SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા નિરૂપણ કર્યું છે, એટલે આ કાવ્યો આધ્યાત્મિક વિવાહના વાસ્તવિક દષ્ટાંતરૂપે જૈન સમાજમાં ભક્તિ ભાવનાથી આસ્વાદ્ય બને છે. “વેલિ”નું વિષયવસ્તુ તીર્થકર ભગવાન, ઐતિહાસિક મહાપુરુષોનાં ચરિત્ર સાથે સંબંધ ધરાવે છે. તદુપરાંત જૈન દર્શનના તાત્ત્વિક વિષયને કેન્દ્રમાં રાખીને પણ “વેલિ' કાવ્યો રચાયાં છે. જૈન સાહિત્યના વિવિધ કાવ્ય પ્રકારની કૃતિઓનો અભ્યાસ કરતાં સર્વ સામાન્ય રીતે એમ અનુમાન કરવામાં આવે છે કે, રાસ-ફાગુનુપવાડો, વિવાહલો, આખ્યાન, ચોપાઈ, શ્લોકો વગેરેની રચનાઓ વ્યક્તિ વિષયક હોવાની સાથે તત્કાલીન પ્રચલિત કાવ્યપ્રકારને ધ્યાનમાં રાખીને તાત્વિક વિષયને પણ આવા નામથી સ્થાન આપવામાં આવ્યું છે. દા.ત. પૃથ્વીરાજ રાઠોડની ચિહુંગતિ વેલિમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિના વર્ણન પછી આત્મા પંચમી ગતિ સિદ્ધિ ગતિને પામે તેવો ઉલ્લેખ થયો છે. આ પ્રકારનાં કાવ્યો રાજસ્થાની હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ રચાયેલા પ્રાપ્ત થાય છે. રાજસ્થાની ભાષામાં “વીરગાથા” કાવ્યમાં “વેલિ' રચનાનો સંદર્ભ મળે છે. રાજસ્થાની ભાષાના ઇતિહાસમાં પણ “વેલિ' શબ્દનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ સમય સંવત ૧૪૬૦ થી ૧૭૮૦નો છે. પૃથ્વીરાજ રાઠોડે રાજસ્થાનની ડિંગલ ભાષામાં કિસન રૂક્મિણી વેલિની રચના કરી છે. ડિગલ ભાષાની ૩૦૫ કડીમાં રચાયેલી આ સુપ્રસિદ્ધિ (ખંડ કાવ્યની) કૃતિ છે. વેલિઓ' નામનો છંદ છે. ઉપરોક્ત રચનામાં આ છંદનો પ્રયોગ થયો છે. તેનું બંધારણ નીચે મુજબ છે. આ છંદનું બીજું નામ છોડી શૈણોર છે “વેલિયો' ઉપશૃંદ છે. તેમાં ૧૬ અથવા ૧૮ માત્રાનો પ્રયોગ થાય છે. મુહરાવલી તક મહી મુહસમાહિ મૃણની, બી ગીત ઈમ વેલિયો આદિ ગુરુલઘુત.” આ છંદના ચાર ચરણમાં ૧૬-૧૫-૧૬-૧૫ માત્રા છે. તેની ગતિ વીર અથવા શ્રાલ્ડા છંદ જેવી હોય છે. ગીતના પ્રથમ ચરણની દરેક કડીમાં બે માત્રા વધુ હોય છે. એટલે ૧૬ માત્રાને બદલે ૧૮ માત્રાનો પ્રયોગ થાય છે. વેલિના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત કર્યા પછી વિવિધ વિષયની વેલિઓનો ઉલ્લેખ આ પ્રકારની લોકપ્રિયતા અને વિશેષતાનો પરિચય કરાવે છે. વેલિ પ્રકારની કૃતિઓ મોટે ભાગે જૈન સાહિત્યમાં મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. કિસન રૂક્મિણી વેલિના પદ્ય ૨૯૧થી ૨૯૩માં “વેલિ' નામ રાખવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ થયો છે. તેનું મૂળ ભારતીય હિન્દુધર્મના પુરાણમાં છે. વેલી તસુ બીજ ભાગવત વાયઉ મદિ થારગઉ મુખ | મૂલ તાલ, જડષ્યય માંડ દઈ, સુ-થિર કરમી ચઢી છાંદ સુખ || પત્ર શ્રકખર દલ થાલા જસ પરિમલ નવરસ તંતુ વિધિ શ્રદોનિ ચિ ! મધુકર રસિક સુગ્રથ મંજરી, મુગતી ફળ ફળ ભુગતિ મિચિ | કલિ કલય વેસિ, વઢિ કામ ધેનુકા ચિંતામણિ ઓમ વેલિ યત્ર ! પ્રગટિત પ્રથમ પ્રિવ્યુ સુખ પંકજ શ્રખરાલ મિસિ થેઈ ઍક્ય / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy