SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ધર્મકથાનુગ–ભરત ચક્રવતી–ચરિત્રઃ સૂત્ર પ૦૦ [ગાથા–] વળી કેટલીક તેલપત્ર, કેટલીક ચોય(રાગંધી દ્રવ્યવિશેય)પાત્ર, કેટલીક તગરપાત્ર, કેટલીક હરિતાલ-પાત્ર, કોઈ હિંગુલપાત્ર, કોઈ મનશીલ-પાત્ર, કોઈ સરસવ-પાત્ર લઈને ચાલતી હતી. - કેટલીક દાસીઓ હાથમાં પંખા લઈને તો કેટલીક ધૂપદાનીઓ લઈને ભરત રાજાની પાછળ પાછળ ચાલતી હતી. ૫૦૦. ત્યાર પછી આ રીતે તે ભરત રાજા પોતાની સમસ્ત ત્રાદ્ધિ, સમા ઘુતિ, સમરસત સેના, સમસ્ત સમુદાય, સમસ્ત શોભા, સમસ્ત સાજસજાવટ, સમસ્ત વૈભવ, સર્વ વસ્ત્ર, પુષ્પ, ગંધ, માળા, અલંકાર,વિભૂષણો સહિત, સર્વ પ્રકારનાં વાદ્યોની નિનાદ સાથે, મહાન સમૃદ્ધિ સાથે-યાવ–-એકસાથે વાગતાં શંખ, ઢોલ, નગારાં, ભેરી, ઝાલર, ખરમુખી, મુરજ, મૃદંગ, દુદુભિ વગેરેના અવાજ સાથે ચાલતો ચાલને જ્યાં આયુધશાળા હતી ત્યાં આવ્યો, આવીને ચક્રરત્નને જોતાં જ દૂરથી પ્રણામ કર્યા, પ્રણામ કરી ચક્રરત્નની નજીક આવ્યો, આવીને મયૂરપીંછ હાથમાં લીધી, હાથમાં લઈ ચક્રરત્નને લૂછયું, લૂછીને દિવ્ય જળધારાથી સિંચ્યું, સિંચીને શ્રોષ્ઠ ગશીર્ષ ચંદનથી તેનો લેપ કર્યો, લેપ કરીને શ્રેષ્ઠ નૂતન પુષ્પમાળા ચડાવી, પુષ્પ ચડાવ્યાં, સુગંધી દ્રવ્ય, વણકો, ચૂર્ણ, વસ્ત્ર, ભરણ આદિ ચડાવ્યાં, તે બધું ચડાવી પછી ચક્રરત્નની સામે સ્વચ્છ, સ્નિગ્ધ, શ્વેત, રત્નમય, અક્ષત ચોખાથી અષ્ટમંગળ પદાર્થોનું આલેખન કર્યું, જેમ કે ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નન્દાવર્ત, ૪. વર્ધમાનક, ૫. ભદ્રાસન, ૬. મસ્ય ૭. કળશ, ૮. દર્પણ. આ આઠ મંગળ દ્રવ્યોનું આલેખન કરી પછી વિધિપૂર્વક ઉપચારક્રિયા કરી, જેમ કે ગુલાબ, મોગરો, ચંપક, અશોક, પુન્નાગ, આમમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, કરંટપત્ર, દમનક (ડમરો), આદિ સુગંધિત અને ઉત્તમ એટલાં બધાં પચરંગી પુષ્પો હાથમાં લઈ ચડાવ્યાં કે ચક્રરત્નની સામે ઘૂંટણ સુધીનો રમણીય ઢગલો થયો, ત્યાર બાદ ચંદ્રકાન, વજરત્ન, વૈદૂર્યરત્ન વ.ના બનાવેલા હાથાવાળા, સુવર્ણ-મણિરનની કારીગરીવાળા, વૈદૂર્યના બનેલા ધૂપદાનમાં ઉત્તમ કાલાગરુ, કુદ્રુષ્ક, તુરુષ્ક આદિની ઉત્તમ ગંધ મેળવેલી ધૂપસળી મૂકી તેનાથી ધૂપ કર્યો, ધૂપ કરીને સાત-આઠ ડગ પાછો ચાલ્યો, પાછા ચાલીને ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કર્યો–પાવતુ-પ્રણામ કર્યા, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળ્યા, જ્યાં બહારની ઉપસ્થાનશાળા (સભાખંડ) હતી ત્યાં, અને તેમાં જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો, બેસીને અઢાર શ્રેણીઓ (જનજાતિઓ) તથા પ્રશ્રેણીઓ (ઉપજનજાતિએ) ને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયા ! તમે બધા નગરજનો આયુધશાળામાં વિજય–વૈજયંત ચક્રરત્ન ઉત્પન્ન થવાના અવસરે અષ્ટાનિક મહાસવ ઊજવો. આઠે દિવસ સુધી રાજપમાં જકાત લેવામાં નહીં આવે, કર લેવામાં નહીં આવે, ખેતી બંધ રહેશે, લેણ-દેણનો વ્યાપાર બંધ રહેશે, ક્રયવિક્રય બંધ રહેશે, રાજ્યકર્મચારી કોઈના ઘરમાં જપ્તી નહીં કરે, દંડ વસૂલાત માફ કરાશે, ઋણ માફ કરાશે, ઉત્તમ ગણિકાઓ નૃત્ય-નાટક કરશે, લોકો આનંદભેર ક્રીડા કરશે. આ રીતે ચક્રર નના જન્મની ઉજવણીની આવી તૈયારી કરો અને મને તેની જાણ કરો.' આ પ્રમાણે ભરત રાજાની આજ્ઞા સાંભળીને તે અઢારે શ્રેણી-પ્રકોણીના પ્રજાજનો હૃષ્ટતુષ્ટ થયા-પાવતુ-વિનયપૂર્વક તે આશાવચનોનો સ્વીકાર કર્યો, સ્વીકારીને ભરત રાજા પાસેથી નીકળ્યા, નીકળીને નગરમાં જકાત લેવાનું બંધ કર્યું, કર લેવાનું બંધ કર્યુંપાવ-આજ્ઞા પ્રમાણે બધું કરી, કરાવીને ભરત રાજા જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy