SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૦ ] भावविधिप्रकरण । સર્વ સંઘના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર થાપણ આદિની નોંધ તે જ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે–ગાંઠમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીધ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દોષ માથે આવે છે. પિતાના નિર્વાહને અથે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કે–ડાહ્યા પુરુષો પોતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનને નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ; કારણ કે રાજાના આશ્રય વિના કોણ પિતાનું ઉદરપોષણ કરતું નથી? ઘણું કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેણી આદિ લેકેએ પણ રાજાના આશયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યા છે. ધમદિના સોગન ન ખાવા. હવે, વિવેકી પુરુષે જુગાર, કિમિયા આદિ વ્યસનને દૂરથી જ ત્યાગ કરવો. કહ્યું છે કે–દેવને કેપ થાય ત્યારેજ ધૂત, ધાતુર્વાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફામાં પ્રવેશ–એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સેગન વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષ કરીને દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તે નજ ખાવા. કહ્યું છે કે-જે મૂઢ પુરુષ ચેત્ય(દેવ)ના સાચા અથવા જૂઠા સમ ખાય તે બોધિબીજ વમે અને અનંતસંસારી થાય. જાણુ પુરુષે કોઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાપસિકે કહ્યું છે કે–દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસેએ પિતે ઉત્પન્ન કરેલાં હોય છે. પરદેશ આદિમાં વ્યાપાર કરવા અંગે. તેમજ વિવેકી પુરુષે બનતાં સુધી જે ગામમાં પિતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરે, તેથી પિતાના કુટુંબના માણસોને વિયેગ થતો નથી, ઘરનાં તથા ધર્મનાં કામો યથાસ્થિત થાય છે. આ આદિ ગુણ પિતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પોતાના ગામમાં નિર્વાહ ન થતું હોય તો પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શીધ્ર તથા વારે વારે પિતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામ વિગેરે પણ જોવાય છે. કેણ દરિદ્રી માણસ પિતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે કે હે અર્જુન ! દરિદ્ધી, રેગી, ભૂખ, મુસાફર અને નિત્ય સેવા કરનારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy