SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૦ ] श्राद्धविधिप्रकरण । ,, ઉત્પન્ન કરનારૂં કુમારનુ એવું ચિત્ર જોઈને તિલકમાંજરી હર્ષથી વિકસ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી મનમાં વિચાર કરવા લાગી કે, “ ત્રણે લેાકમાં શ્રેષ્ઠ એવા એ તરૂણૢ કુમાર પુરૂષમાં એક રત્ન છે, માટે ભાગ્યથી જો મ્હારી મ્હેન હુમણુાં મળે તેા એવા ભથ્થરના લાભ થાય. એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમાંજરી પાસેથી કુમારે બાળકની માફક હુંસીને ઉપાડી લીધી, અને તેથી હુંસી કહે છે કેઃ— ધીર પુરૂષામાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમ, વીર પુરૂષાની ગણતરીમાં મુખ્ય એવા હે કુમારરાજ ! તું ચિરકાળ જીવતા અને જયવંતા રહે. હું ક્ષમાશીળ કુમાર ! દીન, રાંક, અતિશય ખીકણુ અને અકાર્ય એવી મે મ્હારે માટે તને ઘણુા ખેદ આપ્યા, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવા મ્હારા ઉપર ઉપકાર કરનારા બીજો કાઇ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુછ્યાથી પણ ન મળી શકે એવા હારા ખેાળામાં આવીને બેઠી. ધનવાન પુરૂષના પ્રસાદથી જેમ નિન પુરૂષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધીન અને દુ:ખી જીવ ત્હારા યાગથી ચિરકાળ સુખી થાઓ. ” કુમારે કહ્યું. “ મીઠું ખેલનારી હું હુંસી! તુ કેણુ છે? વિદ્યાધરે તને શી રીતે હરણુ કરી ? અને આ મનુષ્યની વાણી તું શી રીતે ખેલે છે તે કહે, ” પછી તે ઉત્તમ હુસી કહેવા લાગી: “ મ્હાટા જિનમદિરથી શે।ભતા વતાય પર્વતના ઉચ્ચ શિખરને અલંકારભૃત એવા રથનૢ પુરચક્રવાળ નામે નગરની રક્ષા કરનારા અને સ્રીઓને વિષે આસક્ત એવા તરૂણીમૃગાંક નામે વિદ્યાધર રાજા છે. એક વખત તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મને વેધક અંગચેષ્ટા કરનારી અÀાકમજરી નામે રાજકન્યા જોઇ. સમુદ્ર ચંદ્રમાને જોતાં જ જેમ ખળભળે છે, તેમ હુંડાળા ઉપર ક્રીડા કરનારી સાક્ષાત્ દેવાંગના સરખી તે કન્યાને જોઇ વિદ્યાધર રાજા ક્ષેાભ પામ્યા. પછી તેણે તેાફાની પવન વિકુને હિડાળા સાથે રાજકન્યાને હરણ કરી. અથવા પેાતાની મતલબ સાધવા યથાશકિત કેણુ પ્રયત્ન કરતા નથી ? વિદ્યાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શખરસેના નામે મ્હાટી અટવીમાં મૂકી. ત્યાં તે હિણીની પેઠે બીક પામવા લાગી, અને ટીટોડીની માફક આક્રંદ કરવા લાગી. વિદ્યાધર રાજાએ તેને કહ્યું “હે સુંદર સ્ત્રી! તું કેમ શ્રીકથી ધ્રૂજે છે ? દિશાને વિષે નજર કેમ ફૂંકે છે ? અને હું સુરિ ! આક્રંદ પણ કેમ કરે છે ? હું કાઇ મંદીખાનામાં રાખનારા કે પરસ્ત્રીલંપટ નથી, પણ ત્હારા પાર વિનાના ભાગ્યથી તને વશ થએલે એક વિદ્યાધર રાજા છું. હું ત્હારા દાસ થઇ હારી પ્રાર્થના કરૂં છું... માટે મ્હારી સાથે પાણિગ્રહણ કર, અને તમામ વિદ્યાધરાની તું સ્વામિની થા. “ અગ્નિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લેાકેા એવી દુષ્ટ અને અનિષ્ટ ચેષ્ટા કરીને પાણિગ્રહણ કરવા ઇચ્છે છે, એમને અતિશય ધિક્કાર થાએ! ! ! ” મનમાં એવા વિચાર કરનારી અશેાકમજરીએ વિદ્યાધર રાજાને કંઇ પણ ઉત્તર આપ્યા નહીં. અનિષ્ટ "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy