SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર ૬ સત્ર ૩૦૬ અને પછી તરત જ જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવત -સર્વ દુ:ખોને અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વનના અંતમાં એક મોટા લાંબા કાળા સૂતરના કે લીલા સૂતરના કે લાલ સૂતરના કે પીળા સૂતરના કે સફેદ સૂતરના તાંતણાને જુએ, અને એને ઉકેલે તથા રવયં તે પોતે ઉકેલો છે તેમ માને અને એવું જોઈને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવતુ–સર્વ દુ:ખોનો અંત કરે, કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટો લેખંડને ઢગલો જુએ, તાંબાનો ઢગલો જુએ, કલાઈને ઢગલો જુએ, કે સીસાનો ઢગલો જુએ, જોઈને પોતે તેના પર ચડે, ચડીને પોતે તેના પર ચડેલ છે તેમ માને અને પછી તરત જાગી જાય તો તે બીજા ભવમાં સિદ્ધ થાય-કાવત્-સર્વ દુઃખોનો અંત કરે. કોઈ સ્ત્રી કે પુરૂષ સ્વપ્નના અંતે એક મોટો ઘાસનો ઢગલો જુએ, કે લાકડાનો ઢગલો જુએ કે પાંદડાનો, વૃક્ષછાલને, ફોતરાને, ભૂસાનો, ઘઉંનો અથવા કૂડા કચરાનો ઢગલો જુએ અને તેને વિખેરી નાખે, તથા પોતે તેને વિખેરી નાંખ્યો છે તેમ માને અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય યાવ–-સર્વ દુ:ખોનો અંત આણે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નાંતે એક મોટા શરના થડને જુએ, વીરણના થડને જુએ, વાંસના થડને જુએ કે વેલીના થડને જુએ અને પછી તેને ઉખાડે, ઉખાડીને પોતે તેને ઉખાડેલ છે તેમ માને અને પછી જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-યાવત-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી મા પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટો દૂધનો ઘડે જુએ, કે દહીંનો ઘડો જુએ, કે ઘીને ઘડો જુએ અથવા મધના ધડે જએ અને તેને ઉપાડે તથા પોતે ઉપાડયો છે તેમ માને અને તરત જાગે તો તે જ ભવમાં તે સિદ્ધ થાય-વાવ-સર્વ દુઃખોનો અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક મોટે મદ્યનો ઘડો જુએ અને સૌવીર મદિરાનો ઘડો જુએ, કે તેલનો ઘડો જુએ કે વસાનો ઘડો જુએ અને જોઈને તેને ફેડી નાખે, ફોડીને પોતે ફોડ્યો છે એમ માને અને પછી તરત જાગી જાય તો તે બીજા ભવમાં સિદ્ધ થાય-વ-સર્વ દુઃખોને નાશ કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નના અંતમાં એક વિશાળ પ્રફુલ્લિત પાસરોવર જુએ, જોઈને તેમાં ઊતરે, અને પોતે તેમાં ઊતરેલ છે તેમ માને અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-પાવ-સર્વદુ:ખોને અંત કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં હજારો તરંગો અને કલ્લોલ યુક્ત એક મહાસાગરને જુએ, જોઈને તેને તરી જાય, અને પોતે તે તરી ગયેલ છે એમ માને, અને તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાયપાવતુ-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નના અંતમાં એક વિશાળ રત્નમય ભવન જુએ, જોઈને એમાં પ્રવેશ કરે અને પોતે તેમાં પ્રવેશ કર્યો છે એમ માને અને પછી તરત જાગી જાય તો તે તે જ ભવમાં સિદ્ધ થાય—પાવતુ-સર્વ દુ:ખોનો અંત કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્નાંતે એક વિશાળ સર્વરનમય વિમાન જુએ, જોઈને તેના પર ચડે, ચડીને પોતે તેના પર ચડેલ છે તેમ માને અને પછી તરત જાગે તો તે તે જ ભવમાં સિદ્ધ થાય-વાવતુ-સર્વ દુઃખોને અંત કરે. ભગવાનનું દીર્ધ તપ ભગવાનની ચર્યા– ૩૦૬. ૧. [આર્ય સુધમાં સ્વામી આ જંબૂને સંબોધી કહે છે...] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy