SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–ષભ ચરિત્ર મલી-જિનચરિત્ર : સૂત્ર ૧૪૧-૧૪૨ ૨૭. તે પછી દેવેન્દ્ર દેવરાજ શક્રના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વતો પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, દેવરાજ દેવેન્દ્ર ઈશાન ઉત્તર દિશાના અંજનક પર્વત પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, તેના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વતો પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે, ચમર દક્ષિણ દિશાના અંજનક પર્વત પર અને તેના લોકપાલ તેમના ચાર દધિમુખ પર્વત પર તથા બલિ પશ્ચિમ દિશાના અંજનક પર્વત પર અને તેના લોકપાલે દધિમુખ પર્વત પર અષ્ટાનિકા મહોત્સવ કરે છે. ત્યાર બાદ તે અનેકાનેક ભવનપતિ, વાનવ્યંતર આદિ દેવો આઠ આઠ દિવસ મહોત્સવ કરે છે, મહોત્સવ કરીને જ્યાં પોતપોતાનાં વિમાન છે, જ્યાં પોતપોતાનાં ભવન છે, જ્યાં પોતપોતાની સુધર્માસભા છે, જેમાં પોતપોતાના માણવક સ્તંભ છે ત્યાં આવે છે, આવીને વાય ગોળ દાબડાઓમાં જિન ભગવંતનાં અસ્થિ રાખે છે, રાખીને ઉત્તમ, ઉત્કૃષ્ટ સુગંધી પદાર્થો અને માળાઓથી પૂજા કરે છે, પૂજા કરીને વિપુલ ભેગે ભોગવતા વિહરવા લાગે છે. || અષભ-જિનચરિત્ર સમાપ્ત . ઇન્દ્રકુભ નામે ઉદ્યાન હતો. તે વીતશોકા રાજધાનીમાં બલ નામે રાજા હતો. ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓનું બનેલ તેનું અંત:પુર હતું. હવે એક વખત તે ધારિણી રાણી સ્વમમાં સિંહ જોઈને જાગી-વાવ-તેણે મહાબલ નામે પુત્રને જન્મ આપ્યો અને તે બાળપણ વટાવીયાવ-ભાગ ભોગવવા શક્તિમાન બન્યો. ત્યાર બાદ માતા-પિતાએ તે મહાબલને એક જ દિવસે સમાન વય અને કુળની એવી કમલશ્રી પ્રમુખ પાંચસો ઉત્તમ રાજકન્યાઓ સાથે પરણાવ્યો. તે પાંચસો પ્રાસાદો સાથે પાંચસો પ્રમાણ દાયજો મેળવીને–ચાવત માનુષી કામભોગો ભોગવતો રહેવા લાગ્યો. ૧૪૩. તે કાળે તે સમય ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં સ્થવિરો સમોસ (આવી ઊતર્યા), પરિષદા નીકળી (લોકસમુદાય ધર્મશ્રવણ માટે ચાલ્યો). બલ રાજા પણ ચાલ્યા. ધર્મ(ઉપદેશ) સાંભળી, ગ્રહણ કરી તેણે હૃષ્ટ-તુષ્ટ થઈ સ્થવિરોની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમન કર્યા, વંદન-નમન કરીને આ પ્રમાણે કહ્યું હે ભદંત! હું નિગ્રંથ પ્રવચન પ્રતિ શ્રદ્ધા રાખું છું—પાવત-મહાબલ કુમારને રાજ્યાસને સ્થાપી ત્યાર બાદ આપ દેવાનુપ્રિમોની પાસે મુંડિત થઈને ગૃહથી છોડીને અણગારપણું સ્વીકારીશ.” હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ’ એમ સ્થવિરોએ કહ્યું-પાવત -અગિયાર અંગોનું જ્ઞાન મેળવી, ઘણાં વર્ષે શ્રમણ-પર્યાય પાળી, જયાં ચારુ પર્વત હતો ત્યાં આવ્યા, આવીને માસભક્ત કરીને સિદ્ધ થયા. ૧૪૪. ત્યાર બાદ કોઈ એક વાર તે કમલશ્રી સ્વમમાં રિહને જોઈને જાગી–સાવત-તેણે બલભદ્ર નામક કુમારને જન્મ આપ્યો-વાવ-તે યુવરાજ બન્યો. ૩. મલી-જિન-ચરિત્ર મહાબલ રાજા અને તેના છ બાલમિત્રો૧૪૨. તે કાળે તે સમયે આ જ જંબુદ્વીપમાં મહા વિદેહ ક્ષેત્રમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં, સુખાવહ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલિલાવતી નામે વિજ્ય (પ્રાન્ત) હતો. તે સલિલાવતી વિજયમાં નવ પોજન વિસ્તારવાળી -પાવતુ-પ્રત્યક્ષ દેવલોક જેવી વીતશોકા નામક રાજધાની હતી. તે વીતશોકા રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy