SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ ओरालियसरीरीसु जीव-मणूसेसु तियभंगो। अवसेसा आहारगा, णो अणाहारगा-जेसिं अस्थि ओरालियसरीरं। वेउब्वियसरीरी, आहारगसरीरी य आहारगा, णो अणाहारगा जेसिं अस्थि । तेय-कम्मगसरीरी जीवेगिंदियवज्जो तियभंगो। असरीरी जीवा सिद्धा य णो आहारगा. अणाहारगा। ૧૩ઉત્તિર आहारपज्जत्तीपज्जत्तए, सरीरपज्जत्तीपज्जत्तए, इंदियपज्जत्तीपज्जत्तए, आणापाणुपज्जत्तीपज्जत्तए, भासा-मण-पज्जत्तीपज्जत्तए एयासु पंचसु वि पज्जत्तीसु जीवेसु, मणूसेसु य तियभंगो। अवसेसा आहारगा, णो अणाहारगा। દ્રવ્યાનુયોગ ભાગ-૧ દારિક શરીરી જીવો અને મનુષ્યોમાં ત્રણ ભાંગા હોય છે. બાકી જીવ આહારક હોય છે, અનાહારક હોતા નથી. પરંતુ જેને ઔદારિક શરીર હોય તેનું જ વર્ણન કરવું જોઈએ. વૈક્રિય શરીરી અને આહારક શરીરી આહારક હોય છે. અનાહારક હોતા નથી. સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને તૈજસ શરીર અને કાશ્મણ શરીરવાળા જીવોમાં ત્રણ ભાંગા હોય છે. અશરીરી જીવ અને સિદ્ધ આહારક હોતા નથી, પરંતુ અનાહારક હોય છે. ૧૩. પર્યાપ્તિ દ્વાર : આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તથા ભાષા મન: પર્યાપ્તિ આ પાંચ (છ) પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવ અને મનુષ્યોમાં ત્રણ-ત્રણ ભાગ હોય છે. બાકીના જીવ આહારક હોય છે, અનાહારક હોતા નથી. ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ પંચેન્દ્રિય જીવોમાં જ હોય છે, અન્ય જીવોમાં નથી. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ એકત્વ અને બહત્વની અપેક્ષાએ આહારક હોતા નથી, તે અનાહારક હોય છે. શરીર પર્યાપ્તિથી અપર્યાપ્તા જીવ એકત્વની અપેક્ષાએ ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે. આગળની (અંતિમ) ચાર અપર્યાપ્તિઓવાળા (શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય-પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા મન:પર્યાપ્તિથી અપર્યાપ્તક) નારક, દેવો અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે. બાકીમાં સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને ત્રણ ભાગ હોય છે. ભાષા મન: પર્યાપ્તિથી અપર્યાપ્ત સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં (બહુત્વની વિવક્ષાએ) ત્રણ ભાંગા હોય છે. નારક, દેવી અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે. भासा-मण-पज्जत्ती पंचेंदियाणं, अवसेसाणं णत्थि। आहारपज्जत्तीअपज्जत्तएणो आहारगे, अणाहारगे एगत्तेण वि पुहत्तेण वि। सरीरपज्जत्तीअपज्जत्तए सिय आहारगे. सिय માદા | उवरिल्लियासु चउसु अपज्जत्तीसु णेरइय-देवमणूसेसु छब्भंगा। अवसेसाणं जीवेगिंदियवज्जो तियभंगो। भासा-मणपज्जत्तीए अपज्जत्तएसु जीवेसु पंचेंदिय-तिरिक्खजोणिएसु य तियभंगो, णेरइय-देव-मणुसएसु छब्भंगा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy