SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ - - श्राद्धविधिप्रकरण । સમ્યકત્વ અને અણુવ્રત. વિસ્તાર્થ –૧૨-૧૩ આજન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી. દીક્ષાને સ્વીકાર. ૧૪. તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એનો ભાવાર્થ એ છે કે-શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પિતાને ઠગેલાની પેઠે સમજે. કેમકે જેમણે સર્વ લોકને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજેને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વવિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે-એકાગ્ર ચિત્તવાળે ભેગી અનેક કર્મ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ, જેમ પર પુરુષને વિષે આસક્ત થયેલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ભેગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છોડી દઈશ” એવો ભાવ રાખી જાર પુરુષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમ રંગમાં રહી પતિના ગુણેનું સ્મરણ કરતી છતી ભજન પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સર્વવિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પોતાને અધન્ય માનતો છતો ગૃહસ્થપણું પાલે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જૈની દીક્ષા લીધી, તે પુરુષોને ધન્ય છે અને તેમનાવડે આ પૃથ્વીમંડળ પવિત્ર થએલું છે. ભાવ શ્રાવકો કેવા હોય ? ભાવ શ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યાં છે. કે -૧ સ્ત્રોને વશ ત થવું, ૨ ઇદ્રિ વશ રાખવી, ૩ ધન અનર્થને હેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણ, પ વિષયનો અભિલાષ રાખ નહીં, ૬ આરંભ તજ, ૭ ગ્રહ બંધને સમાન ગણું, ૮ આજન્મ સમકિત પાળવું, ૯ સાધારણ માણસો જેમ ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું. ૧૦ આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧ દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચર, ૧૨ ધર્મ કરતાં કેઈ અજ્ઞ જન હાંસી કરે તો તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહ રાગ દ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થ પણું રાખવું, ૧૬ ધનાદિક હેય તે પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ પરાણે કામ પગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy