SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–પાઉં-ચરિત્રઃ સૂત્ર ર૧૮ પુરુષાદાનીય અરહંત પાર્શ્વના સમુદાયમાં અજજદિણ (આર્યદન) વગેરે સોળ હજાર શ્રમણોની ઉત્કૃષ્ઠ શ્રમણસંપદા હતી. પુરુષાદાનીય અહિત પાર્શ્વના સમુદાયમાં પુપચૂલા વગેરે આડત્રીસ હજાર ઠામણીઓની શ્રમણીસંપદા હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વના સમુદાયમાં સુનંદ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણો પાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાની ઉત્કૃષ્ટ શ્રમણો પાલિકાસંપદા હતી. ૨૬૨. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં સાડાત્રણ સો જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા યાવત્ ચૌદપૂવીઓની સંપદા હતી.. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં ચૌદસો અવધિજ્ઞાનીઓની સંપદા હતી. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપદા હતી, ૨૬૩. પુરુષાદાનીય અરહત પાર્શ્વના સમુદાયમાં અગિયાર સો વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છ સો ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપદા હતી, સાડાસાત સો વિપુલમતિધારીઓ (વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનવાળા)ની સંપદા હતી. ૨૬૪. છસો વાદીઓની અને બારસો અનુત્તરપપા તિકોની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપદા હતી. અન્નકૃત ભૂમિ– ૨૬૫ પુરુષાદાનીય અરહત પાર્થના સમયમાં અંત કૃતોની ભૂમિ એટલે સર્વદુ:ખનો અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું. જેમ કે, (૧) યુગઅંતકૃતભૂમિ (૨) પર્યાયઅંતકૃત વત્ અર હત પાર્શ્વથી ચોથા યુગપુરુષ સુધી યુગઅંતકૃતભૂમિ હતી, એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો-ચાલુ હતો. અરહત પાર્શ્વનો કેવળી-૫ર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં. ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુ:ખોને અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતે થયો, એ તેમના સમયની પર્યાયાંતકૃતભૂમિ હતી. આગારવાસાદિ અને નિર્વાણ૨૬૬, તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ગૃહવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છદ્મસ્થ પર્યાયને પાળીને, પૂરેપૂરાં સિત્તેર વર્ષ સુધી શ્રામપર્યાયને પાળીને, એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમ-સુષમાં નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણ માસના શુકલપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણ સુદ આઠમના દિને સંમેતશિલના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષે અને પોતે ચોત્રીશમાં એવા પુરૂષાદાનીય અરહત પાશ્વ પાણી વગરના માસિક ભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા, એટલે કાળધર્મને પામ્યા, તિક્રાંત થઈ ગયાયાવત્ સર્વદુ:ખેથી તદ્દન મુક્ત થઈ ગયા. પાW—ચરિત્ર સમાપ્ત ૬. મહાવીર–ચરિત્ર પૂર્વભવમાં પોહિલ– ૨૬૭. શ્રમણ ભગવાન મહાવીર તીર્થકર ભવ પૂર્વેના છ પોટ્ટિલના ભવમાં એક કરોડ વર્ષનો શ્રમણ-પર્યાય પાળીને સહસ્ત્રાર ક૯૫માં સર્વાર્થ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. કલ્યાણકો૨૬૮. તે કાળે તે સમયે ભગવાન મહાવીરના પાંચ (કલ્યાણકો) હસ્તોત્તર (ઉત્તરા ફાગુની) નક્ષત્રમાં થયા. ભૂમિ. થાનક' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy