SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्वप्रकाश । [ રક્૭] પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત પંદર વર્ષ થાય ત્યાં સુધી તાડના કરવી, અને સેળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું. પિતાએ પુત્રને ગુરુ, દેવ, ધર્મ, સુખી, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવવો. તથા સારા માણસની સાથે તેને મિત્રી કરાવવી. ગુરુ આદિકને પરિચય બાલ્યાવસ્થાથી જ હોય તો વકલચીરિની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લેકેની સાથે મૈત્રી કરી હોય તે કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તે ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આકુમારને અભયકુમારની મૈત્રી તે જ ભાવમાં સિદ્ધિને અથે થઈ. પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જેડ, તથા અનુક્રમે તેને ઘરની માલકી સેંપવી. “કુળથી, ' જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી” એમ કહેવાનું કારણ એ છે કેકજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તે તેમને તે ગ્રહવાસ નથી, પણ માત્ર વિટંબણા છે, તથા એક બીજા ઉપર રાગ ઉતરી જાય તે કદાચ બને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે. તે એ કે – કડાનું દષ્ટાંત. ભેજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણે કુરૂપ અને નિર્ગુણી એ પુરૂષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી એશીકલ હતી. એક સમયે બંને જણાના ઘરમાં રે ખાતર પાડયું, અને બને કજોડાને જોઈ કાંઈ ન બેલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપને યોગ થયે, તે બન્ને સ્ત્રી પુરૂષ પ્રથમ ઘણું ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યોગ થયે, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવે ત્યારે ચેરીએ આવીને કહ્યું કે, “હે મહારાજ ! રાત્રિને વિષે પરિદ્રવ્યને અપહાર કરનારા અમે વિધાતાની ભૂલ સુધારી, એક રત્નનો બીજા રત્નની સાથે યોગ કર્યો. ” ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણ કરી. વિવાહના ભેદ વગેરે. આગળ કહેવાશે. “તેને ઘરના કાર્યભારમાં જેડ,” એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયલે પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદેન્મત્ત ન થાય તેમજ ઘણાં દુખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતને જાણ થઈ અનુચિત વ્યય કરવાનું મનમાં ન લાવે. “ઘરની માલિકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy