SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિચાર | [ ૨૬ ]. એનું કારણ એ છે કે, કોણ એ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે-બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખે બહાર જાય, ઘરમાં પાણી છાંટે પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતે રહે, અથવા નરકાવાસ ભેગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર્તાર થવું, એ ઠીક નથી. કદાચ કાંઈ યોગ્ય કારણથી પુરુષને બે સ્ત્રીઓ પરણવી પડે, તો તે બનેને વિષે તથા બનેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈને વારો ખંડિત ન કરે. કારણ કે શોક્યને વારા તડાવીને પિતાના પતિની સાથે કામસંગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતને બીજે અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણુ ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સમભદ્રની સ્ત્રીની પેઠે સહસાત્કારથી કૂવામાં પડે, અથવા બીજુ એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશાં નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠોરપણું ન બતાવવું. કેમકે, પાસ્ટ સ્ત્રીપુ મવમ પાંચાલ ઋષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી, નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વ કામ સિદ્ધ થએલાં દેખાય છે. અને નરમાશ ન હોય તે કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએલે પણ અનુભવમાં આવે છે. નગુણ સ્ત્રી હોય તે બહુ જ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી સ્ત્રીથી જ કઈ પણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લે. કારણ કે “ગૃહિણું તે જ ઘર.” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનને લાભ સ્ત્રી આગળ કરે, તે તે તુચ્છપણાથી જ્યાં ત્યાં તે વાત કરે અને તેથી ભર્તારની ઘણા કાળથી મેળવેલી મહેટાઈ ગુમાવે, તથા ઘરમાંની છાની વાતો તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સવભાવથી જ કમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઊભું થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું કહ્યું છે કે –“સ્ત્રી પુંવર મવતિ થવા ત િર્દ વિનામ” સ્ત્રી, પુરુષ જેવી પ્રબળ થાય તે તે ઘર ધૂળ બરાબર મળી ગયું એમ સમજવું. આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે. મંથર કેળીનું દ્રષ્ટાંત. * કઈ નગરમાં મંથર નામનો એક કળી હતી. તે વણવાને દાંડે વગેરે કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy