SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ ૨૨. પશ્યતા અધ્યયન ‘સળયા' શબ્દ જૈન આગમોમાં પ્રયુક્ત એક વિશિષ્ટ શબ્દ છે, જેમાં જ્ઞાન અને દર્શનનો સમાવેશ થઈ જાય છે. જ્ઞાન અને દર્શનનો સમાવેશ "ઉપયોગ” શબ્દમાં પણ થયો છે, પરંતુ ઉપયોગ અને સળયા (પશ્યતા) માં ભેદ છે. ઉપયોગમાં જ્ઞાન અને દર્શનના સમસ્ત ભેદો ગ્રહણ થાય છે, જ્યારે પાસળયા માં મતિજ્ઞાન અને અચક્ષુદર્શન ગ્રહણ થતાં નથી. પાસયા ના માટે હિંદીમાં પશ્યતા શબ્દનો પ્રયોગ થયો છે. જે બોદ્ધ દર્શનમાં પ્રચલિત વિપશ્યનાથી અલગ અર્થ રાખે છે. વાસળા શબ્દનો વાસ્તવિક અર્થ શું એ શોધનો વિષય છે, પરંતુ એના સંબંધમાં આગમોમાં જે તથ્ય સંકલિત છે તેનાથી જાણ થાય છે કે તે ઉપયોગથી જુદો જ છે. ઉપયોગની જેમ પાસણયાના બે ભેદ વર્ણવ્યા છે.- સાકારપાસણયા અને અનાકાર પાસણયા. સાકારપશ્યતા (પાસણયા) છ પ્રકારની છે.- શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન. મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને પાસણયાના ભેદોમાં ગણેલ નથી. માટે જાણ થાય છે કે સાકારપાસણયાના અન્તર્ગત માત્ર વર્તમાનકાળનો વિષય કરનાર આભિનિબોધિક (મતિ) જ્ઞાન અને મતિઅજ્ઞાનનો સમાવેશ થતો નથી. પાષણયા ત્રૈકાલિક વિષયોથી સમ્બદ્ધ છે. અનાકાર પશ્યતાના ત્રણ પ્રકાર છે - ચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આમાં અચક્ષુદર્શનનો સમાવેશ થતો નથી. કારણ કે તે બાકીના ત્રણ દર્શનોની અપેક્ષાએ અપરિસ્ફુટ હોય છે. અનાકાર પશ્યતામાં તે જ ત્રણ દર્શનોનો સમાવેશ છે. જેમાં વિશદતા કે પરિસ્ફુટતા છે. ચોવીસ દંડકોમાં પાસણયાનું વર્ણન કરવાથી જાણી શકાય છે કે એકેન્દ્રિય જીવોમાં એક માત્ર શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતા પ્રાપ્ત થાય છે. બેઈન્દ્રિય અને ત્રેઈન્દ્રિય જીવોમાં શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતા મળે છે. ચઉરેન્દ્રિય જીવોમાં શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતાના સિવાય ચક્ષુદર્શન અનાકા૨પશ્યતા પણ ઉપલબ્ધ હોય છે. કારણ કે તે ચક્ષુઈન્દ્રિય યુક્ત હોય છે. નૈરયિકો, દેવો અને પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની સાકારપશ્યતા તથા ચક્ષુદર્શન અને અવધિદર્શનના ભેદથી બે પ્રકારની અનાકારપશ્યતા થઈ શકે છે. મનુષ્યોમાં સાકાર પશ્યતાના છ અને અનાકા૨પશ્યતાના ત્રણેય ભેદ પ્રાપ્ત થાય છે. આ વર્ણન સમુચ્ચયથી છે. પ્રત્યેક જીવની અપેક્ષાએ તેમાં ભિન્નતા રહે છે. Jain Ed જીવમાં પ્રાપ્ત થનારી સાકારપશ્યતાના આધારે તે સાકારપશ્મી અને અનાકારપશ્યતાના આધારે તે અનાકારપશ્તી કહેવાય છે. Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy