરી. ત્યાર પછી સુસેન સેનાપતિએ તે આવાડ કિરાતોને ઘાયલ કરી, આહત કરી, મોટા મોટા સુભટોને પરાજિત કરી–પાવતુ-ચારે દિશામાં ભગાડી મૂક્યા. આવાડ કિરાતોની પ્રાર્થનાથી ભરતના સૈન્ય પર નાગકુમારદેવેએ કરેલ મહામેવ ૫૩૭. ત્યાર પછી સુસેન સેનાપતિ દ્વારા પરાજિત યાવતુ-ભગાડાયેલા આવાડ કિરાનો ભયગ્રસ્ત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન થયા તથા ઉદ્વિગ્ન બની આત્મવિશ્વાસહીન બન્યા, બળહીન બન્યા, વીર્યહીન બન્યા, પુરુષાર્થ અને પરાક્રમરહિત બની ગયા તથા હવે પ્રતિકાર કર. શક્ય નથી એમ સમજી અનેક યોજન દૂર ચાલ્યા ગયા, દૂર જઈને એકઠા થયા, એકઠા થઈને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને રેતીની પથારી કરી, રેતીની પથારી કરી તે પર બેઠા, બેસીને અષ્ટમભક્ત તપ ગ્રહણ કર્યું, તપ ગ્રહણ કરીને રેતીના આસન પર જ ઊર્ધ્વમુખ બની, નિસન અષ્ટમભક્ત પધારી તેઓ પોતાની કુળદેવતા મેઘમુખ નામક દેવકુમારોનું માનસિક સ્મરણ (જા૫) કરવા લાગ્યા. પ૩૮, ત્યાર પછી જયારે તે આવાડ કિરાતોનું અષ્ટમ ભક્ત તપ પૂરું થયું ત્યારે મેઘમુખ નાગકુમાર દવેનાં આસનો ચલત થયાં, ત્યારે તે મેધમુખ નાગકુમાર દેવોએ પોતાનાં આસનોચલિત થતાં જોયાં, જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, અવધિજ્ઞાન પ્રયોગ કરી આવાડ કિરાતોને જોયા. જોઈને એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવાનુપ્રિ ! જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભારતવર્ષમાં સિંધુ મહાનદીને કિનારે રેતીના સંથારા પર ઊર્ધ્વ મુખ કરીને નિર્વ્યસન અરે આવાડ કિરાતો! તમે રેતીના સંથારો પર ઊર્ધ્વ મુખ રાખી નિર્વ્યસનપણે અષ્ટમભક્ત તપ કરી અમને મેઘમુખ દેવેને મનમાં યાદ કરતા બેઠા છો તેથી હે દેવાનુપ્રિયો! તમારા કુળદેવતા એવા અમે મેઘમુખ નાગકુમાર દેવે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો હે દેવાનુપ્રિયા ! કહો અમે શું તમારું કામ કરીએ? અથવા તમારા મનની શું ઇચ્છા છે?” પ૩૯, તપશ્ચાત્ તે આવાડ કિરાતો તે મેઘમુખ નાગ કુમાર દેવોની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત બન્યા--પાવતુ-પ્રસન્નહૃદયે પોતાના સ્થાનેથી ઊભા થયા, ઊભા થઈને જયાં મેધમુખ નાગકુમાર હતા ત્યાં આવ્યા, આવીને બને હાથ જોડી-વાવ-મસ્તક પાસે અંજલિ રચી મેઘમુખ દેવને તેઓએ જયવિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ કઈ પોતાના અનિછની ઇચ્છાવાળ, હીનલક્ષણ, હી–શ્રી રહિત બનેલો અમારા દેશ પર આક્રમણ કરવા એકાએક ચડી આવ્યો છે. તો હે દેવાનુપ્રિયે! તમે એવું કરો કે તે અમારા પ્રદેશ પર પોતાની તાકાતથી આક્રમણ ન કરી શકે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy