SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૨ ] श्राद्धविधिप्रकरण | રાખવાને અર્થે કેવળ મધુર વચન ખેલનારા જ હાય, રાજાનેા કાપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનેા, ધર્મના અને ભંડારના વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનુ વચન હાવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણ્ કર્તવ્ય છે, એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “ મહારાજ ! સમામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે—રાજા, અગ્નિ, ગુરુ અને સ્રી એ ચાર વસ્તુ બહુ પાસે હાય તેા વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પેાતાનુ ફળ ખરાખર આપી શકતી નથી; માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છમી ચિતરાવી તે પાસે રાખા, ” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનદન નામે એક પેાતાના ગુરુને દેખાડી, શારદાનંદને પેાતાની વિદ્વત્તા અતાવવાને અર્થે કહ્યું કે, “ રાણીના ડાખા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં બતાયૈ નથી. ” ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યા, અને તેથી તેણે શારદાનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યા. લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે કોઇ સહસા કાર્યં ન કરવું. વિચાર ન કરવા એ મ્હાટા સંકટાનુ સ્થાનક છે. સદ્ગુણેથી લલચાયેલી સંપદાએ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનાર પુરુષને પાતે આવીને વરે છે. પતિ પુરુષાએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામના યત્નથી નિર્ણય કરવા; કારણ કે, અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની પેઠે મરણુ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરનારૂ થાય છે. એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પાતાના ઘરમાં શારદાનંદનને છાના રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછ વાડે બહુ દૂર ગયા. સંધ્યાસમયે એક સરાવરનું પાણી પીને રાજપુત્ર વાધના ભયથી એક ઝાડ ઉપર ચઢ્યો. ત્યાં ન્યતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સુઇ રહ્યો અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્ર વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડયે હતા, પણ વાઘ હસ્યા, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યા. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યુ` કે, “ હે વાઘ! પાતાની જાતિ મૂકીને જે લેાકેા પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરૂ છું કે, તે જડ લેાકેાની શી ગતિ થશે?” પછી એવા વચનથી તથા પેાતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યાં. ત્યારે રાજપુત્ર વિશ્વમૈા, વિશ્વમેલ એમ કહેતા જંગલમાં ભટકવા લાગ્યા. રાજપુત્રનેા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy