SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ - - - પ્રથમ વિચાર! [ ૩૨૨ ]. કર્મગતિ વિચિત્ર હોવાથી સાર્થથી ભૂલા પડ્યા. સુધા તૃષાથી પીડાયલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા. અને ભેજનની તૈયારી કરવા લાગ્યા, એટલામાં જેનો ભવ થડે બાકી રહ્યો છે એવા કઈ જિનકપી મુનિરાજ તેમની પાસે ભિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા. રાજકુમાર સ્વભાવે ભદ્રક હોવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભેગફળ કર્મ ઉપામ્યું. મુનિરાજને ભિક્ષા આપવાથી બે મિત્રને આનંદ થયો. તેમણે મન, વચન કાયાથી દાનને અનુમોદના આપી. અથવા ઠીક જ છે, સરખા મિત્રોએ સરખું પુરય ઉપાર્જન કરવું ઉચિત છે. “સર્વ આપે. એવે વેગ ફરીવાર અમને ક્યાંથી મળવાનો?” આ પ્રમાણે તે બન્ને મિત્રોએ પિતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારૂ કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુછ હતું, તેથી તે દાનને વખતે બે કે, “હે કુમાર !. અમને ઘણી ભૂખ લાગી છે, માટે અમારે સારું કાંઈક રાખો.” બેટી બુદ્ધિથી ક્ષત્રિયપુત્રે ફેકટ દાનમાં અંતરાય કરીને ભેગાંતરાય કર્મ બાંધ્યું. પછી રાજાએ બોલાવ્યાથી તે પિત પિતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષિપુત્રને શ્રેષ્ઠિ પદ, મંત્રીપુત્રને મંત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભટોનું અગ્રેસરપણું મળ્યું. અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભેગવી મરણ પામ્યા. સુપાત્રદાનના પ્રભાવથી શ્રીસાર કુમાર રત્નસાર થયે. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રીપુત્ર રત્નસારની સ્ત્રીઓ થઈ. કેમકે, કપટ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિયપુત્ર પિપટ થયે, કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યચપણું મળે છે. પોપટમાં જે ઘણું ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છોડાવેલે ચોર તાપસ વ્રત પાળી રત્નસારને સહાએ કરનારે ચંદ્રચુડ દેવતા થયે.” રાજા આદિ લેકે મુનિરાજનાં એવાં વચન સાંભળી પાત્રદાનને વિષે ઘણા આદરવંત થયા અને સમ્યક પ્રકારે જૈન ધર્મ પાળવા લાગ્યા. ઠીક જ છે, તત્વનું જ્ઞાન થાય ત્યારે કોણ આલસ્ય કરે ? પુરુષને સ્વભાવ સૂર્ય સરખું જગતમાં શેભે છે. કેમકે, સૂર્ય જેમ અંધકાર દૂર કરી લેકોને સન્માર્ગે લગાડે છે, તેમ પુરુષે પણ અંધકાર દૂર કરી લેકને તે સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પિતાની બે સ્ત્રીઓની સાથે ચિરકાળ સુધી ઉત્કૃષ્ટ ભેગ ભેગવ્યા. પોતાના ભાગ્યથી જ ધન જોઈએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ બે પુરુષાર્થને જ મહેમાહે બાધા ન આવે તેવી રીતે સમ્યક પ્રકારે સાધ્યા. કુમારે રથયાત્રાઓ, તીર્થયાત્રાએ, અરિહંતની રૂપાની, સોનાની તથા રત્નની પ્રતિમાઓ, તેમની પ્રતિષ્ઠાઓ, જિનમંદિર, ચતુર્વિધ સંઘનું વાત્સલય, બીજા દીન જને ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યે ચિરકાળ સુધી કર્યો. એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy