SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ הבחכחכחכחכחכתלהבהבהבהבהבחלחל ( પ્રકારની શ્રાવકનું સ્વરૂપ હો חברכתכתבי नामाई चउभेओ सहो भावेण इथ्थ अहिगारो ॥ तिविहो अ भावसट्टो दंसण-वय-उत्तरगुणेहिं ॥ ४ ॥ શ્રાવક ચાર પ્રકારના છે. ૧ નામ શ્રાવક, ૨ સ્થાપના શ્રાવક, ૩ દ્રવ્ય શ્રાવક અને ૪ ભાવ શ્રાવક. ( આ ચાર નિક્ષેપાક ગણાય છે.) ૧ લ—નામ શ્રાવક: શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ “શ્રાવક' એવા નામને ધારણ કરનારે હોય તે, જેમ કેઈનું ઈશ્વર નામ હેય પણ તે દરિદ્ર હોય તેમ તે નામ નિક્ષેપો ગણાય છે. ૨ જે–સ્થાપના શ્રાવક: કઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે પાષાણાદિકની પ્રતિમા કે છબી બનાવી હોય તે સમજવી. અથૉત્ તેવી પ્રતિમા કે છબીને સ્થાપના શ્રાવક સમજવા. એ સ્થાપના નિક્ષેપ ગણાય છે. ૩ જે–દ્રવ્ય શ્રાવક: ભાવ ન હોવા છતાં, શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્ય શ્રાવક કહે. વાય છે. જેમ ચંડપ્રોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકા ધર્મની ક્રિયા કરી હતી. આ દ્રવ્યનિક્ષેપો ગણાય છે. ૪ –ભાવ શ્રાવક: ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવ શ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપ ગણાય છે. જેમ નામ ગાય, સ્થાપના ગાય અને દ્રવ્ય ગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી તેમ નામ શ્રાવક, ભાવ શ્રાવક અને દ્રવ્ય શ્રાવકપણું મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવ શ્રાવકને અધિકાર કથન કરવામાં આવશે. ( ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાય રૂપ આ ગ્રંથ છે. ) ભાવ શ્રાવકના ત્રણ ભેદ. ભાવ શ્રાવકના ત્રણ ભેદ છે. ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક * નિક્ષેપ–અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત ઉપચાર કરીને વસ્તુને વટાવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy