SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૨ #llllllllllllllithilillaelli HaithilliHitHilliHitihillite lit l/l| ||| I|||||||||||////tus ////////g!!!!!HIT Eસા lilu મા કામ ના કાકા Hi-illi li lifittitutiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiii il II IIIIIIIIIIIIIIIII Hill italitiesHi hilisis (૪) ભૂતાનંદ (૫) વેણુદેવ (૬) વેણુદાલી (૭) હરિકાંત (૮) હરિસ્સહ (૯) અગ્નિશિપ (૧૦) અગ્નિમાણવ (૧૧) પૂર્ણ (૧૨) વશિષ્ઠ (૧૩) જલકાંત (૧૪) જલપ્રભ (૧૫) અમિતગતિ (૧૬) અમિતવાહન (૧૭) વેલમ્બ (૧૮) પ્રભંજન (૧૯) ઘોષ (૨૦) મહાઘોષ (૨૧) ચંદ્ર (૨૨) સૂર્ય (૨૩) શક્ર (૨૪) ઈશાન (૨૫) સનકુમાર (૨૬) મહેન્દ્ર (૨૭) બ્રહ્મ (૨૮) લાંતક (૨૯) મહાશુક્ર (૩૦) સહસ્ત્રાર (૩૧) પ્રાણત અને (૩૨) અય્યત. આમાંથી ચમરથી લઈ મહાઘોષ સુધી ભવનપતિ ઈન્દ્ર છે. શક્ર આદિ દશ વૈમાનિક કલ્પોના ઈન્દ્ર છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ અહમિન્દ્ર કહ્યા છે. અર્થાતુ તે ઈન્દ્ર અને પુરોહિત રહિત હોય છે. આ ૩૨ ઈન્દ્રોમાં વાણવ્યંતરેન્દ્રોની ગણના થઈ નથી. ચમરેન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષી ઈન્દ્ર છે. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરથી લઈ મહાઘોષ ઈન્દ્ર સુધી સમસ્ત ઈન્દ્રોને તથા દેવેન્દ્ર દેવરાજ શક્રથી લઈ અચ્યતેન્દ્ર સુધી ઈન્દ્રોને ત્રાયક્ઝિશક દેવ કહેવામાં આવે છે. તે તેત્રીસ વિશિષ્ટ પ્રકારના દેવ છે. વિભિન્ન ઈન્દ્રોના સામાનિક (સામાન્ય) દેવોની સંખ્યા જુદી-જુદી હોય છે. જેમ- દેવેન્દ્ર શુક્રના સામાનિક દેવોની સંખ્યા ૮૪ હજાર છે. જ્યારે દેવેન્દ્ર મહેન્દ્રના સામાનિક દેવોની સંખ્યા ૭૦ હજાર છે. અમરેન્દ્રના સામાનિક દેવોની સંખ્યા ૬૪ હજાર અને વૈરોચનેન્દ્ર બલીના દેવોની સંખ્યા ૬૦ હજાર જ છે. અસુરકુમાર દેવો પર દશ દેવ આધિપત્ય કરતા વિચરણ કરે છે. જેમ- (૧) અસુરેન્દ્ર અસુરરાજ ચમર (૨) સોમ (૩) યમ (૪) વરુણ (૫) વૈશ્રમણ (૬) વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી (૭) સોમ (૮) યમ (૯) વરુણ અને (૧૦) વૈશ્રમણ. એમાં પ્રારંભના પાંચ દક્ષિણ દિશાના દેવ છે તથા અંતિમ પાંચ ઉત્તર દિશાના દેવ છે. ચમર અને બલી ઈન્દ્ર છે તથા બંનેના ચાર - ચાર લોકપાલ છે. આ પ્રમાણે નાગકુમાર દેવો પર પણ દશ દેવ આધિપત્ય કરે છે. જેમાં ધરણ અને ભૂતાનંદ બે ઈન્દ્ર અને શેષ લોકપાલ છે. સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકમાર, વાયુકમાર અને સ્વનિતકુમાર દેવો પર તેમના સંબંધિત બે-બે ઈન્દ્ર અને ચાર-ચાર લોકપાલ આધિપત્ય કરે છે. વ્યંતર દેવોના પિશાચ આદિ આઠ પ્રકારના દેવો પર એમના સંબંધિત કાળ, મહાકાળ, ભીમ, મહાભીમ આદિ બે-બે ઈન્દ્ર આધિપત્ય કરતા થકા વિચરણ કરે છે. જ્યોતિષી દેવો પર ચંદ્ર અને સૂર્ય એ બે દેવ (ઈન્દ્ર) આધિપત્ય કરતા વિચરણ કરે છે. વ્યંતર અને જ્યોતિષીના લોકપાલ નથી. વૈમાનિકોનાં સૌધર્મ અને ઈશાન કલ્પમાં શક્ર અને ઈશાન ઈન્દ્રોના સહિત સોમ, યમ આદિ દશ દેવ આધિપત્ય કરતાં વિચરણ કરે છે. જેમાં બે ઈન્દ્ર અને શેષ ચાર-ચાર લોકપાલ છે. અન્ય કલ્પોમાં પણ તે-તે કલ્પોના ઈન્દ્રો સહિત સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ દેવ આધિપત્ય કરતા વિચરણ કરે છે. આધિપત્ય હોવાના કારણે સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ દેવોનું કાર્ય જુદુ-જુદુ છે. એમની પાસે જુદા-જુદો મન્નાલય છે, જેની દેખ-રેખ એ જ દેવો કરે છે તથા ઈન્દ્ર આમના ઉપર નિયંત્રણ રાખે છે અને અન્ય કાર્ય પણ કરે છે. તેઓને સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ લોકપાલ પણ કહ્યા છે. વ્યંતર અને જ્યોતિષી દેવોના લોકપાલ હોતા નથી. ભવનપતિ અને વૈમાનિકોના જ લોકપાલ કહ્યા છે. ઈન્દ્રો અને લોકપાલોની અગ્રમહિષીઓ અને દેવીઓનું પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તારથી વર્ણન ઉપલબ્ધ છે. ભવનપતિમાં અસુરેન્દ્ર ચમરની પાંચ અગમહિષીઓ કહી છે- (૧) કાળી (૨) રાજી (૩) રજની (૪) વિદ્યુત અને (૫) મેઘા. એમાં પ્રત્યેક અગમહિષીની આઠ - આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. ચમરના લોકપાલ સોની ચાર અગ્રમહિષીઓ કહી છે- (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુન્ધરા. એમાં પ્રત્યેક દેવીનો એક - એક હજાર દેવીઓનો પરિવાર છે. આ પ્રમાણે ચમરના લોકપાલ યમ, વરુણ અને વૈશ્રમણની કનકાદિ ચાર અઝમહિષીઓ અને તેનો દેવી પરિવાર કહેવામાં આવ્યો છે. વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીની પાંચ અગમહિષીઓ છે - (૧) શુભા (૨) નિશુક્લા (૩) રંભા (૪) નિરંભા અને (૫) મદના. આ પ્રત્યેકનો આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર છે. બલીન્દ્રના લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણમાં પ્રત્યેકની ચાર - ચાર અઝમહિષીઓ છે - (૧) મેનકા (૨) સુભદ્રા (૩) વિજયા અને (૪) અશની. આમાં પ્રત્યેકનો એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. નાગકુમારેન્દ્ર ધરણની અલા, મક્કા આદિ છ અગ્રમહિષીઓ છે. આમાં પ્રત્યેકનો છ - છ હજાર દેવીઓનો પરિવાર છે. ધરણેન્દ્રના નામ તા- Initin mi iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitem= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy