SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા (૧૪) કવિરાજ દીપવિજયની “પાલનપુરની ગઝલ”માં “કળશ” રચના થયેલી છે તેમાં કવિના નામનો સંદર્ભ છે. “ધરણરાજ પદ્માવતી અહર્નિસ્ પ્રભુ હાજર રહે, દીપવિજય કવિરાજ બહાદર સકલ સંઘમંગલ કરે.” (૧૫) ગઝલની છેલ્લી કડીમાં કવિનું નામ કે ઉપનામનો ઉલ્લેખ થેલો હોય છે. જૈન સાહિત્યની ગઝલોમાં પણ ઉપનામ કરતા સીધા નામનો જ સંદર્ભ પ્રાપ્ત થાય છે. “અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથ મેં તારે, ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વીનવે તુજને.” | ૭ | અહીં કવિ પંત વીરવિજયનો નામોલ્લેખ થયો છે. “નાગર' ની અરજ ઉર ધરજો. ” “વિનયમુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે.” ગુણીના ગુણની વિધિ પૂજ્ય પુણ્યવિજયે કીધી, કવ્વાલી શુદ્ધ એ કીધી, દયાળુ મેં નથી દીઠી.” | ૨૭ II “ કહે લબ્ધિ સુખી થાશે, પડ્યા જે એહના પાસે, વેશ્યાની વાસના ત્યાગો, અગર જો સુખડાં માગો.” | ૧૦ || સહસ હો કમ સત્તાઇસે, ચૈત્ર દ્વાદશી સુદિ સારી, કિયો વલ્લમ પ્રભુ દર્શન, જુઓ આનંદ શનિવાસ. || ૧૦ | (આ કડીમાં રચના સમય, મહિનો, તિથિ, વાર અને કવિના નામનો ઉલ્લેખ છે.) નેમિ લાવશ્ય ચરણોંકા ઉપાસક દક્ષ ગાવત હૈ || (અહીં કવિએ ગુરુ પરંપરાનો નિર્દેશ કર્યો છે) રૂપાતીત સ્વભાવ ધરે, શુદ્ધ કેવલજ્ઞાન નહીં દર્શ વરે; જબ આતમરામ આનંદ ભરે. સિદ્ધ. || ૭ || ઘન ઘાતી ક્ષીણ શુકલ લીન, વિર્ય ઉમહયો, મનસુખ રંગ શીવ લંગ, સેજસે રહ્યો. || ૪ || મેં અરજ કરી સુખદાયા, તે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા, મેં આજે દરિશન પાયા. શ્રીનેમ. | ૭ | યદુ કુલકે વિભૂષણ હો, ત્રિભુવન કે તુમ સ્વામી, હમારે મન માનસમેં, બિરાજે હંસગતિ ગામી. | ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy