SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯૦ રાજી-ાન-જોહવંડ-૩૨-૩૧ર-વધિ-રિપલિયા, मच्छंत-हियय-संचुण्णियंगमंगा, आणत्तिकिंकरेहिं । केइ अविराहियवेरिएहिं जमपुरिससन्निहिं पहया । ते तत्थ मंदपुण्णा चडवेला वज्झपट्ट-पाराई, छिव- कस-लत्त वरत्त नेत्तप्पहारसयतालियंगमंगा किवणा लंबंत-चम्म वण-वेयण- विमुहियमणा, घण कोट्टिम-नियल-जुयल-संकोडिय मोडिया य कीरंति निरुच्चारा असंचरणा । एया अन्ना य एवमाइओ वेयणाओ पावा पावेंति । - ૫૪. બા. રૂ, સુ. ૭૨-૭૨ ૩૮, તારાળે વિધી ૩૮. अदतिंदिया वसट्टा बहुमोहमोहिया परधणंमि लुद्धा, સિંવિય-વિક્ષયતિવિદ્ધા, ત્યિાય-વ-સદ્દ-રસगंध - इट्ठ-रइ-महिय-भोगतण्हाइया य धणतोसगा गहिया य, जे नरगणा पुणरवि ते कम्मदुब्बियद्धा उवणीया रायकिंकराणं तेसिं वहसत्थगपाढयाणं विलउलीकारगाणं સંવતય-શેવાળ, ડ-વડ-માયા-નિયંત્તિ-ગાયરળपणिहि - वंचण-विसारयाणं, बहुविह अलियसयजंपकाणं, परलोक- परंमुहाणं, निरयगइगामियाणं । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ માછલી પકડવાનાં કાંટા સમાન ઘાતક કાળા લોખંડના સળીયા છાતી, પેટ, ગુદા અને પીઠમાં ખોસવાથી તેઓ અત્યંત પીડાનો અનુભવ કરે છે. આવી-આવી યાતનાઓ પહોંચાડવાને કારણે ચોરી કરવાવાળાનું હૃદય મંથન કરવામાં આવે છે અને તેમના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા થઈ જાય છે. કેટલાકને અપરાધ કર્યા વગર જ દુશ્મન બનેલા યમદૂત જેવા સિપાહીઓ અથવા કારાગારના કર્મચારીઓ દ્વારા દુ:ખી કરાય છે. આ રીતે તે અભાગી મંદપુણ્ય ચોર ત્યાં કારાગારમાં થપ્પડો, મુઠ્ઠીઓ, ચર્મપટ્ટાઓ, લોઢાના ખીલાઓ, લોઢાના તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ તથા સોટીઓના સેંકડો પ્રહારોથી અંગ-અંગમાં તકલીફ આપી તેમને પીડા દેવામાં આવે છે. લટકતી ચામડી પર થયેલા ઘાવોની વેદનાથી તે બિચારા ચોરોનું મન ઉદાસ થઈ જાય છે. લોઢાના ઘનને ટીપી-ટીપીને બનાવેલી બંને બેડીઓને પહેરાવી રાખવાના કારણે તેમના અંગ સંકુચિત થઈ જાય છે, વળી જાય છે અને ઢીલા પડી જાય છે, તેમના મળ-મૂત્રત્યાગ પણ રોકી દેવામાં આવે છે, તેઓ હરી-ફરી પણ નથી શકતાં. આ અને આવા જ પ્રકારની અન્યાન્ય વેદનાઓ તે ચોરી કરવાવાળા પાપી લોકો ભોગવે છે. તસ્કરોની દંડવિધિ : આ સિવાય જેમણે પોતાની ઈન્દ્રિયોનું દમન નથી કર્યું, શબ્દાદિક વિષયોમાં વશીભૂત થઈ રહ્યા છે, તીવ્ર આસક્તિના કારણે હિતાહિતના વિવેકથી રહિત થઈ ગયા છે, પરધનમાં લુબ્ધ છે, સ્પર્શેન્દ્રિયના વિષયમાં તીવ્ર રૂપથી આસક્ત છે. સ્ત્રીઓના રૂપ, શબ્દ, રસ અને ગંધમાં મનોનુકૂલ તિ તથા ભોગની તૃષ્ણાથી વ્યાકુલ બનેલા છે તથા કેવળ ધનની પ્રાપ્તિમાં જ સંતોષ માનવાવાળા છે, એવા મનુષ્યગણ-ચોર રાજકીય પુરૂષો દ્વારા પકડી લેવામાં આવે છે ત્યારે ફરીથી પાપ કર્મોના પરિણામને નહિં જાણવાવાળા, વધની વિધિઓને ઊંડાણથી સમજવાવાળા, અન્યાયયુક્ત કર્મ કરવાવાળા અથવા ચોરોને પકડવામાં ચતુર, ચોર અથવા લંપટને તરત જ ઓળખી જવાવાળા, સેંકડો વખત લાંચ-રિશ્વત લેવાવાળા, જૂઠ, કપટ, માયા, નિકૃતિ વેશ પરિવર્તન કરી ચોરને પકડવા તથા તેની પાસે અપરાધ કબૂલ કરાવવામાં અત્યંત કુશળ નરકગતિગામી, પરલોકથી વિમુખ તથા અનેક પ્રકારના સેંકડો અસત્ય ભાષણ કરવાવાળા રાજપુરૂષોની સમક્ષ ઉપસ્થિત કરી દેવામાં આવે છે. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy