SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [દશવૈકાલિક છતાં વધે છે, જન્મે છે, માટે જીવ છે, તેમ જળ પણ દ્રવ–પ્રવાહી છતાં સજીવ છે. દેખાતું પાણી તે જલીયજીવેાનાં શરીરેશને સમૂહ છે. અગ્નિ પણ વાયુ, કાઇ કે તેલ વગેરે ખારાક મળતાં વધે છે, ન મળે તા . એલવાય છે, માટે તે સજીવ છે. માનવદેહમાં જઠરની ગરમી હોય છે તે જીવ હાવાની નિશાની છે, જીવ ચાલ્યા જતાં ગરમી તેની સાથે ચાલી જાય છે અને શરીર ઠંડુ થવા માંડે છે, તેમ અગ્નિની ઉષ્ણતા પણ સજીવની નિશાની છે. જીવ ચાલ્યા જતાં કાલસા–રાખ વગેરે ઠંડાં પડી જાય છે, ઈત્યાદિ અનેક યુક્તિએથી અગ્નિનુ સજીવપણું સિદ્ધ છે. વાયુ પણ સજીવ છે, અચેતન પટ્ટાને કાઈ પ્રેરક જીવ ન હોય તે તે સ્વયં ગતિ કરી શકતા નથી. જડ પણ શરીરમાં હલન ચલન આદિ દેખાય છે તે તેમાં રહેલા જવની પ્રેરણાને આભારી છે. મનુષ્યમાં તેની બુદ્ધિ, ઇચ્છા, સંજ્ઞાદિના બળે જે અમુક નિયત હલન-ચલન આદિ દેખાય છે, તે તેમાં રહેલા જીવની પ્રેરણાને આભારી છે. મનુષ્ય તેની બુદ્ધિ ઈચ્છા સંજ્ઞાદિના બળે હલન ચલનાદિ સઘળુ અમુક નિયત કરે છે અને વાયુમાં તેવી વ્યકત સંજ્ઞા કે બુદ્ધિ નહિ હોવાથી અનિયત તિ ગમન હોય છે. કેવળ જડનું ગમન થઈ શકે નહિ. તિğ” ગમન થાય છે માટે વાયુ સજીવ છે જ. વનસ્પતિકાયમાં તે ધણાં લક્ષણા મનુષ્યના જેવાં દેખાય છે. કેતકી-આંખા-વડ વગેરેનું મૂળમાંથી બહાર નીકળવું તે તેના જન્મ છે, પછી તેમાં બાલ્યાદિ અવસ્થાએ ક્રમશઃ પ્રગટે છે. લજામણી-બકુલવૃક્ષ વગેરમાં લજ્જા સ્પષ્ટ દેખાય છે. મનુષ્યના અવયવાની પેઠે વનસ્પતિમાં અંકુરા પત્રો શાખા પ્રશાખાએ પ્રગટે છે. સ્ત્રીને યાનિ હોય છે તેમ વૃક્ષાને પુષ્પા હોય છે, તેમાં સંતતિની જેમ ફળો નીપજે છે, મનુષ્યને નિદ્રા-જાગરણુ હોય તેમ ધાવડી-પ્રપુનાટ વગેરેનાં પત્રો, સૂવિકાશી કમળો, ઈત્યાદિ સૂર્યાસ્ત સમયે સક્રાચાય છે, ઉદય વખતે ખીલે છે. ઘુવડ વગેરે રાત્રિયે કરનારા જીવાની જેમ ચંદ્રવિકાસી કમળો રાત્રે વિકાસ અને દિવસે સકાય પામે છે. શરીરથી કપાયેલા અવયવા શોષાય તેમ પત્રફળ-પુષ્પા-શાખાદિ પણ કપાયા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy