SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાગ-ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૪ શેષવતી, ૭. ચિત્રગુપ્તા, ૮. વસુંધરા. શેષ વર્ણન પૂર્વવત્-યાવતુ-“તમે ભય ન પામશો” એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થકરમાતાની જમણી બાજુએ, હાથમાં ઝારી ધરીને, મંગળ ગીતો ગાતી ઊભી રહી. ૨૦. તે કાળે તે સમયે પશ્ચિમ-ચક પર્વતની આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કૂટ પર ન્યાવ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થ)-૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭. ભદ્રા અને ૮. સીતા. શેષ વર્ણન પૂર્વવત્ -પાવતુ-‘તમે ભય ન પામશો.' એમ કહી તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતાની પાછળ, હાથમાં પંખા લઈને, ગીતો ગાતી ઊભી રહી. ૩૧. તે કાળે તે સમયે ઉત્તર દિશાના રૂચક પર્વતની નિવાસી આઠ મુખ્ય દિશાકુમારીઓ-યાવત્ -રહે છે. તે આ પ્રમાણે (ગાથાર્થી-૧. અલંબુવા, ૨.મિશ્રાકેશી, ૩. પુંડરીકા, ૪. વારુણી, પ. હાસા, ૬. સર્વપ્રભા, ૭. શ્રી અને વળી ૮. હી. પૂર્વ વર્ણન મુજબ -યાવ–-તીર્થકર ભગવંત અને તીર્થંકર -માતાની ડાબી બાજુએ, હાથમાં ચામર ધારણ કરીને, મંગળ ગીતો ગાતી ઊભી રહી. ૩૨. તે કાળે સમયે વિદિશાઓ (ચારે દિશા-કોણે) માંના રુચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિશાકુમારીઓ-યાવ-રહે છે. તે આ પ્રમાણે(ગાથાર્થી-૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શતેરા અને ૪.સૌદામિની. પૂર્વ વર્ણન મુજબ-થાવત્ -ભય ન પામશો.' એમ કહી તીર્થંકર ભગવંત અને તીર્થકર.માતા સમક્ષ ચારે કોણમાં, હાથમાં દીપક ધરીને, સુમધુર સ્વરે ગાની ઊભી રહી. મધ્યવતી ચકવાસી દિશાકુમારી-મહત્ત રિકાઓ દ્વારા કરાયેલ નાભિનાળ-ક્તન– ૩૩. તે કાળે તે સમયે મધ્યવતી સુચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિશાકુમારીએ પેન પોતાના કૂટ પર પૂર્વવર્ણન મુજબ–પાવરહે છે તે આ પ્રમાણે ગાથાર્થી–૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરૂપા અને ૪. રૂપકાવતી. શેષ વર્ણન પૂર્વવત્યાવર્તુ- તમે ડરશો નહીં.' એમ કહી તેઓ તીર્થકર ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે કાપીને એક ખાડો ખોદે છે. ખાડો ખોદી તેમાં નાભિનાળ દાટે છે. દાટીને ખાડે રત્નો અને હીરાઓ વડે પૂરે છે. પૂરીને તે પર હરિયાળી દૂર્વાની પીઠિકા બનાવે છે. પીઠિકા બનાવીને તેની ત્રણે બાજુ એક એક કદલીગૃહ વિદુર્વે છે. ત્યારબાદ તે દરેક કદલીગૃહની બરાબર વચ્ચે તેઓ એક એક ચતુ:શાળા વિકુ છે. ત્યારબાદ તે ચતુ શાળાઓની વચ્ચોવચ્ચ એક એક સિંહાસન વિકુવે છે. તે સિંહાસને આ આ રૂપ-વર્ણ–ગંધવાળા છે–તે સર્વ વર્ણન અહીં કહેવું. દિશાકમારીઓ દ્વારા કરાયેલ માતા-પુત્રની સ્નાનાદિ વિધિ– ૩૪. તે પછી તે મધ્ય રુચકવાસી ચારે મુખ્ય દિશા કુમારીઓ જ્યાં તીર્થકર ભગવંત અને નીર્થકર માતા હતાં ત્યાં આવી, આવીને તીર્થકર ભગવંતને પોતાની હથેળીમાં લે છે અને તીર્થકર માતાને હાથને ટેકો આપી ઊભાં કરે છે. ઊભાં કરીને જ્યાં જમણી બાજુનું કદલીગૃહ છે, જ્યાં ચતુ:શાળા છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે, આવીને તીર્થકર ભગવંત અને તીર્થંકર-માતાને સિંહાસન પર બેસાડ છે, બેસાડીને શતપાક-સહસ્ત્રપાક તેલ વડે તેમને અલ્લંગ (માલિશ) કરે છે. અન્ય ગ કરીને સુગંધિત દ્રવ્યોથી ઉપટણ કરે છે. ઉપટણ કરીને તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે અને તીર્થંકર-માતાને હાથનો ટેકો આપી ઊભાં કરે છે. એમ કરીને જ્યાં પૂર્વ દિશાનું કદલીગૃહ છે, જ્યાં તેમાં રહેલ ચતુ:શાળા છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy