SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વગેરેના ઇંદ્રોની સાથે આવી વિનયપૂર્વક પૂજ્ય અરિહંત દેવોને તેડીને મેરુપર્વતના શિખર ઉપર જઈ જન્માભિષેક સ્નાત્ર મહોત્સવ સમાપ્ત કર્યા પછી જે પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા કરે છે તે પ્રમાણે કર્યાનું અનુકરણ કરવું જોઈએ એમ અને મહાપુરુષો જે રસ્તે જાય તે રસ્તે જવું જોઈએ. એમ વિચારીને હું પણ ભવ્ય લોકોની સાથે એકત્ર થઈને સ્નાત્ર પીઠ ઉપર સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું માટે પૂજાનો યાત્રાનો અને સ્નાત્રાદિનો મહોત્સવ પૂરો થયો છે એમ ધ્યાનમાં લઈને કાન દઈને (એક ચિત્તે) સાંભળો સાંભળો સ્વાહા. પ્રભુના જન્માભિષેક અંગેનો સંદર્ભ પ્રાચીનતા દર્શાવે છે અને માનવ જન્મનું મહાન સુકૃત ગણાય છે. “કળશ” રચનાઓનો માહિતી આ રીતે મહા મંગલકારી છે. મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક નિરૂપણ વિશેષરૂપે નિહાળી શકાય છે. તેમાં ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણીને કેન્દ્રમાં રાખીને “કળશ નામનો કાવ્ય પ્રકારનો ઉદ્દભવ થયો છે. ભગવાનનાં પાંચ કલ્યાણક હોય છે તેમાં જન્મ કલ્યાણકની બાદશાહી ઉજવણી ઠાઠથી દેવો ઉજવે છે. કળશની આધારભૂત માહિતી નીચે મુજબ છે. કળશ રચના બે પ્રકારની પ્રાપ્ત થાય છે. ૧. ભગવાનના જન્મ મહોત્સવનું વર્ણન કરતી કળશ રચના જે જન્માભિષેક કળશ કહેવાય છે. ૨. કાવ્ય રચનાની સમાપ્તિની કળશ રચનાઓ. કળશની વિશેષ માહિતી નીચે મુજબ છે. “કળશ” શબ્દ દ્વારા પ્રભુના અભિષેકનું સૂચન થાય છે. ઇંદ્રો અને દેવો મેરુપર્વત ઉપર તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવની દૈવી અને શાહી ઠાઠથી ઉજવણી કરે છે. તેનું વર્ણન “કળશ'માં કેન્દ્ર સ્થાને છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુના જન્મ કલ્યાણકની લોકોત્તર ઉજવણીનું કાવ્ય કે જેમાં તીર્થોદક અને સુગંધી દ્રવ્ય મિશ્રિત જળ-દૂધથી અભિષેક કરવામાં આવે છે તેનો સંદર્ભ સમજવાનો છે. “કળશ” ભક્તિ માર્ગની ક્રિયાગીત સમાન આવિદ્યા કાવ્ય રચના છે. મૃત્યુ લોકના માનવીઓ ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણીના પ્રતીકરૂપે પ્રતિદિન જિનમંદિરમાં સ્નાત્રપૂજા' ભણાવે છે. ધાર્મિક મહોત્સવ પૂજન-જિનેન્દ્ર ભક્તિ મહોત્સવના પૂર્તિમાં સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે. જૈન સમાજમાં પ૬ દિકુમારિકાનો સ્નાત્ર મહોત્સવ પણ ઇંદ્રએ ઉજવણી કરી હતી તેના અનુકરણથી ઉજવાય છે અને ભક્તો જન્મ કલ્યાણકનો ઉજવણીનો લ્હાવો લે છે. કવિ દેપાલ અને કવિ દવેચંદ્રજી કૃત સ્નાત્રપૂજામાં કળશ રચનાનો સમાવેશ થાય છે. સ્નાત્રપૂજા પછી કળશની વિધિ થાય છે. આ અંગેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે. ૧. શ્રી અજિતનાથ જિનનો કળશ. શ્રી પદ્મવિજયજી ગણિએ અજિતનાથ જિનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy