SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર-ચિરત્ર: સૂત્ર ૨૮૫ નામે અનશન સ્વીકાર્યું, ભક્ત-પ્રત્યાખ્યાન કરી અંતિમ મારણાન્તિક સ’લેખના દ્વારા શરીરને સૂકવીને કાળ-સમય આવતાં અર્થાત્ આયુષ્ય પૂર્ણ થતાં કાળધમ પામીને લૌકિક શરીરના ત્યાગ કરીને અચ્યુત નામક કલ્પમાં બારમા દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી દેવ-આયુષ્યના ક્ષય થશે, ભવના ક્ષય થશે ત્યારે ૨૫વીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સવ દુ:ખાના અંત આણશે. વધુ માનનાં સ્વજના— ૨૮૫. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગાત્રના હતા. તેમનાં ત્રણ નામા આ પ્રમાણે હતાં, જેમ કે ૧. સિદ્ધા ૨. શ્રેયાંસ અને ૩. યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠગાત્રીયા હતી, તેનાં ત્રણ નામ આ પ્રમાણે હતાં, જેમ કે— ૧. ત્રિશલા ૨. વિદેહદના અને ૩, પ્રિયકારિણી, શ્રમણ ભગવાનના કાકાનુ નામ સુપાર્શ્વ હતું. શ્રમણ ભગવાન મહાવીરના માટાભાઈનું નામ ન`દિવ ન હતું. શ્રમણ ભગવાન મહાવીરની જ્યેષ્ઠ ભગનીનું નામ સુદર્શના હતું. ગાત્ર કાશ્યપ હતુ. શ્રમણ ભગવાન મહાવીરની ભાર્યાનું નામ યશાદા હતુ–ગાત્ર કૌડિન્ય હતું. શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી, જે કાશ્યપ-ગાત્રીયા હતી તેનાં બે નામ પ્રચલિત હતાં, તે આ પ્રમાણે- ૧. અનવદ્યા ૨, પ્રિયદર્શના શ્રમણ ભગવાન મહાવીરની દૌહિત્રી, જે કૌશિક-ગાત્રીયા હતી, તેનાં બે નામ હતાં, આ પ્રમાણે— ૧. શેખવતી ૨. યશવી અભિનિષ્ક્રમણ—સંકલ્પ અને સવસરદાન— ૨૮૬, તે કાળે તે સમયે પ્રસિદ્ધ શાતપુત્ર, શાતકુળના હું Jain Education International વિશિષ્ટ આહૂલાદદાયક, વિશિષ્ટ દેહવાળા, વિદેહદિશ, વિદેહજાત, વિશિષ્ટ સુકુમાર દેહવાળા, શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ સુધી વૈરાગીની જેમ ગૃહવાસમાં રહીને, માતાપિતા કાળ પામતાં, દેવલાક જતાં, પછી લીધેલી પ્રતિજ્ઞા પૂરી થવાથી રૂપુ', સાનું, સેના અને વાહન, ધન, ધાન્ય, કનક, રત્ન આદિ સારભૂત પદાર્થ ત્યજીને, દાન દઈને, સત્સંબંધીએને આપીને, યાચકોને આપીને, શાંતિજનાને આપીને, સ'વત્સર પ ́ત દાન કરીને, જે તે હેમ'ત ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે કે માગશર કૃષ્ણપક્ષમાં અને માગશર કૃષ્ણ દશમીના દિને હસ્તાારા નક્ષત્ર સાથે ચન્દ્રના યાગ થયા ત્યારે અભિનિષ્ક્રમણના એટલે કે દીક્ષા લેવાના વિચાર-સ'કલ્પ કર્યાં, દેવેન્દ્ર શક્ર કૃત દૈવચ્છન્દકમાં સ્નાન અને શિબિકા–વિકુવા પ ૨૮૭. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરના અભિનિષ્ક્રણના સ’કલ્પ જાણીને ભવનપતિ, વાનવ્યંતર, પેાતિષિક, વૈમાનિક દેવા અને દેવીએ પાતપાતાનાં રૂપા,વેષા, ધ્વજચિહ્નોથી યુક્ત થઈને, પાતપાતાની સમગ્ર ઋદ્ધિ, દ્યુતિ, સેના–સમુદાય સહિત પાતપાતાના વિમાનમાં ચડયાં, વિમાનામાં ચડીને યથાબાદર-સ્થૂળ નિસ્સાર પુદ્ગલા છોડીને યથાસૂક્ષ્મ-સારભૂત સૂક્ષ્મ પુદૂગલા ગ્રહણ કર્યા,યથાસૂક્ષ્મ પુદ્ગલા ગ્રહણ કરીને ઊંચે ઊડયાં, ઊંચે ઊડીને ઉત્કૃષ્ટ, શીઘ્ર, ચપળ, ત્વરિત, દિવ્ય ગતિપૂર્વક નીચે ઊતરતાં ઊતરતાં તિ ક્લાકમાં રહેલા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો પાર કરતાં કરતાં, જ્યાં જંબુદ્રીપ દ્વીપ હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને જે બાજુ ઉત્તર ક્ષત્રિયકુ.ડનગર-સન્નિવેશના ઉત્તરપૂર્વ દિશાભાગ હતા ત્યાં ઝડપથી ઊતર્યાં, ૨૮૮. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શદે ધીમે ધીમે યાન—વિમાનને થાભાવ્યું, થેાભાવીને ધીમે ધીમે વિમાનથી નીચે ઊતર્યા, નીચે ઊતરી ધીમે ધીમે એકાંતમાં ગયા, એકાંતમાં જઈ મહાન વૈક્રિય સમુદ્ઘાત કર્યો, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy