SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા તેમ છે. નિદર્શના અલંકારવાળી નીચેની પંક્તિઓ કવિની ચતુરાઈ દર્શાવે છે : કિહાં કાંકરો ને કહાં મેરુ શૃંગ? કહાં કેસરી ને કહાં તે કુરંગ ? કહાં વિશ્વના કહાં અન્ય દેવા ? કરો એકચિત્તે પ્રભુ પાસ સેવા. | ૪ | વિએ ભુજંગી છંદમાં આ રચના કરી છે. નેમિનાથનો છંદ : જૈન સાહિત્યની છંદરચનાઓમાં મુનિ લાવણ્ય સમયની સંવત ૧૫૪૬ની એક રચના પ્રાપ્ત થાય છે. કવિએ વિવિધ છંદોમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવ્યું છે. તેની રચના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. કવિની પ્રાસાદિક શૈલી અને અલંકાર યોજના આ છંદમાં નોંધપાત્ર છે. શ્રી સૂર્યદીવાવાદ છંદ : કવિ લાવણ્ય સમયે આ છંદની રચના ૩૦ છપ્પામાં કરી છે, અને તેમાં સૂર્ય અને દીવો બંને વચ્ચે કોણ સરસ છે એ બાબતનો વિવાદ વર્ણવ્યો છે. અહીં કવિની કલ્પના મનોહર બની છે. મહાવીર સ્વામીનો છંદ : કવિ ઉદયસાગરે ભુજંગી છંદની ૧૫ ગાથામાં મહાવીર સ્વામીના છંદની રચના કરી છે. આ છંદની વિશેષતા એ છે કે તેમાં ભગવાન મહાવીરના જીવન અને કાર્ય વિશે કોઈ ઉલ્લેખ નથી પણ વીતરાગી મહાવીર સિવાય પરિગ્રહવાળા અન્ય દેવદેવીઓની ઉપાસના કરવા યોગ્ય નથી, તેનો નામોલ્લેક કરીને ભગવાન મહાવીરનું શરણ સ્વીકારીને મુક્તિ મેળવી શકાય છે, એમ જણાવ્યું છે. કોઈ દેવ હાથે અસિ ચક્રધારા, કોઈ દેવ ઘાલે ગળે રૂદ્રમાળા, કોઈ દેવ ઉસંગે રાખે છે વામા, કોઈ દેવ રાગે રમે વૃંદ રામા. || ૪ | કોઈ દેવ જપે લેઈ જપમાળા, કેઈ માંસભક્ષી મહા વિકરાળા, કોઈ યોગીની ભોગિની ભોગ રાગે, કોઈ રૂદ્રાણી છાગનો હોમ માગે. | ૫ || ભગવાન ભક્તોના ઉદ્ધાર કરે, તારા સિવાય મારો કોઈ ઉદ્ધારક નથી.” એમ હૃદયની શુભભાવનાથી જણાવ્યું છે. કવિએ આ ભાવને નીચેની પંક્તિમાં વ્યક્ત કર્યો છે. ગતિચાર સંસાર અસાર પામી, આવ્યો આશ ધરી પ્રભુ પાય સ્વામી, તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાગી. | ૧૪ || કવિએ વિવિધ દેવદેવીઓના ઉલ્લેખ કરીને મિથ્યાત્વનો કટાક્ષ કર્યો છે અને વીતરાગ સિવાય અન્ય કોઈની ઉપાસના કરવી નહિ એવી પાયાની હકીકત કે જે સમક્તિનો મૂળભૂત ભાગ છે તેનું નિરૂપણ કર્યું છે. જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયને લોકપ્રચલિત ઉદાહરણ દ્વારા અહીં સ્થાન આપવામાં આવ્યું છે. અહીં કાવ્યની રચનામાં પદલાલિત્ય અને માધુર્ય જોવા મળે છે. શ્રી ગૌતમસ્વામીનો છંદ : આ છંદની નવ ગાથામાં અનંતલબ્ધિ નિધાન ભગવાન મહાવીરના પ્રથમ ગણધર અને જૈન સમાજના સૌ કોઈના મહાન ગુરુ ગૌતમસ્વામીનો અભૂતપૂર્વ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પ્રભાતના સમયમાં અને શુભકાર્યના પ્રારંભમાં ગૌતમસ્વામીનું સ્મરણ સર્વ પ્રકારની અભિલાષા પૂર્ણ કરે છે. એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy