SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં એકાદ મહિનો રહ્યો પણ મન ઠર્યું નહિં. અરવિંદ આશ્રમમાંથી તે ગાંધીજી પાસે ગયો. એમને મળ્યો અને પોતાની મનોદશા જણાવી. અને કહ્યું, મારું જીવન નવી દિશા શોધે છે. કઈ રીતે એ દિશામાં પહોંચે.’ ગાંધીજીએ કહ્યું, ‘તને જે પંથ ગમે તે માર્ગે તું પ્રયાણ કર. તારા માર્ગદર્શક તરીકે પ્રકાશને સ્વીકારજે. એ જે દિશા બતાવે એ દિશામાં જજે. એનો કદી ત્યાગ કરતો નહિ.' વર્ધાની મુલાકાત પુરી થઈ. એને રમણ મહર્ષિ પાસે જવાનું મન થયું. ગાંધીજીનું માર્ગદર્શન દિલમાં ભરીને તે રમણ મહર્ષિ પાસે પહોંચ્યો. રમણ મહર્ષિના સાનિધ્યમાં મન શું થોડી શાંતિ મળી. ત્યાં ધ્યાનમગ્ન રહેવા લાગ્યો. વળી ઘરે આવ્યો અને ત્યાં ગયો. મહર્ષિ આંખો વડે જ પોતાને વ્યક્ત કરતા હતા. એ આંખની ભાષા એને સ્પર્શી ગઈ. રૂપ કોઈવાર સવાલ કરતો. મહર્ષિ આકાશ તરફ આંગળી કરીને મૌન વાણીમાં કહેતા, ‘ઉર્ધ્વગમન કરજે.' વળી રમણ મહર્ષિ પોતાની છાતી પર આંગળી રાખીને નયનથી સમજાવતા, તું જ તે છે, તું જ તે છે. તું અંતરમાં ઉતરી રૂપને એમના સાનિધ્યમાં અવનવો અનુભવ થયો અને અંતે એ ઘેર આવ્યો. પણ ઘરમાં મન ચોંટતું નહિ. એકલા રહેવાની ઈચ્છા હતી. એને હિમાલય કે કાશી જવાનું મન થયું. પિતાએ કહ્યું “તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં જજે પણ હું ઈચ્છું છું કે તું પાલીતાણા જા. તારી એ જાત્રા મને ગમશે.' રૂપે પિતાનાં સૂચનને વધાવી લીધું અને તે પાલીતાણા જવા નીકળ્યો. એ ટ્રેનમાં બેઠો ત્યારે એને મહાત્માગાંધીના શબ્દો યાદ આવ્યા, | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રશ્ના ચિત્રભાનું ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001805
Book TitleShantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Original Sutra AuthorN/A
AuthorClare Rosenfield
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy