SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધર્મકથાનુયોગ– મલ્લી-જિનચરિત્ર : સૂત્ર ૨૨૮ બાલમિત્રો અને રાજાઓ હતા, સાથે જન્મેલા --પાવતુ–સાથે જ આપણે દીક્ષા લીધેલી. ૨૨૫. ત્યાર બાદ હે દેવાનુપ્રિય! તે ભવમાં મેં એ કારણે સ્ત્રી-નામ-ગોત્ર-કર્મ ઉપાર્જિત કર્યું કે જ્યારે તમે બધા ચતુર્થ ભકત તપ કરતા ત્યારે હું ષષ્ઠ ભકત તપની આરાધના કરતો વિહરતો [ – શેષ વૃત્તાન્ત પૂર્વવત્] ત્યાર બાદ તે દેવાનુપ્રિય! આપણે સહુ યથાસમય કાળ કરી જયંતવિમાનમાં ઉતપન્ન થયા, ત્યાં તમારી બત્રીસ સાગરોપમથી કંઇક ઓછી એટલી સ્થિતિ થઈ. ત્યાર બાદ તમે તે દેવલોકમાંથી વન કરીને આ જંબૂઢીપ નામે ટ્રીપમાં– યાવર્તુ–પોતપોતાનાં રાજ્ય ચલાવતા રહો છો. હે દેવાનુપ્રિયો ! ત્યાર બાદ હું પણ તે દેવક. માંથી આયુષ્ય ક્ષીણ થતાં -વાવ-કન્યારૂપે ઉત્પન્ન થયો. [ગાથાર્થ] -શું તમે તે પૂર્વભવને ભૂલી ગયા કે જ્યારે આપણે જયંત નામે વિમાનમાં વસતા હતા? આપણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે સમય આવ્યે એકબીજાને પ્રતિબોધિત કરીશું. તો તે દેવભવને યાદ કરે. જિતશત્રુ–પ્રમુખ બધાને જાતિસ્મરણ – ૨૨૬, ત્યાર પછી વિદેહવર રાજકન્યા મલ્લી પાસેથી આવી વાત સાંભળીને તે જિતશત્રુ-પ્રમુખ છએ રાજાઓને શુભ કર્મ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વિશુદ્ધ બનેલ લેયાએથી તથા તે તે આવરણીય કર્મોના ક્ષયોપશમથી ઇહા, અપોહ, માગણા અને ગવેષણ કરવાથી સંસી જીવોને થનાર જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેથી તેમણે તે વાત સારી રીતે સમજી લીધી. ૨૨૭. ત્યારે અહંત મલ્લીએ જાણ્યું કે જિતશત્રુ આદિ છએ રાજાને જાતિ-સ્મરણ જ્ઞાન થયું છે ત્યારે ગર્ભગૃહનાં દ્વાર ઉઘડાવ્યાં. ત્યારે તે જિનશત્રુ આદિ છએ રાજાઓ જ્યાં અહંતુ મલી હતાં ત્યાં આવ્યા. તે રીતે મહાબલ આદિ સાતે બાલમિત્રો એક સ્થાનમાં એકત્રિત થઈ ગયા. મલી તથા જિતશત્રુ આદિ રાજાઓને પ્રવ્રજ્યો–સંક૯૫– ૨૨૮. ત્યાર બાદ અહંતુ મલ્લીએ તે જિતશત્રુ આદિ છએ રાજાને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! ખરેખર સંસારથી ઉદ્વિગ્ન એવી હું તો પાવતુ-પ્રવ્રયા લેવા માગું છું. તો તમે બધા શું કરવા માગે છે? કઈ રીતે રહેવા માગો છો? અથવા તમે સ્વહિત માટે સમર્થ છે?” ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાઓએ અહંન્ મલ્લીને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયે! જો સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને ન્યાવ—તમે પ્રવ્રજ્યા સ્વીકારતા હે તે હે દેવાનુપ્રિય! અમારે માટે બીજું કોણ આધાર છે? અવલંબન છે? પ્રતિબંધ છે? હે દેવાનુપ્રિય! જેવી રીતે આજથી ત્રીજા ભવમાં અનેક કાર્યોમાં તમે મુખ્ય, પ્રમાણભૂત -પાવતુ-ધર્મધુરા ધરનાર હતા, તે જ રીતે હે દેવાનુપ્રિય! આ ભવમાં પણ–પાવત-ધર્મધુરા ધરનાર બને. હે દેવાનુપ્રિય ! સંસારથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત અમે પણ દેવાનુપ્રિયની સાથે મુંડિત થઈને, ગૃહવાસ છોડીને, અણગારિક પ્રવ્રજ્યા લઈશું.' ત્યાર બાદ અહંતુ મલીએ જિનશત્રુ આદિ છએ રાજાઓને આ પ્રમાણે કહ્યું જો તમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન છો. -યાવતુ-મારી સાથે પ્રવજ્યા લેવા ઈચ્છો છો તે હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જઈને જયેષ્ઠ પુત્રને રાજયાસન પર સ્થાપે,સ્થાપીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં બેસી મારી પાસે પાછા આવો.” ત્યારે તે જિતછન્નુ આદિ છએ રાજાઓએ અર્હત્ મલીની તે વાત સ્વીકારી. ત્યાર બાદ અહંત મલ્લી ને જિતશત્રુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy