SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय रात्रि-कृत्यप्रकाश । [ રૂ૩૨ ] સમાધાન –ઉપર કહ્યું તે બરોબર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે એમ કે–હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણુ એ ત્રણ જ ખાસ દેખાયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેથા અધ્યયનરૂપ નથી, કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપન જેવા પછી, તેમજ નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી કરવી, એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહીમાં કાઉસગ્ય અને ચઉવીસ જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય ? વળી શ્રાવકે સાધુનો જોગ ન હોય તો ચૈત્ય સંબંધી પૌષધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જ કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્યાપાર પણ બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “ જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે. હવે “તમારામારં” એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાં જ સામાયિકને નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તો ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું છે. તે એમ કે –સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત–મન, લેસ્થા–સામાન્ય અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય તથા ઇંદ્રિય પણ આવશ્યકને વિષે જ તકલીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. વળી તે જ સૂત્રમાં કહ્યું છે કેજે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગો ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપની શુદ્ધિ થતી હોવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. વળી એમ કહ્યું છે કે–પાતકને જીવ પ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે. દિલ્લીમાં દેવસરાઈ પ્રતિક્રમણનો અભિગ્રહ પાળનાર એક શ્રાવક રહેતો હતો. રાજવ્યાપારમાં કાંઈ તહોમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાગે બેડીઓ જડીને બંદીખાને નાંખે તે દિવસે લાંઘણ થઈ હતી, તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારું રખવાળોને સેનાને ટાંક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy